તંત્રી લેખ
********
ઉદયનિધિના નિવેદન થી વિરોધ પક્ષોના રાજકીય તખ્તા પર ભડકો.
****************
જગતમાં મતભેદ, દૃષ્ટિભેદ અને હિતભેદ રહેવાના જ. સમાજમાં વિવિધતાઓ હોવાની જ. સમાજ જેમ જેમ વધતો જાય તેમ તેમ તેની પ્રવૃત્તિ વિવિધ થતી જવાની, કાર્યની પદ્ધતિમાં ભિન્નમતિ આવવાની. એથી પણ આગળ જઈને એમ કહેવું જોઈએ કે જીવન સમૃદ્ધ થાય તે સારુ ભેદ આવશ્યક પણ છે. તદ્દન સાદા સંગીતને પણ ચાર- પાંચ સૂરની જરૂ૨ ૨હે છે. ઉચ્ચ પ્રકારના સંગીતને બાવીસ શ્રુતિઓની જરૂર પડે છે. આવી જ રીતે જો માનવી સમજી વિચારીને મધુર વાણી બોલે તો તેના સારા પરિણામો આવે અને સમન્વયના સેતુ રચાય પરંતુ વિરોધ પક્ષોના બનેલા નવા આઈએમડીઆઇ એ સાથે સંકળાયેલા ઉદય નીધિ નામના ડીએમકે ના નેતાએ એવો બફાટ કર્યો કે જેને કારણે આ સંગઠનના આ પ્રારંભે મોટા વિવાદ ઊભા થયા અને આ સંગઠન ના પાયા હચમચી ગયા ઉદય નીતિએ એટલું વિવાદાસ્પદ નિવેદન કર્યું કે જેને કારણે એકતા માટે ભેગા થયેલા રાજકીય પક્ષોમાં જબરજસ્ત વિવાદ ખડા થયા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે મહોબત કી દુકાન કે નફરત કે ભાઈજાન એટલે ઉદયનિધી. ઉદયનિધીએ સનાતન ધર્મના પાયા મા ધા કર્યો છે.અને સનાતન ધર્મને ડેન્ગ્યુ મેલેરિયા જેવો ગણાવી તેનો ખાતમો જરૂરી છે. તેવું નિવેદન કરતા જબરજસ્ત વિવાદ સર્જાયો છે.સનાતન ધર્મ એના નામ પ્રમાણે સનાતન છે તેને ખતમ કરવા માટે અનેક કાવતરાઓ ષડયંત્ર અને યુદ્ધ થયા છે પરંતુ તે ખતમ થયો નથી પરંતુ ઉદય નિધિ ના વિવાદિત નિવેદનથી ભાજપ વિરોધી સંગઠન ખતમ થઈ જશે એટલું ચોક્કસ છે. આ નિવેદનના ખૂબ જ ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ભારત એક દેશ છે એક ધર્મ અને એક ભાષા પર ભાર મૂકી રહ્યો છે જ્યારે ઉદય નિધિ ભાજપનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. આનાથી કોંગ્રેસે કોઈ પ્રતિક્રિયા આપી નથી કારણકે જો પ્રતિક્રિયા આપે તો કોંગ્રેસ સાવ ફેંકાઈ જાય ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અમિત માલવયાએ ઉગ્ર કરીને ટ્વિટ કર્યું હતું કે આ બાબત સનાતન ધર્મનું પાલન કરનાર ભારતની 80% વસ્તીનો નરસંહાર કરવા અસ માણસ આહવાન કરે છે. ડી એમ કે વિરોધ પક્ષોનો સાથી પક્ષ છે અને કોંગ્રેસનો સહયોગી છે તો મુંબઈ બેઠકમાં આ મુદ્દે સંમતિ સધાઈ છે આના કારણે આ ગઠબંધન બંધન રહેતું નથી પરંતુ તે અનેક ફાંટામાં વહેંચાઈ જશે કારણ કે કોઈપણ રાજકીય પક્ષ હિન્દુ ધર્મના વિશે જો આવા નિવેદનો કરે તો પ્રજા એને ઊંચકીને કચરાપેટીમાં ફેંકી દે એવું ચોક્કસ બની શકે આથી કોંગ્રેસ તરફથી દૂર રહે છે બીજા રાજકીય પક્ષો પણ આ નિવેદન બાબતમાં કોઈપણ જાતની ટીકા ટીપ્પણી કરવા થી પણ કરવાથી લગા રહે છે
તામિલનાડુનાં સીએમ એમ કે સ્ટાલિનનાં પુત્ર અને DMK સરકારનાં સ્પોર્ટસ પ્રધાન ઉદયનિધિ મારને સનાતન ધર્મ અંગે વિવાદિત નિવેદન કરતા રાજકીય મંચ પર ખળભળાટ મચી ગયો છે. ઉદયનિધિ સ્ટાલિને શનિવારે કહ્યું હતું કે સનાતન ધર્મ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે આથી તેનો વિરોધ કરવો જોઈએ અને તેને સંપૂર્ણપણે ખતમ કરવો જોઈએ. સનાતન ધર્મનો ખાતમો બોલાવવા માટે યોજવામાં આવેલા સંમેલનમાં ઉદયનિધિએ કહ્યું હતું કે કેટલીક ચીજોને આપણે ખતમ કરવી પડશે. મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોનાનો આપણે ફક્ત વિરોધ ન કરી શકીએ તેને ખતમ જ કરવો પડે. તેણે એક્સ પર ટ્વિટ કર્યું હતું કે સનાતન ધર્મનો વિરોધ કરવાને બદલે સનાતન ધર્મને ખતમ કરો એવું કહેવા માટે હું આયોજકોનો આભાર માનું છું.
આપણું પહેલું કામ સનાતન ધર્મને ખતમ કરવાનું હોવું જોઈએ. સનાતન શું છે? તે સંસ્કૃતમાંથી આવેલો શબ્દ છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયનો વિરોધ કરે છે. સનાતનનો અર્થ સ્થાયિત્વ સિવાય કશો નથી. તેને કોઈ બદલી શકે નહીં. ઉદયિનધિએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપ એક દેશ. એક ધર્મ અને એક ભાષા પર જોર દઈ રહ્યો છે. DMK તેનો વિરોધ કરે છે. આનાથી કેટલાક સામાજિક દૂષણો પેદા થયા છે. ઉદયનિધિનાં આ નિવેદને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ઉદયનિધિએ કહ્યું હતું કે તે પોતાનાં નિવેદનને વળગી રહે છે અને લોકો સામે કોર્ટમાં કે અદાલતમાં તેનો સામનો કરવા તૈયાર છે. કોંગ્રેસે ઉદયનિધિનાં નિવેદનથી અંતર જાળવ્યું છે. ડીએમકેએ બચાવમાં કહ્યું છે કે ઉદયનિધિની વાતને તોડી મરોડીને રજૂ કરાઈ છે.
જે કંઈ હોય તે પરંતુ આ વિવાદ આશ પર નિવેદનથી ગઠબંધનની જબરજસ્ત ધક્કો લાગ્યો છે અને તેની અસર 2024 ની ચૂંટણી પર થશે અને આ તમામ રાજકીય પક્ષો ઘર ભેગા થઈ જશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી કારણ કે હિન્દુ ધર્મનો વિરોધ કરનારા હંમેશા ફેકાઈ જતા હોય છે તેમ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પણ 2024 ની ચૂંટણીમાં ફેંકાઈ જશે
સુરેશ ભટ્ટ