Showing posts with label તંત્રી લેખ ગુજરાતી. Show all posts
Showing posts with label તંત્રી લેખ ગુજરાતી. Show all posts

Tuesday, February 13, 2024

કતાર ભારત રિલેશન


 તંત્રીલેખ.તા13.2.24

આંતરરાષ્ટ્રીય મંચ પર મોદીની હાંક વાગે છે.

++++++++++++++

અષ્ટાંગયોગમાં મહર્ષિ પતંજલિ કહે છે કે સંકલ્પ થકી સિદ્ધિ પ્રાપ્ત થાય. સંકલ્પ થકી રામનું ભવ્ય મંદિર સાકાર થયું. સંકલ્પ થકી કતાર જેવા મુસ્લિમ દેશ કે જે આતંકવાદનો અડ્ડો છે ત્યાંથી આપણા નેવીના ભૂતપૂર્વ સૈનિકોને ફાંસીના માચડા પરથી ઉતરાવીને સ્વદેશની ધરતી પર લાવ્યા. આથી દુનિયા તાજૂબ થઈ ગઈ કે હવે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારતના વડાપ્રધાનની હાંક વાગે છે!

દુબઈમાં ગયા વર્ષના અંતે ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ 28 ની બેઠક મળી હતી

એ વખતે દુબઈમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બીન હમદ અલ-થાની સાથે વન-ટુ-વન બેઠક થઇ હતી. એ વખતે બંને નેતાઓ વચ્ચે ભારતીય નાગરિકોને મુક્તિ મુદ્દે ચર્ચા થઈ હતી.

ને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતના નાગરિકો સહી સલામત રહેવા જોઈએ. મુસ્લિમ દેશોની ધરતી પર જઈને તેમને આ રીતે સ્પષ્ટ રીતે કહેવું અને સામા દેશના વડા એ વાતનો સ્વીકાર કરે ને એનો અમલ પણ કરે એ ભારતનો પ્રભાવ છે. જે આપણા માટે ગૌરવની વાત છે.

 કતાર અત્યંત સમૃદ્ધ દેશ છે. ભારત અને કતારના સંબંધો સતત વધતા રહ્યા છે. ભારત અને કતાર વચ્ચે સત્તાવાર રાજકીય સંબંધોની શરૂઆત ૧૯૭૩માં થઈ હતી. છેલ્લા થોડા સમયમાં બંને દેશ વચ્ચે વેપાર સહિત તમામ ક્ષેત્રે સંબંધોમાં વધારો થયો છે. આપણો દેશ આપણી જરૂરિયાતના ૯૦ ટકા ગેસની ખરીદી કતાર પાસેથી કરે છે. કતારમાં ભારતના સાડા છ લાખ લોકો કામ કરી રહ્યા છે. કતારની સરકાર પણ એવું કહી ચૂકી છે કે, કતારના વિકાસમાં ભારતીયોનું મોટું યોગદાન છે. કતાર સમૃદ્ધ દેશ છે એની ના નહીં પણ માત્ર નાણાંથી બધું થતું નથી, તેના માટે મેનપાવરની મોટી આવશ્યક્તા રહે છે. કતારમાં ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરનારાઓમાં ભારતીયોની સંખ્યા મોટી છે. જો કતાર જેવો દેશ ભારતનું ન માને તો ભારત તેનો પાવર પાછો ખેંચી લે તો કતાર જેવો સમૃદ્ધ દેશ પણ ત્રણ દાયકા પાછળ ધકેલાઈ જાય એ પણ એક હકીકત છે અને આ વસ્તુ આ મુસ્લિમ કન્ટ્રી ના રાજનેતાઓ સારી રીતે જાણે છે આથી ભારત સાથેના સંબંધો ખરાબ થાય તેવો તે કોઈ સંજોગોમાં ઈચ્છે નહીં તે એક હકીકત છે.


કતારની કંપનીઓને પણ બીજા દેશો કરતાં ભારતીય ટેલેન્ટ પર વધુ ભરોસો છે. કતારના અમીર તમીમ બીન હમદ વર્ષ ૨૦૧૫માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૦૧૬માં કતારની મુલાકાતે ગયા હતા. બંને દેશોએ દર વખતે સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવાની વાત કરી છે અને બંને દેશના વર્તનમાં એ દેખાઈ પણ રહ્યું છે.


કતાર એક વાત સારી રીતે જાણે છે કે, ભારતીય નાગરિકોને ફાંસીની સજા

કતારમાં મોતની સજા પામેલા ભારતીય નૌસેનાના આઠ ભૂતપૂર્વ અધિકારીઓની મુક્તિ એ ભારતની મોટી કૂટનીતિક જીત છે. આખી ઘટનામાં પહેલેથી જ ભારત સરકાર સક્રિય રહી હતી. છુટકારો પામનારા અધિકારીઓએ કહ્યું કે, મોદી હૈ તો મુમકીન હૈ

ભારત અને કતારના સંબંધો સારા રહ્યા છે. ભારત સાથે સંબંધોમાં કોઈ ઓટ ન આવે એની પરવા કતારને પણ છે. કતાર અનેક વિવાદો સાથે સંકળાયેલું છે. તેને પણ ખબર છે કે, આપણને જરૂર પડશે ત્યારે ભારત આપણી પડખે ઊભું રહેશે

કતારની અદાલતે જ્યારે પોતાના દેશમાં

ફરજ બજાવતા ભારતીય નૌસેનાના આઠ २ ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા ફરમાવી ત્યારે હોબાળો મચી ગયો હતો. કતાર કાયદાના અમલ માટે અને કોઇ બાંધછોડ ન કરવા માટે દુનિયામાં જાણીતું છે. એના કારણે જ એ સવાલ ઊઠ્યો હતો કે, શું ભારતના આઠ લોકો હવે જીવતેજીવત પાછા નહીં આવે? અલબત્ત, જાણકાર લોકો એવું કહેતા હતા કે, ભલે ગમે તે હોય, ભારત સરકાર આઠેઆઠ લોકોને હેમખેમ છોડાવી લાવશે. આખરે એવું જ થયું છે. કતારની સરકારે ભારતના આઠે આઠ નાગરિકોને મુક્ત કરી દીધા છે. આ આઠમાંથી સાત તો પાછા ભારત પણ આવી ગયા છે. આવતાંવેંત તેમણે જે વાત કરી તેનો સાર એક જ હતો કે, મોદી હૈ તો મુમકીન હૈ! દે કતારની કોર્ટે જ્યારે આઠ ભારતીયોને મોતની સજા ફરમાવી ત્યારથી આપણી સરકાર એક્ટિવ થઈ ગઇ હતી. કાનૂની રીતે જે થઇ શકે એ તો શરૂ થઇ ગયું જ હતું પણ આવા કિસ્સામાં કાયદા કરતાં કૂટનીતિ વધુ કામ કરતી હોય છે. ભારત સરકારના પ્રયાસોથી ફાંસીની સજા આજીવન કેદની સજામાં તો અગાઉ જ પરિવર્તિત કરી દેવામાં આવી હતી. એ પછી આઠેયની મુક્તિ અને ભારત વાપસીના પ્રયાસો શરૂ થયા હતા. આખરે એ પણ શક્ય બની ગયું છે. સૌથી મોટી વાત એ પણ છે કે, બહુ ઓછા સમયમાં બધું કામ પૂરું થઈ ગયું, બાકી આવી ઘટનાઓમાં વર્ષો વીતી જતાં હોય છે. કતારે પણ આ નિર્ણયથી એ સાબિતી આપી છે કે, અમારા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વના છે

Suresh bhatt

તા.13.2.24

Monday, January 30, 2023

તંત્રીલેખ 30 જાન્યુ 23
 સાવરકર અને બાળાસાહેબને ભૂલી ગઈ મોદી સરકાર : રાઉત
 સ્વતંત્રતા સેનાની વીર સાવરકર અને શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેને ભારત રત્ન ને આપવા બદલ સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. સંજય રાઉતે મુલાયમ સિંહ યાદવને મહાન નેતા કહ્યાં પરન્તુ તેમને પદ્મ વિભૂષણ આપવાનો વિરોધ કર્યો હતો અને તેમને કાર સેવકોના હત્યારા ગણાવ્યા હતા. 
મુલાયમ સિંહ યાદવની રાજકીય કારકિર્દી ઘણી શાનદાર રહી છે. 1977માં તેઓ જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત યુપીના મંત્રી બન્યા હતા, જ્યારે 1989માં તેઓ પ્રથમ વખત યુપીના સીએમ બન્યા હતા. આ પછી 1993 અને પછી 2003 તેઓ બીજી અને ત્રીજી વખત સીએમ બન્યા હતા. મુલાયમ સિંહે 1992માં સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને 1993માં BSP સાથે મળીને સરકાર બનાવી હતી. તેમના પુત્ર અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ તેઓ તેના સંરક્ષકની જવાબદારી નિભાવી.
મુલાયમસી યાદવ અને તેનો પુત્ર અખિલેશ હિંદુત્વના વિરોધીઓ છે તેમને ભારત રત્ન અપાય નહીં તેવું મહારાષ્ટ્રના પ્રધાનોને લાગે છે.
આ મુદ્દે રાઉતે ભાજપ અને શિંદે જૂથ પર નિશાન સાધ્યું હતું. રાઉતે કહ્યું, કાર સેવકો પર ગોળીબાર કરનાર મુલાયમ સિંહ યાદવ, જેમને ભાજપ મૌલાના મુલાયમકહેતી હતી, તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જો કે, આ એવોર્ડ બે હિંદુ- હૃદય સમ્રાટો, વીર સાવરકર અને શિવસેના પ્રમંખ બાળાસાહેબ ઠાકરેને આપવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું, ઘણા લોકોને ગણતંત્ર દિવસ પર પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક નામ સંઘ પરિવાર સાથે જોડાયેલા છે. જોકે, તેની સામે વાંધો ઉઠાવવાનું કોઈ કારણ નથી.
અખૂટ રાષ્ટ્રવાદને જીવન સમર્પિત કરનાર, રાષ્ટ્રવાદનાં આ ભીષ્મપિતામહ મહામાનવે વીરભોગ્ય વસુંધરા. ફક્ત વીરોને માટે જ વિશ્વ છે. એ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું અને આપણા ભારતનાં ઉજ્જવળ રાજકીય તથા સાંસ્કૃતિક પુનઃઉત્થાનનાં ઇતિહાસમાં સદીઓ સુધી ભાવિ પેઢીનો સતત તેજપૂંજ પાથરતી દીવાદાંડી જેવું સનાતન સ્થાન પ્રાપ્ત કરેલ છે.
સ્વાતંત્ર્યસેનાની, પ્રખર ક્રાંતિકારક, કટ્ટર હિંદુત્વવાદી, અગ્રણી સાહિત્યકાર તથા સમાજસુધારક. નિકટના વર્તુળમાં તાત્યારાવઉપનામથી જાણીતા હતા.
એક ચિંતનશીલ, ધ્યેયનિષ્ઠ સાહિત્યકાર તથા કવિ તરીકે મરાઠી સાહિત્યમાં તેમનું સ્થાન મોખરાનું છે. કમલામહાકાવ્ય ઉપરાંત તેમની સ્ફુટ કાવ્યરચનાઓ સંગ્રહબદ્ધ થયેલી છે. ગદ્યસાહિત્યમાં માઝી જન્મઠેપ(ગુજરાતી અનુવાદ મારી જનમટીપ) તથા 1857નો સ્વાતંત્ર્યસંગ્રામતેમના જાણીતા ગ્રંથો છે.
આવી ધગધગતી રાષ્ટ્રભક્તિ ધરાવતાં વીરપુરુષનાં જીવનચરિત્ર તથા તેમનાં કાર્યો શકાય તેવા નથી
ઝઝક્સક્સ
બાલ ઠાકરેને હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા આવતા હતા. તેમનું જોયા વગર ભાષણ આપવાનું લોકોને પંસદ હતું., લાખો લોકોના ટોળાઓ તેઓને સાંભળવા માટે એકત્ર થતા હતા.
1980 ના દાયકામાં બાલ ઠાકરેએ મુસ્લિમો વિશે કહ્યું હતું કે તેઓ કેન્સરની જેમ ફેલાઈ રહ્યા છે અને દેશને તેમનાથી બચાવવા જોઈએ.
 બાલ ઠાકરેની એક ખાસ વાત હતી કે તે ક્યારેય કોઈને મળવા નહોતો ગયા જેને મળવું છે, જાતે ઘરે આવું પડે. ભારતની દરેક મોટી હસ્તી તેમણે મળવા તેમના મુંબઈના ઘરે માતોશ્રીમાં જતા હતા.બોલિવૂડના મોટા કલાકારો તેના ઘરે બિયર પીવા અને મળવા આવતા હતા.જેમ કે નરેન્દ્ર મોદી, માઇકલ જેક્સન.વી.તેઓ
1992 માં, જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી, ત્યારે બાલ ઠાકરે આપ કી અદાલતના શો પર હતા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓએ સાંભળ્યું છે કે આ કામ શિવસનીકોએ કર્યું છે. તો તેમણે કહ્યું કે જો શિવ સૈનિકોએ આ કાર્ય કર્યું છે તો તે ગૌરવની વાત છે.
 સંજય રાઉતે આરએસએસના નેતાઓને પદ્મ વિભૂષણ આપવાનું સમર્થન કર્યું હતું. અને કહ્યું હતું કે આ કામ પ્રશંસનીય છે. જ્યારે અયોધ્યા આંદોલન વખતે મુલાયમે કારસેવકો પર ગોળીઓ ચલાવી હતી.