તંત્રીલેખ.તા13.2.24
આંતરરાષ્ટ્રીય મંચ પર મોદીની હાંક વાગે છે.
++++++++++++++
અષ્ટાંગયોગમાં મહર્ષિ પતંજલિ કહે છે કે સંકલ્પ થકી સિદ્ધિ પ્રાપ્ત થાય. સંકલ્પ થકી રામનું ભવ્ય મંદિર સાકાર થયું. સંકલ્પ થકી કતાર જેવા મુસ્લિમ દેશ કે જે આતંકવાદનો અડ્ડો છે ત્યાંથી આપણા નેવીના ભૂતપૂર્વ સૈનિકોને ફાંસીના માચડા પરથી ઉતરાવીને સ્વદેશની ધરતી પર લાવ્યા. આથી દુનિયા તાજૂબ થઈ ગઈ કે હવે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારતના વડાપ્રધાનની હાંક વાગે છે!
દુબઈમાં ગયા વર્ષના અંતે ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ 28 ની બેઠક મળી હતી
એ વખતે દુબઈમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બીન હમદ અલ-થાની સાથે વન-ટુ-વન બેઠક થઇ હતી. એ વખતે બંને નેતાઓ વચ્ચે ભારતીય નાગરિકોને મુક્તિ મુદ્દે ચર્ચા થઈ હતી.
ને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતના નાગરિકો સહી સલામત રહેવા જોઈએ. મુસ્લિમ દેશોની ધરતી પર જઈને તેમને આ રીતે સ્પષ્ટ રીતે કહેવું અને સામા દેશના વડા એ વાતનો સ્વીકાર કરે ને એનો અમલ પણ કરે એ ભારતનો પ્રભાવ છે. જે આપણા માટે ગૌરવની વાત છે.
કતાર અત્યંત સમૃદ્ધ દેશ છે. ભારત અને કતારના સંબંધો સતત વધતા રહ્યા છે. ભારત અને કતાર વચ્ચે સત્તાવાર રાજકીય સંબંધોની શરૂઆત ૧૯૭૩માં થઈ હતી. છેલ્લા થોડા સમયમાં બંને દેશ વચ્ચે વેપાર સહિત તમામ ક્ષેત્રે સંબંધોમાં વધારો થયો છે. આપણો દેશ આપણી જરૂરિયાતના ૯૦ ટકા ગેસની ખરીદી કતાર પાસેથી કરે છે. કતારમાં ભારતના સાડા છ લાખ લોકો કામ કરી રહ્યા છે. કતારની સરકાર પણ એવું કહી ચૂકી છે કે, કતારના વિકાસમાં ભારતીયોનું મોટું યોગદાન છે. કતાર સમૃદ્ધ દેશ છે એની ના નહીં પણ માત્ર નાણાંથી બધું થતું નથી, તેના માટે મેનપાવરની મોટી આવશ્યક્તા રહે છે. કતારમાં ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરનારાઓમાં ભારતીયોની સંખ્યા મોટી છે. જો કતાર જેવો દેશ ભારતનું ન માને તો ભારત તેનો પાવર પાછો ખેંચી લે તો કતાર જેવો સમૃદ્ધ દેશ પણ ત્રણ દાયકા પાછળ ધકેલાઈ જાય એ પણ એક હકીકત છે અને આ વસ્તુ આ મુસ્લિમ કન્ટ્રી ના રાજનેતાઓ સારી રીતે જાણે છે આથી ભારત સાથેના સંબંધો ખરાબ થાય તેવો તે કોઈ સંજોગોમાં ઈચ્છે નહીં તે એક હકીકત છે.
કતારની કંપનીઓને પણ બીજા દેશો કરતાં ભારતીય ટેલેન્ટ પર વધુ ભરોસો છે. કતારના અમીર તમીમ બીન હમદ વર્ષ ૨૦૧૫માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૦૧૬માં કતારની મુલાકાતે ગયા હતા. બંને દેશોએ દર વખતે સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવાની વાત કરી છે અને બંને દેશના વર્તનમાં એ દેખાઈ પણ રહ્યું છે.
કતાર એક વાત સારી રીતે જાણે છે કે, ભારતીય નાગરિકોને ફાંસીની સજા
કતારમાં મોતની સજા પામેલા ભારતીય નૌસેનાના આઠ ભૂતપૂર્વ અધિકારીઓની મુક્તિ એ ભારતની મોટી કૂટનીતિક જીત છે. આખી ઘટનામાં પહેલેથી જ ભારત સરકાર સક્રિય રહી હતી. છુટકારો પામનારા અધિકારીઓએ કહ્યું કે, મોદી હૈ તો મુમકીન હૈ
ભારત અને કતારના સંબંધો સારા રહ્યા છે. ભારત સાથે સંબંધોમાં કોઈ ઓટ ન આવે એની પરવા કતારને પણ છે. કતાર અનેક વિવાદો સાથે સંકળાયેલું છે. તેને પણ ખબર છે કે, આપણને જરૂર પડશે ત્યારે ભારત આપણી પડખે ઊભું રહેશે
કતારની અદાલતે જ્યારે પોતાના દેશમાં
ફરજ બજાવતા ભારતીય નૌસેનાના આઠ २ ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા ફરમાવી ત્યારે હોબાળો મચી ગયો હતો. કતાર કાયદાના અમલ માટે અને કોઇ બાંધછોડ ન કરવા માટે દુનિયામાં જાણીતું છે. એના કારણે જ એ સવાલ ઊઠ્યો હતો કે, શું ભારતના આઠ લોકો હવે જીવતેજીવત પાછા નહીં આવે? અલબત્ત, જાણકાર લોકો એવું કહેતા હતા કે, ભલે ગમે તે હોય, ભારત સરકાર આઠેઆઠ લોકોને હેમખેમ છોડાવી લાવશે. આખરે એવું જ થયું છે. કતારની સરકારે ભારતના આઠે આઠ નાગરિકોને મુક્ત કરી દીધા છે. આ આઠમાંથી સાત તો પાછા ભારત પણ આવી ગયા છે. આવતાંવેંત તેમણે જે વાત કરી તેનો સાર એક જ હતો કે, મોદી હૈ તો મુમકીન હૈ! દે કતારની કોર્ટે જ્યારે આઠ ભારતીયોને મોતની સજા ફરમાવી ત્યારથી આપણી સરકાર એક્ટિવ થઈ ગઇ હતી. કાનૂની રીતે જે થઇ શકે એ તો શરૂ થઇ ગયું જ હતું પણ આવા કિસ્સામાં કાયદા કરતાં કૂટનીતિ વધુ કામ કરતી હોય છે. ભારત સરકારના પ્રયાસોથી ફાંસીની સજા આજીવન કેદની સજામાં તો અગાઉ જ પરિવર્તિત કરી દેવામાં આવી હતી. એ પછી આઠેયની મુક્તિ અને ભારત વાપસીના પ્રયાસો શરૂ થયા હતા. આખરે એ પણ શક્ય બની ગયું છે. સૌથી મોટી વાત એ પણ છે કે, બહુ ઓછા સમયમાં બધું કામ પૂરું થઈ ગયું, બાકી આવી ઘટનાઓમાં વર્ષો વીતી જતાં હોય છે. કતારે પણ આ નિર્ણયથી એ સાબિતી આપી છે કે, અમારા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વના છે
Suresh bhatt
તા.13.2.24