મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા ફસાયેલા લોકો અંગે માહિતી આપવા હેલપ લાઈન નં.જાહેર
https://www.abtakmedia.com/public-helpline-no-to-provide-information-about-the-people-trapped-by-the-collapse-of-the-suspension-bridge-in-morbi/
તંત્રીલેખ
=========================================================
અલગાવવાદીઓ હવે મેદાનમાં આવી ગયા !!
========================================================
રાષ્ટ્રની એકતા સર્વોપરી હોવા છતાં કાશ્મીરમાં કાયમ અશાંતિ નો માહોલ રહે તેવું ઇચ્છનારા લોકો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. નજીકના ભવિષ્યમાં આવિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે જેનાથી આ અલગાવવાદીઓના પેટમાં ઘગઘગતું તેલ રેડાયું છે. આલોકો ને ચૂંટણી માં રસ નથી.કરણકે તેઓ કોઈ સજોગો માં જીતી શકે તેમ નથી.આથી ચૂંટણી યોજાય જ નહીં અને આ આખો ખીણ વિસ્તાર ભારતથી અલગ પડી જાય તેવી મુરાદ આ લોકો સેવી રહયા છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ સોમવારે ટાર્ગેટ કિલિંગ અંગે નિવેદન આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે ભાજપ અગાઉ એવા દાવા કરી રહી હતી કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હોવાને કારણે ટાર્ગેટ કિલિંગ થઇ રહ્યું છે. હાલ તો ૩૭૦ હટાવી લેવાઇ છે, તો હજુ પણ કેમ આ પ્રકારના હુમલા થઇ રહ્યા છે તેવો સવાલ ફારુક અબ્દુલ્લાએ કર્યો હતો.
જમ્મુ કાશ્મીરના નેતા ફારુક અબ્દુલ્લા હાલ રીઆસી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, અહીંયા તેઓએ પત્રકારોની સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જ્યારે પત્રકારોએ તેમને જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને અન્યોનું જે ટાર્ગેટ કિલિંગ થઇ રહ્યું છે તે અંગે સવાલ કર્યો તો તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં થાય ત્યાં સુધી ટાર્ગેટ કિલિંગ પણ નહીં અટકે.આનો સીધો અર્થ એવો થાય કે આ લોકો ટાર્ગેટ કિલિગ ના સમર્થકો છે!!!
ખીણ વિસ્તારમાં હિંસાનું વાતાવરણ કાયમ રહે તેવું આ લોકો ઇચછી રહયા છે.જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યાને ચાર વર્ષ વીતી ગયા હોવા છતા ઘાટીમાં લોકોની હત્યાઓ કરવામાં આવી રહી છે. જેના સમર્થકો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હત્યાના વિરોધમાં મોટા પ્રમાણમાં પંડિતો દ્વારા ધરણા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. સોમવારે કાશ્મીરી પંડિતો દ્વારા હુર્રિયત કોન્ફરન્સની શ્રીનગર સ્થિત ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો શ્રીનગર સ્થિત અલગતાવાદી નેતા મિર્વાઇઝ ઉમર ફારુકની હુર્રિયતની ઓફિસ બહાર એકઠા થયા હતા. જમ્મુ કાશ્મીરમાં હાલ કાશ્મીરી પંડિતોની હત્યા ખુલ્લેઆમ થઇ રહી છે જ્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરના નેતાઓ ચુપ બેઠા છે. આ સ્થિતિ વચ્ચે કાશ્મીરી પંડિતોમાં આવા નેતાઓને લઇને રોષ વધી રહ્યો છે.
નેશનલ કોન્ફરન્શના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે, જ્યાં સુધી ભારત પાકિસ્તાના સાથે વાતચીત નહીં કરે ત્યાં સુધી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં.
આનો સીધો અર્થ એવો થાય કે ભારતે ત્રાસવાદીઓ ને શરણે જવું. બીજા શબ્દોમાં કહીએતો કાશ્મીર ને અલગાવવાદીઓને હવાલે કરવું !! આવસ્તુ કોઈ સજોગોમાં શક્ય જ નથી,કારણકે કેન્દ્રમાં મોદી સરકાર છે .
કાશ્મીરી પંડિત પૂરણ ભટ્ટની હત્યાને અનુલક્ષીને અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જે રીતે BJP કહી રહી છે કે અનુચ્છેદ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. આ અનુચ્છેદને સમાપ્ત થયાને 4 વર્ષ થઈ ગયા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કાશ્મીરી પંડિતોને સતત નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. હવે BJP પાસે શું જવાબ છે? જે રીતે ભારત લદ્દાખ ક્ષેત્રમાં સીમા વિવાદને ઉકેલવા માટે બેઈજિંગ સાથે વાત કરી રહ્યું છે તે જ રીતે તેણે પાકિસ્તાન સાથે પણ વાત કરવાની પહેલ કરવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, અગાઉ અનુચ્છેદ 370ને હત્યાઓ અને અન્ય બાબતો માટે જવાબદાર ઠેરવવામાં આવતો હતો. તેને રદ્દ કર્યાને 4 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ લોકો મરી રહ્યા છે. જો હત્યાઓ પાછળ અનુચ્છેદ 370 જવાબદાર હતો તો કાશ્મીરી પંડિત પૂરણ ભટની હત્યા કેમ થઈ? આની પાછળ કોઈને કોઈ કારણ તો જરૂર હશે. અનુચ્છેદ 370 હત્યાઓ માટે જવાબદાર નહોતો કારણ કે આતંકવાદને બહારથી પ્રાયોજિત કરવામાં આવી રહ્યો છે.
નજીના ભવિષ્યમાં આવિસ્તારમાં ચૂંટણી થશે અલગાવવાદીઓ તેમાં શકય એટલા વિઘ્નો નાખવાના પ્રયાસો કરશે પણ તેને મોદી સરકાર સખતાઈ થી ડામી દેશે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળશે અને તે ભારતનો જ હિસ્સો કાયમ માટે રહેશે કારણકે ભારત એક છે અવિભાજ્ય છે,
સુરેશ ભટ્ટ
શ રદ પૂનમ ઝગમગ ચાંદનીથી આભ અને ધરતીને એક અનોખા મંગલ ''સૌંદર્યમાં પરિવર્તિત કરી દે છે. જાણે સર્વત્ર-સર્વમાં ચાંદની સ્વરૂપ પ્રભુનું દર્શન થાય છે. ગીતાજીના દસમા અધ્યાય-વિભૂતિયોગમાં ભગવાન કહે છે ''નક્ષત્રાણામ્ અહં શશિ''.... (નક્ષત્રોમાં ચંદ્ર હું છું. વિષ્ણુસહસ્ત્રનામોમાં પણ ચંદ્ર સાથે જોડાયેલાં નામ-પ્રકાશરૂપ, નક્ષત્રાણામ્ પતિ, ઔષધિનામ્ પતિ, લલિતઃ સૌમ્યરૂપઃ, રૂપાણામ્પતિઃ દીપ્તિઃ, અમૃતસ્ય પ્રદાતા, મુદમ્રતિઃ શુચિઃ, નંદયિતા, ગૌરઃ વગેરે જાણવા મળે છે. જેનું દર્શન શરદ પૂનમે કરી શકાય.
શરદ પૂનમ ઝલમલ ચાંદનીના પ્રકાશથી આભ-ધરતીને એક અનોખા સૌંદર્યમાં પરિવર્તિત કરી દે છે. શરદ પૂનમનાં પૂર્ણ ચંદ્ર અને ચાંદની જાણે મંગલમય પ્રભુનું સ્વરૂપ. શરદ પૂનમના શીતળ પ્રકાશથી મઢયું સમગ્ર વાતાવરણ જાણે (માતાનો) ''વત્સલ'' ખોળો. સદ્ગુરૂનો હેતલ..પવિત્ર...ચેતનાથી ઝળહળતો ચહેરો...ચોમેર નજર નાંખીએ તો લાગે કે જાણે સમસ્ત સૃષ્ટિ, શરદ પૂનમના પ્રકાશમાં પ્રફુલ્લિત થઈ રહી છે. ''ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રના જ'' એવું ગાતો સમય પણ ભાવાનુભૂતિમાં સ્થિર થઈ ગયો હોય છે.
શરદ પૂનમને ''માણેકઠારી'' પણ કહે છે. માણેક (રત્નની) દિવ્ય શીતળતા - માંગલ્ય શરદ પૂનમમાં અનુભવાય છે. સૌમ્ય...સુંદર-ઠંડકની મધુર માદકતા તેમાં છે. સમગ્ર સૃષ્ટિ...એટલે કે સમગ્ર પંચતત્ત્વો (તેજ, જળ, ભૂમિ, આકાશ, અગ્નિ) બધાં મધુરતાનો લય પામ્યાં છે. શરદપૂનમનું ચૂંબકીય વ્યક્તિત્વ છે જે સૌને આકર્ષે છે. ને પોતાના રૂપ બનાવે છે. શરદપૂનમના દર્શનથી પવિત્ર ભાવ અનુભવાય છે તેથી તે દ્રષ્ટિપૂત છે. તેનું દર્શન બત્રીસ કોઠે ઠંડક આપનારું છે. યુગોથી આવો મંગલ સમૃદ્ધિ આપનાર શરદપૂનમનું શાશ્વતમૂલ્ય (ઈંીહિટ્વઙ્મ ફટ્વઙ્મેી) છે. શ્રીકૃષ્ણની રાસલીલાના મધુર, સ્મરણનો મલકાટ પણ તેના દર્શનમાં છે.
શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણ ભગવાનની રાસલીલાનું વર્ણન છે. શ્રી વ્યાસમુનિએ શરદપૂનમનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે - ''જેમ યદુપતિ શ્રીકૃષ્ણ યાદવ મંડળથી વીંટળાઇને પૃથ્વી ઉપર શોભતા હતા તેમ, અખંડ મંડળવાળો શરદઋતુનો ચંદ્ર આકાશમાં નક્ષત્રોથી વીંટળાઈને શોભવા લાગ્યો. શરદપૂનમના ચંદ્રના શીતળ પ્રકાશભરી ભૂમિનું ચોમેર દર્શન કરવું તે શરદપૂનમના ચંદ્રની પર્યુપાસના છે ચારેબાજુની આરાધના છે. ચિંતકો તો ભાવ વિભોર બની શરદપૂનમના સમગ્ર વાતાવરણનું શુક્લ (પવિત્ર નિર્મળ) ધ્યાન ધરે છે. આવા અદ્ભૂત વાતાવરણમાં અવગાહન (સ્નાન....અધ્યયન) કરે છે.
શરીરનો આધાર મસ્તિષ્ક છે. જો તેને ઠુંડું-શીતળ રાખવામાં આવે તો વ્યક્તિ દીઘાયુષ્ય પામે છે. આ દ્રષ્ટિએ પણ શરદપૂનમનું મહત્વ છે. તેનો ઠંડો-શીતળ-પ્રકાશ ઔષધ છે. એટલે તો ચંદ્રના પ્રકાશમાં રાખેલા દૂધ, પૌંઆ પ્રસાદરૂપે લેવાય છે. આ પણ આયુર્વેદિક દ્રષ્ટિએ શીતલીકરણનો ઉપાય છે.ળ
શરદપૂનમ માનવને સમજાવે છે કે આ સમગ્ર સૃષ્ટિનો સર્જક પરમાત્મા પ્રેમપૂર્ણ છે. મંગલમય છે આહ્લાદ આપનાર છે. આનંદથી પુલકિત કરનાર છે. શરદપૂનમ તો પરમાત્માનું મંગલ-પ્રસન્ન, સત્-ચિત્-આનંદ સ્વરૂપે છે. તેનું ભાવપૂર્વક દર્શન કરી રોમેરોમમાં આનંદ..પવિત્રતા...શાંતિ ભરીએ.
- લાભુભાઈ ર. પંડયા
નક્કામાં ટ્યુબ ટાયર માંથી ઓઇલ અને ચારકોલ કોલસો બની શકે!
*******
માન્યામાં ન આવે તેવી વાત છે કે આજે જે નકામા ટ્યુબ ટાયરો નો નિકાલ કેમ કરો તે માથાનો દુખાવો બની ગયો છે પરંતુ આ નકામા ટ્યુબ ટાયર માંથી ચારકોલ કોલસો અને ઓઇલ પણ બની શકે તેમ છે તા કેવી રીતે બને છે તે વસ્તુઓ જાણીને તેવા ઉદ્યોગો જો ભાવનગર અમરેલી પંથકમાં શરૂ કરવામાં આવે તો રોજગારીની બહુ મોટી તકો ઉત્પન્ન થઈ શકે તેમ છે
યુરોપ અમેરિકાના સાત લાખ ટ્યુબ ટાયર તથા સિન્થેટિક રબ્બરમાંથી ઓઈલનું ઉત્પાદન થઈ રહ્યુ છે તો આવા પ્લાન્ટ ભાવનગરમાં કેમ ન નાખી શકાય ?
અહીં અલંગ ના સિન્થેટીન રબર તથા ઓટો - ટાયર રિસાયકલીંગ ઉદ્યોગના વિકાસની ભરપૂર શક્યતા છે.
ભાવનગરમાં ટ્રેક્ટર ટ્રક - મોટર વીના ટ્યુબ ટાયર રીટ્રેડીંગ તથા રીસાયકલીંગ ઉદ્યોગના વિકાસ સાથે રોજગારીની તકોનું નિર્માણ થઈ શકે , ભાવનગરમાં ટ્યુબ ટાર માટે શ્રેડીંગ પ્લાન્ટ હોવો જરૂરી છે . આપણા દેશના રાજમાર્ગો પર હાલમાં જે વિવિધ પ્રકારના વાહનો દોડી રહ્યા છે તેના ટાયર ટ્યુબના નિકાલની એક મોટી સમસ્યા છે . આ ટાયરને રિટ્રેડીંગ કરી એનો ફરી વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે . ટાયરને રિટ્રેડ કરવાનો સૌથી મોટો વ્યવસાય અમદાવાદ સુરત બરોડા રાજકોટ ભાવનગર અને જામનગરમાં ચાલી રહ્યો છે ધસાય ગયેલા ટાયરની ઉપર નવું રબ્બરનું પડ ચડાવવાની પ્રક્રિયાને રિટ્રેડીંગ કહે છે . રીટ્રેડ કરવાનો ઉદ્યોગ નાના પાયા પર આજે આપણા શહેરમાં ચાલી રહ્યો
આવી જ રીતે વાહનોની જરૂરિયાત મુજબના ટાયરનો રીયુઝ રીટ્રેડિંગ દ્વારા કરવામાં આવે છે . આવી જ રીતે ટ્યુબને પંકચર કરી . તેનો રીયુઝ થાય છે . સાયકલ સ્કુટર રીક્ષાની ટ્યુબને પંકચર કરી રીયુઝ કરવામાં આવે છે . પહેલા હોટ પ્રોસેસ થી વલ્કેનાઈઝ કરવામાં આવતુ હતુ . જેમાં રિન્થેટિક રબ્બર બેઈઝ સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવતો હતો . હ વે આ માટેના તૈયાર પેચ આવે છે . નાના વાહનોના ટાયરને વલ્કેનાઈઝડ પેચ પંકચર કરવામાં આવે છે . આ ટ્યુબ ટાય જ્યારે ઉપયોગમાં લઈ ન શકાય તેવા બની જાય છે . ત્યારે તેનો નિકાલ એક મોટી સમસ્યા બની જાય છે . આપણા રસ્તાઓ પર હાલ લાખોની સંખ્યામાં વાહનો દોડી રહ્યા છે . ક્રોનિકલ ઈન્ડિયા ૨૦૧૨ ના ડેટા મુજબ વાહનોના ઉત્પાદનના રસપ્રદ આંકડા આપવામાં
આવ્યા છે . ૨૦૦૦ ૨૦૦૧ માં આપણા દેશમાં ૫૧૩૦૦૦ મોટરકારનું ઉત્પાદન તયું હતું . આ ત્પાદન આઠ વર્ષમાં ૮૯૨૦૦૦ સુધી પહોરી ગયુ હતુ . આવી જ રીતે ૧૨૮૦૦૦ યુટિલિટી વ્હીકલનું ઉત્પાદન હતુ જે આઠ વર્ષમાં ૫૩૯૮૦૦૦ સુધી પહોચી ગયુ આ ઓટો મોબાઈલના પ્રોડક્શનના આંકડા કહે છે કે ૨૦૦૧ થી માંડી ૨૦૦૮ સુધીમાં આ ઉત્પાદદન ડબલ કરતા વધી ગયું . હવે વિચાર કરો કે ૨૦૦૮ થી ૨૦૧૩ સુધીમાં આ ઉત્પાદન માની ન શકાય એટલા મોટા પ્રમાણમાં થયુ છે . આ વાહનોના યુઝલેસ ટ્યુબ ટાયરના નિકાલનો પ્રશ્ન આજે જટિલ અને અણઉકેલ બની ગયો છે . ભાવનગર મોટર સંઘના અગ્રણી બકુલભાઈ ચાતુર્વેદી જણાવે છે કે માલ વાહન પરિવહનના પ્રશ્નોના ઉકેલ માટે ભાવનગર મોટર સંઘ ઉડો રસ ધરાવે છે . મોટર ખટારાના ટ્યુબ ટાયરને રિસાયકલ કરવાના નાના અને મધ્યમ
એકમો શરૂ થાય તો એનાથી ભાવનગરમાં રોજગારીની ઘણી તકો સર્જાશે બકુલભાઈના જણાવ્યા મુજબ ભાવનગર મોટર સંઘ સાથે સંકળાયેલા કેટલાક ઉદ્યોગ સાહસિકો ભાવનગરમાં ટ્રક ખટારાનું ડિસમેન્ટીંગનું કામ કરી રહ્યા છે . ઓટોમોટિવ વ્હિલ ડિસેમેન્ટલીંગનું કાર્ય વૈજ્ઞાનિક સિસ્ટમથી વ્યવસ્થિત કરવામાં આવે તે જરૂરી છે . ગુજરાતની એન્જીનીયરીંગ કોલેજોમાં તથા પોલિટેકનીકલમાં ઓટો એન્જીનીયરીંગનો કોર્સ ચાલે છે . અલંગમાંથી મળતા સિન્થેટિક રબ્બર તથા ઓટો - વાહનોમાં ટાયરોને સ્ક્રેપ કરી તેમાંથી ઓઈલ તથા કૃત્રિમ ચારકોર કોલસો બનાવવાના રીસાયકલ પ્લાન્ટ યુરોપ અમેરિકામાં ચાલી રહ્યા છે . બેસ્ટોન મશીનરી કંપની આ પ્રકારના પ્લાન્ટ બનાવે છે . અલંગ નજીક આવા પ્લાન્ટ સ્થાપિત કરી શકાય .
આવા પ્લાન્ટમાં ટાયરનો એક મશીનમાં નાખીને બારીક ભૂકો કરવામાં આવે છે આ ભૂકાને પ્રોસેસ કરી તેમાંથી ઓઇલ તથા ખનીજ તેલ ખૂબ જ સહેલાઈથી બનાવી શકાય એમ છે તો આપણું અલંગ માત્ર લોખંડના ઋતુ જ મર્યાદિત ન રહેતા ખનીજ તેલ તથા ચારકોલ કોલસા ના ઉત્પાદનનું પણ હબ બની શકે તેમ છે આ ખાસ પ્રકારનું કાળો ઓઇલ શુદ્ધ કરીને તેમાંથી અનેક પ્રકારના રસાયણો થતા પેટ્રોલ કેમિકલ્સ બનાવી શકાય તેમ છે ભાવનગર આ માટે સાનુકૂળ સ્થળ છે અહીં ઓટોડીસમેન્ટલના ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે ત્યારે સાથોસાથ આવજો પણ જો શરૂ થાય તો તે માત્ર ભાવનગરને જ નહીં પરંતુ ગુજરાતને માટે એક નવી શરૂઆત હશે.
મહા શક્તિ ના આરાધના પર્વમાં માતા ભારતીના ભાથા માં એક ભયાનક શસ્ત્ર ઉમેરવામાં આવ્યું એ શસ્ત્ર નું નામ છે પ્રંચડ.જેના નામ માત્ર થી પાકિસ્તાન અને ચીના માં ખળભળાટ મચી ગયો છે
ચીન-પાક.ની એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો કરવા સક્ષમ 10 હેલિકોપ્ટર એરફોર્સ અને આર્મીમાં સામેલ કરવામાં આવ્યા છે આ હેલીકૉપટર 6500 મીટરની ઉંચાઇ પરથી 700 કિમી દુર ટાર્ગેટનો નાશ કરવા સક્ષમછે. 'પ્રચંડ'ની રેન્જ અમેરિકાના અપાચે કરતાં પણ વધુ છે. આ પ્ર્સંગે રાજનાથસિંગે કહ્યું હતું કે નવરાત્રીના પર્વમાં યૌદ્ધાઓની ભૂમિ રાજસ્થાનમાં પ્રચંડને એરફોર્સને સોંપવાનો આનાથી સારો અવરસ બીજો કોઇ નહીં :
ભારતીય સેના (Indian Army)ને સત્તાવાર રીતે તેનું પ્રથમ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર મળ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે આ હેલિકોપ્ટર સેનાને સોંપ્યું છે. હવે સેના તેમને જોધપુરમાં પાકિસ્તાન બોર્ડર પાસે તૈનાત કરશે. આ જમાવટ 3 ઓક્ટોબર 2022ના રોજ થાય તેવી શક્યતા છે. જાણો આનાથી સેનાને કેટલો ફાયદો થશે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ 29 સપ્ટેમ્બર 2022 ના રોજ ભારતીય સેના(Indian Army)ને સ્વદેશી નિર્મિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) સોંપ્યું. HAL એ આર્મી એવિએશન કોર્પ્સ (Army Aviation Corps)ના ડિરેક્ટર જનરલને સોંપ્યું. સેના ક્યાં તૈનાત કરશે? હજુ સુધી તેનો ખુલાસો થયો નથી. પરંતુ 3 ઓક્ટોબરે આ ઘાતક હેલિકોપ્ટરની એક ટુકડી જોધપુર બેઝ પર તૈનાત થવા જઈ રહી છે. ચાલો જાણીએ આનાથી શું ફાયદો થશે?
જોધપુર ખાતે (LCH)સ્ક્વોડ્રન તૈનાત થવાથી પાકિસ્તાન બોર્ડર પર દેખરેખ સરળ બનશે. આતંકવાદીઓની ઘૂસણખોરી અટકશે. આ પહેલા ભારતીય સેનાએ થોડા મહિના પહેલા બેંગ્લોરમાં આ હેલિકોપ્ટરની સ્ક્વોડ્રન બનાવી હતી. બાદમાં તેને ચીનની સરહદ નજીકના એરબેઝ પર પણ તૈનાત કરવામાં આવશે. સેના વધુ 95 એલસીએચ ખરીદશે. આના સાત યુનિટ બનાવવામાં આવશે. જેને સાત અલગ-અલગ પર્વતીય વિસ્તારો પર તૈનાત કરવામાં આવશે.
LCHમાં બે લોકો બેસી શકે છે. તે 51.10 ફૂટ લાંબુ, 15.5 ફૂટ ઊંચું છે. તમામ એસેસરીઝ સાથે તેનું વજન 5800 કિલોગ્રામ રહે છે. 700 કિલો વજનના હથિયારો લગાવી શકાય છે. તે મહત્તમ 268 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની રેન્જ 550 કિમી છે. તે એક સમયે 3 કલાક 10 મિનિટ સુધી સતત ઉડી શકે છે. મહત્તમ 6500 ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે.
ધ્રુવ હેલિકોપ્ટરમાંથી જ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર વિકસાવવામાં આવ્યું છે. તેની જરૂરિયાત 1999માં કારગીલ યુદ્ધ દરમિયાન અનુભવાઈ હતી. આ હેલિકોપ્ટર ભારતના દરેક વિસ્તારમાં ઉડવાની ક્ષમતા ધરાવે છે. સિયાચીન હોય કે 13 હજારથી 15 હજાર ફૂટ ઉંચા હિમાલયના પર્વતો. અથવા રણ અથવા જંગલ.
હળવા કોમ્બેટ હેલિકોપ્ટરને 20 mm M621 કેનન અથવા નેક્સ્ટર THL-20 ટરેટ ગન સાથે ફીટ કરી શકાય છે. રોકેટ, મિસાઈલ કે બોમ્બ ચાર હાર્ડપોઈન્ટમાં ફીટ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, 4x12 FZ275 LGR એટલે કે લેસર ગાઇડેડ રોકેટ તેમાં તૈનાત કરી શકાય છે. તેઓ હવાથી સપાટી અને હવાથી હવામાં અથડાવામાં સક્ષમ છે. એર-ટુ-એર 4x2 મિસ્ટ્રલ મિસાઇલો તૈનાત કરી શકે છે. 4x4 ધ્રુવસ્ત્ર એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ. આ સિવાય ક્લસ્ટર મ્યુનિશન, અનગાઈડેડ બોમ્બ અને ગ્રેનેડ લોન્ચર લગાવી શકાય છે.
આ હેલિકોપ્ટરમાં એવીઓનિક્સથી દુશ્મનો છુપાઈ શકતા નથી. ન તો હુમલો કરી શકે છે. તે પહેલાથી જ દુશ્મનનું લક્ષ્ય બતાવે છે. રડાર અને લેસર વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. દુશ્મન મિસાઇલો અને રોકેટોને નિષ્ફળ બનાવવા માટે રસોઇયા અને ફ્લેર ડિસ્પેન્સર્સ પણ છે. એલસીએચ હેલિકોપ્ટરના આગમન સાથે, જૂના Mi-35 અને Mi-25 હેલિકોપ્ટરને દૂર કરવામાં આવશે. આ બંને હેલિકોપ્ટર રશિયા દ્વારા બનાવવામાં આવ્યા છે. તેમની એક સ્ક્વોડ્રનને વિખેરી નાખવામાં આવી છે. તેમની જગ્યાએ અપાચે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે. ભારતમાં જ બનાવવામાં આવેલા પ્રથમ સ્વદેશી યુદ્ધ હેલિકોપ્ટર પ્રચંડને ભારતીય એરફોર્સ અને ભૂમિદળમાં સામેલ કરી દેવામાં આવ્યું છે. ચીન અને પાકિસ્તાન સરહદે આ વિમાનને તૈનાત કરવામાં આવશે. વજનમાં હળવુ પણ દુશ્મનો માટે ખતરનાક (એલસીએચ) પ્રકારનું હેલિકોપ્ટર મળવાથી સૈન્યની ક્ષમતામાં વધારો થયો છે. રાજસ્થાનના જોધપુરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને એરફોર્સના એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની ઉપસ્થિતિમાં આવા ૧૦ હેલિકોપ્ટરને સોપવામાં આવ્યા છે.. આ દરમિયાન રાજનાથસિંહે આ હેલિકોપ્ટરમાં બેસીને ઉડાન પણ ભરી હતી.
દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે આ સ્વદેશી લડાકુ હેલિકોપ્ટરથી ન માત્ર દેશની સુરક્ષા વધુ મજબુત બનશે સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે. નવરાત્રીના પર્વ નિમિત્તે જ યોદ્ધાઓની ભૂમિ રાજસ્થાનથી આ હેલિકોપ્ટરને એરફોર્સમાં સામેલ કરવાનો આનાથી વધુ સારો સમય બીજો ન હોઇ શકે. એરફોર્સના ચીફ ચૌધરીએ કહ્યું હતું કે આ હેલિકોપ્ટરોએ હિમાલયના પહાડોમાં પણ પોતાની ક્ષમતાને સાબિત કરી બતાવી છે. આ હેલિકોપ્ટરની ખાશિયત એ પણ છે કે તે દરેક ઋતુમાં દુશ્મનોનો સામનો કરી શકે છે. સાથે જ આ હેલિકોપ્ટરની ક્ષમતા એટલી છે કે તે દુશ્મન દેશોની એર ડિફેન્સ સિસ્ટમનો પણ ખાતમો કરી શકે છે.
એવા દાવા થઇ રહ્યા છે કે પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ છે. રેંજની બાબતમાં અપાચે કરતા પ્રચંડ વધુ સક્ષમ માનવામાં આવે છે. અમેરિકાના અપાચે હેલિકોપ્ટરની ટોપ સ્પીડ પ્રતિ કલાક ૨૯૫ કિમી છે જ્યારે પ્રચંડની ક્ષમતા પ્રતિ કલાક ૨૮૦ કિમીની માનવામાં આવે છે. પ્રચંડ હેલિકોપ્ટર જમીનથી ૬૫૦૦ મીટરની ઉંચાઇ પર હોય તો ત્યાંથી પણ ૭૦૦ કિમી દુર ટાર્ગેટનો નાશ વાળી શકે છે. જ્યારે અપાચે હેલિકોપ્ટર ૬૪૦૦ મીટરની ઉંચાઇએથી માત્ર ૪૮૦ કિમી દુર જ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. તેથી હુમલાની રેંજની બાબતમાં ભારતમાં બનેલા પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ માનવામાં આવે છે. હાલ ૧૦ પ્રચંડ હેલિકોપ્ટર્સ આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં અને એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીની હાજરીમાં ભારતીય વાયુસેનાને જોધપુરમાં અર્પણ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન અને ચીનની સરહદો પહાડી પણ હોવાથી ત્યાં આ હેલિકોપ્ટર વધુ કામ આવશે. કેમ કે આ હેલિકોપ્ટરની રેંજ અન્ય હેલિકોપ્ટર કરતા વધુ છે. આ હેલિકોપ્ટર્સ મુખ્ય એરો સ્પેસ કંપની 'હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ' એચએએલ દ્વારા બનાવવામાં આવ્યા છે.
'પ્રચંડ' હેલિકોપ્ટરની ખાસિયતો
'પ્રચંડ' રાત્રે પણ હુમલો કરી શકે છે, ચીન સામે વધુ ઘાતક સાબિત થશે
વાયુ-સેનાના અધિકારીઓનું કહેવું છે કે આ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સ ધુ્રવ સાથે સમાનતા રાખે છે તેમાં 'સ્ટીલ્ધ' ક્ષમતા (રડારથી બચવાની ક્ષમતા), વિશિષ્ટ બખ્તરબંધ સંરક્ષણ પ્રણાલિ રાત્રે પણ કાર્યરત રહી આક્રમણ કરવાની ક્ષમતા છે. તેથી રાત્રે પણ દુશ્મન ટુકડીઓને શોધી તેની ઉપર આક્રમણ કરી શકે તેમ છે. તેમાં ૫.૮ટન વજનના બે એન્જિનો છેજે બે પ્રોપેલર્સને ગતિ આપે છે. તેમાં જે વિવિધ શસ્ત્રો છે તેનાં ફાયરીંગનું પરીક્ષણ તો થઈ ચૂક્યું છે.
- રૂા. ૩૮૮૭ કરોડના ખર્ચે આવા ૧૫ હેલિકોપ્ટર્સ વાયુ સેના માટે ખરીદવાની માર્ચમાં જ મંજૂરી આપી દીધી હતી. આજે જે ૧૦ હેલિકોપ્ટર્સ સામેલ કરાયા છે તે પૈકી પાંચ વાયુ સેના માટે અને પાંચ ભૂમિદળ માટે છે.
હેલિકોપ્ટર્સમાં તેવી કેટલીય વિશેષતાઓ છે જે સેનાને યુદ્ધ દરમિયાન ઘણી ઉપયોગી નીવડે તેમ છે. તે દુશ્મનને શોધવામાં તથા પોતાના બચાવમાં તથા દુશ્મનની વાયુ સુરક્ષા નષ્ટ કરવામાં પણ ઉપયોગી બને છે તેમજ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં પણ ઉપયોગી બની શકે છે.
આ હેલિકોપ્ટર ઉંચાઈવાળા પ્રદેશોમાં પણ 'બંકર બસ્ટિંગ ઑપરેશન' તેમજ શહેરોમાં તથા જંગલોમાં પણ આતંકવાદ વિરોધી અભિયાનોમાં સેનાને સહાય કરવા ઉપયોગમાં લઈ શકાય તેમ છે.
હેલિકોપ્ટરની ડિઝાઇન ભારતીય સરહદોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. હલકા વજનને કારણે વધુ ઉંચાઇ પરથી હુમલો કરવામાં સક્ષમ છે. હેલિકોપ્ટરનું ટેસ્ટિંગ લદ્દાખમાં પણ થઇ ચુક્યું છે. એર ટુ એર અટેક માટે મિસાઇલો, ૨૦ એમએમની ટરેટ ગન્સ, રોકેટ સિસ્ટમ અને અન્ય ઘાતક હથિયારો છે. ચીનના ડ્રોનને મિસાઇલથી આ હેલિકોપ્ટર તોડી શકે છે. સાથે જ ચીનની ટેંકોનો પણ નાશ કરી શકે છે.
હેલિકોપ્ટરને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે ઇમર્જન્સી લેન્ડિંગ સમયે કે ક્રેશ વખતે હેલિકોપ્ટરને વધુ નુકસાન નહીં થાય.
એચએએલ પ્રચંડ ( IPA: prəcəɳɖ , lit. "Fierce" ) એ એક ભારતીય મલ્ટિ-રોલ, લાઇટ એટેક હેલિકોપ્ટર છે જે પ્રોજેક્ટ LCH હેઠળ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું છે . [૨] ભારતીય વાયુસેના અને ભારતીય સેના દ્વારા તેનો આદેશ આપવામાં આવ્યો છે . તેની ઉડાન ટોચમર્યાદા વિશ્વના તમામ એટેક હેલિકોપ્ટરોમાં સૌથી વધુ છે. [૩]
એલસીએચ પ્રચંડના વિકાસની સાચી પ્રેરણા કારગીલ યુદ્ધના સ્વરૂપમાં આવી હતી, જે 1999માં ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે લડાયેલો સંઘર્ષ હતો, જેણે જાહેર કર્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળો પાસે ઉચ્ચ-ઉંચાઈ પર અનિયંત્રિત રીતે ચલાવવા માટે સક્ષમ સશસ્ત્ર રોટરક્રાફ્ટનો અભાવ હતો. થિયેટર [૪] તદનુસાર, એચએએલ અને ભારતીય સશસ્ત્ર દળોએ આ ભૂમિકા ભજવવા માટે લડાયક હેલિકોપ્ટરની કલ્પના તરફ સંશોધનાત્મક પ્રયાસો શરૂ કર્યા. 2006 દરમિયાન, કંપનીએ જાહેરાત કરી હતી કે તેણે આવા રોટરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે એક વિકાસ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેને ફક્ત LCH અથવા લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. મૂળરૂપે, LCH પ્રારંભિક ઓપરેટિંગ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે અપેક્ષિત હતું(IOC) ડિસેમ્બર 2010 સુધીમાં, જો કે આ પ્રકારનો વિકાસ લાંબો હતો અને ઘણા વિલંબને આધીન હતો, જેમાંથી કેટલાક સપ્લાયર્સને આભારી હતા.
એલસીએચ પ્રચંડે એચએએલ, એએલએચ ધ્રુવ દ્વારા વિકસિત અને ઉત્પાદિત અગાઉના સ્વદેશી હેલિકોપ્ટર પર વ્યાપકપણે દોર્યું હતું ; આ રોટરક્રાફ્ટનો પ્રારંભિક બિંદુ તરીકે ઉપયોગ કરવાથી પ્રોગ્રામની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. [૫] 29 માર્ચ 2010ના રોજ, પ્રથમ LCH પ્રોટોટાઇપે તેની પ્રથમ ઉડાન ભરી હતી . કુલ ચાર પ્રોટોટાઇપનો સમાવેશ કરતો એક વ્યાપક પરીક્ષણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ પરીક્ષણો દરમિયાન, એલસીએચએ સિયાચીનમાં ઉતરાણ કરનાર પ્રથમ એટેક હેલિકોપ્ટર બનવાનું ગૌરવ મેળવ્યું., વારંવાર અનેક ઊંચાઈવાળા હેલિપેડ પર ઉતર્યા, જેમાંથી કેટલાક 13,600 ફીટ (4145 મીટર) થી 15,800 ફીટ (4815 મીટર) જેટલા ઊંચા છે. 2016ના મધ્યમાં, LCH એ તેના પરફોર્મન્સ ટ્રાયલ પૂર્ણ કર્યા તરીકે ઓળખવામાં આવી હતી, જે તેના મૂળભૂત રૂપરેખાંકનના પ્રમાણપત્ર માટે માર્ગ મોકળો કરે છે. 26 ઓગસ્ટ 2017ના રોજ, પ્રચંડના મર્યાદિત શ્રેણીના ઉત્પાદનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 19 નવેમ્બર 2021 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઔપચારિક રીતે IAF એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીને LCH સોંપ્યું , સંપૂર્ણ સ્કેલ ઇન્ડક્શનનો માર્ગ સાફ કર્યો. [૬] 3 ઓક્ટોબર 2022ના રોજ, LCH ને ઔપચારિક રીતે IAF માં સામેલ કરવામાં આવ્યું અને તેનું અધિકૃત નામ "પ્રચંદ" રાખવામાં આવ્યું. [7]
સુરેશ ભટ્ટ
તમને જ બનાવાયેલ લાઈટ કોમ્બેટલિક હેલિકોરને આજે વાયુસેનામાં તમારી ખાતરી કરવા માટે આવ્યા છે.
આજે જો ભારત રાજનાથ એરે સિંહના હસ્તેધપુર ફોર્સ સ્ટેશન પરલિકોપ્ટર સ્પોટ્રેશનને વાયુસેના જણાવવામાં આવ્યા હતા. અન્ય વણાલા આ હડકવા પણ મારકણાલિકોપ્ટર્સની ખાસિયતો જેવી છે.
ભારત સરકારિક્સની કંપની હિન્દુસ્તાન એરોનોટ લિમિટેડ દ્વારા આ હેલિકોપ્ટરને બનાવવામાં આવ્યુ છે. ખાસ કરીને ઉમાઈવાળા લોકો તૈનાત યુદ્ધ દેશથી તેને ડિઝાઈન કરાયુ છે.તેનુ વજન 5.8 ટન અને તે બે એન્જિન ધરાવે છે.