પ્રાસંગિક
**********************
પ્રતિભા પલાયન રોકવામાં આવે તે વસ્તુ રાષ્ટ્રના હિતમાં છે! સંસ્કાર ભારતી એક કેવું સાંસ્કૃતિક સંગઠન છે જે વિશ્વભરના ભારતીયોને એક સૂત્રમાં બાંધે છે.
********
ગત સપ્તાહે પ્રવાસી ભારતીય સંમેલન યોજાઈ ગયું
દર વર્ષે લગભગ બે લાખ લોકો વિદેશમાં જઈને વસી જાય છે, તેઓ એ દેશોની નાગરિકતા લે છે, તેમાંથી અનેક સારી નોકરીની શોધમાં હોય છે એટલે ભારતની નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા ધારણ કરે છે. આ પ્રતિભા-પલાયનને કારણે ભારતને નુકસાન જરૂર થાય છે, પરંતુ આપણે એ પણ ન ભૂલીએ કે આ લોકો દર વર્ષે ભારતમાં અબજો રૂપિયા પણ મોકલતા રહે છે. ગયા વર્ષે 100 અબજ ડોલરથી વધુની રકમ પ્રવાસી ભારતીયોએ ભારત મોકલી હતી.
****************************
જે લોકો ભારત છોડીને વિદેશ જઈને વસી જાય છે મોટાભાગના લોકો અમેરિકાને સ્વર્ગ માને છે અને જ્યાં જીવન ધોરણ ઊંચુ હોવાથી તે સુખી થવાની શોધમાં અમેરિકા સહિતના સમૃદ્ધ દેશોમાં જઈને વસે છે અને આ દેશની નાગરિકતા સ્વીકારે છે
આમ છતાં ભારતના જે જે લોકો વિદેશમાં જઈને વસે છે તે ભારતીય સંસ્કૃતિને સંસ્કારને ભૂલી શકતા નથી અને વિદેશમાં પણ પોતાના ધર્મના તહેવારો ખૂબ જ સારી રીતે ઉજવે છે સંસ્કાર ભારતી એક એવું સંગઠન છે જે વિશ્વભરના ભારતીયોને એક સૂત્રમાં બાંધે છે આ એક સાંસ્કૃતિક સંગઠન છે તે ભારતના ગૌરવ રૂપ છે
આના કારણે ભારતનું બુદ્ધિ ધન વિદેશમાં તણાઈ જાય છે ત્યાં જઈને જે કામ કરે છે તેનો લાભ તે દેશને મળે છે ભારતને બહુ ઓછો મળે છે પરંતુ એક વસ્તુ હકીકત છે કે જે લોકો ભારતની ભૂમિ છોડીને વિદેશ જાય છે તે લોકો પોતાના દેશની ભૂમિને ભૂલતા નથી ભારતના લોકોને ભારતની ભૂમિને તેઓ દિલથી ચાહે છે અને ભારતના લોકોને ખરા દિલથી મદદ પણ કરે છે ભારત સરકારે હવે આવા પ્રવાસી ભારતીય ને બેવડું નાગરિકત્વ આપવાનો સમય પાકી ગયો છે આવા લોકોને ભારતનું નાગરિકત્વ નાગરિકતા આપવામાં આવે તે અત્યંત જરૂરી છે જેનાથી દેશને મોટો લાભ થશે
પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે.આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ આપે છે. આ દિવસે પ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોના યોગદાનને બિરદાવવા માટે ખાસ આયોજન કરવામાં આવે છે.
પીએમ મોદીએ દેશના 130 કરોડ લોકો વતી પ્રવાસીઓનું સ્વાગત કરતા કહ્યુ હતું કે આખી દુનિયા આપણો દેશ છે. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું હતું કે આ કાર્યક્રમ લગભગ ચાર વર્ષ પછી યોજાઈ રહ્યો છે અને ચાર વર્ષ પછી તે તેના મૂળ સ્વરૂપમાં સંપૂર્ણ ભવ્યતા સાથે પરત ફરી રહ્યો છે. પ્રિયજનોને રૂબરૂ મળવાનો, રૂબરૂ વાત કરવાનો એક અલગ જ આનંદ મળે છે.
ભારતના વિશ્વશક્તિ બનવાનું પ્રતીક છે, કેમકે આ એ લગભગ 5 કરોડ ભારતીય મૂળના લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, જે આખી દુનિયાના દેશોમાં વસેલા છે. આ બાબતે દુનિયાનો એક પણ દેશ એવો નથી જે ભારતની ટક્કર લઈ શકે, ભારતના પ્રવાસીઓની સંખ્યા દુનિયામાં સૌથી વધુ છે, મેક્સિકો, રશિયા અને ચીનના લોકો પણ મોટી સંખ્યામાં વિદેશોમાં જઈને વસ્યા છે, પરંતુ તેમના અને ભારતીયોમાં મોટું અંતર છે, ભારતના લોકો પોતાના સંસ્કારોથી કંટાળીને વિદેશ ભાગ્યા નથી, પરંતુ સારી તકની શોધમાં ગયા છે. તેઓ જ્યાં પણ ગયા છે, ત્યાં જઈને તેમણે દરેક ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવ્યો છે.
અત્યારે દુનિયાના એવા ડઝન બંધથી વધુ દેશ છે, જેમના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ન્યાયાધીશ વગેરે ભારતીય મૂળના છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક છે. દુનિયાના પાંચ મહાદ્વીપમાંથી એક પણ મહાદ્વીપ એવો નથી જ્યા ભારતીયો વસ્યા છે, પરંતુ તેમના અને ભારતીયોમાં મોટુ અંતર છે. ભારતના લોકો પોતાના સંસ્કારોથી કેટાળીને વિદેશ ભાગ્યા નથી, પરંતુ સારી તકની શોધમાં ગયા છે. તેઓ જ્યાં પણ ગયા છે, ત્યાં જઈને તેમણે દરેક ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવ્યો છે.
અત્યારે દુનિયાના એવા ડઝન બંધથી વધુ દેશ છે, જેમના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ન્યાયાધીશ વગેરે ભારતીય મૂળના છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક છે. દુનિયાના પાંચ મહાદ્વીપમાંથી એક પણ મહાદ્વીપ એવો નથી, જ્યાં કોઈને કોઈ દેશમાં કોઈ ને કોઈ ભારતીય મૂળની વ્યક્તિ સર્વોચ્ચ પદ પર ન હોય, આ વિદેશીઓની વચ્ચે ભારતીયોને આટલું મહત્ત્વ કેમ પ્રાપ્ત થાય છે? કેમકે તેઓ બુદ્ધિશાળી, ચતુર અને મહેનતુ હોય છે. ઉદારતા અને શાલીનતા તેમની નસ-નસમાં વસેલી હોય છે.
જે ભારતીયોને દોઢસો વર્ષ અગાઉ ગુલામ મજૂર બનાવીને અંગ્રેજો ફિજી, મોરેશિયસ અને સુરિનામ જેવા દેશોમાં લઈ ગયા હતા, તેમની વાત જવા દો અને આજના કરોડો પ્રવાસી ભારતીયો પર નજર નાખો તો તમને જોવા મળશે કે તેઓ જે દેશમાં પણ રહે છે, એ દેશના સૌથી શિક્ષિત, પૈસાદાર અને સભ્ય લોકો ગણાય છે. અમેરિકાના સૌથી સમૃદ્ધ વર્ગોમાં ભારતીયોનું સ્થાન અગ્રેસર છે. ભારતીયો જે દેશમાં, જે સ્થિતિમાં પણ રહે, ભારતની છબીને ચમકાવતા રહે છે. આ સાચું છે કે ભારતમાંથી આજે દર વર્ષે લગભગ બે લાખ લોકો વિદેશમાં જઈને વસી જાયછે, તેઓ એ દેશોની નાગરિકતા લે છે, તેમાંથી અનેક સારી નોકરીની શોધમાં હોય છે, કેટલાક એ દેશોમાં ભણતા ભણતા વસી જાય છે. કેટલાક એવા પણ છે જે પોતાના અપરાધીની સજાથી બચી જાય, એટલે ભારતની નાગરિકતા છોડીને વિદેશી નાગરિકાતા ધારણ કરે છે. આ પ્રતિભા-પલાયનને કારણે ભારતને નુકસાન જરૂર થાય છે, પરંતુ આપણે એ પણ ન ભૂલીએ કે આ લોકો દર વર્ષે ભારતમાં અબજો રૂપિયા પણ મોકલતા રહે છે. ગયા વર્ષે 100 અબજ ડોલરથી વધુની રકમ પ્રવાસી ભારતીયોએ ભારત મોકલી હતી. દુનિયાના કોઈ પણ દેશને- ચીનને પણ નહીં- તેમના પ્રવાસી આટલી રકમ મોકલી શકતા નથી.
અત્યારે દુનિયાના સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્રોમાં પ્રવાસી ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. તેઓ એ દેશોના અર્થતંત્ર અને રાજ્યતંત્રની કરોડરજ્જુ બની ચૂક્યા છે. જો વિદેશોમાં વસેલા ભારતીયો આજે જાહેરાત કરી દે કે તેઓ ભારત પાછા ફરી રહ્યા છે તો તેમાંથી કેટલાક દેશોનું અર્થતંત્ર ઠપ થઈ જશે, અનેકની સરકારો તૂટી જશે અને અનેક દેશોની યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓ ખાલી થઈ જશે. એ પણ સાચું છે કે અનેક દેશોની વસતીની તુલનામાં પ્રવાસી ભારતીયોની સંખ્યા ગણતરીની છે. જેમકે અમેરિકામાં 44 લાખ, બ્રિટનમાં 17.6 લાખ, સંયુક્ત અરબ અમીરાતમાં 34 લાખ, શ્રીલંકામાં 16 લાખ, દ.આફ્રિકામાં 15.6 લાખ, સાઉદી અરબમાં 26 લાખ, મલેશિયામાં 29.8 લાખ, મયાનમારમાં 20 લાખ, કેનેડામાં 16.8 લાખ, કુવેતમાં 10.2 લાખ ભારતીય રહે છે.
જે પ્રવાસી ભારતીય સમૃદ્ધ નથી, તેમને ભારત-યાત્રા માટે વિશેષ વિશેષતાઓ આપી શકાય છે અને વિવિધ પ્રતિભાશાળી સમૃદ્ધ ભારતીયો માટે વિનંતી કરી શકાય છે કે તેઓ ભારત આવી માતૃભૂમિને સમજાવે છે.
દેશોમાં પ્રવાસીઓની સંખ્યા 3 થી ટકા છે, પરંતુ સંખ્યા 30 થી 40 ટકા છે. પરંતુ ભારતીય લોકો પોતાના મૂળ દેશને ત્યાંથી ઘણા પૈસા મોકલે છે, એ પણ હકીક્ત છે કે જે દેશમાં રહે છે, તેમને પણ કોઈ કસર બાકી છે.
આ સંમેલનમાં 70 દેશોના 3500થી વધુ પ્રવાસી ભારતીયો હાજર રહયા હતા. સુરી નામના રાષ્ટ્રપતિ ચંદ્રીકાપ્રસાદ સંતોકીએ પોતાના સંબોધનમાં જનની અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ હોવાનું જણાવીને ભારતના આઝાદીના અમૃતકાળમાં આ સંમેલન વધુ મહત્વનું બની ગયું છે તેવું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કહ્યું કે, ઈન્દોરે આજે પોતાના દિલના જ નહી ઘરના દરવાજા પણ ખોલ્યા છે. આજે પ્રવાસી ભારતીયો માટે કંઈ હોટલ નહી કોના ઘરે ઉતરવું તે અંગે દ્વીધા છે અને ઈન્દોરના લોકો સ્વાગત માટે સ્પર્ધા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ અહી તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયું હતું અને મોદી-મોદીના નારા લાગ્યા હતા. વડાપ્રધાન આજે સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવાસી ભારતીયોના યોગદાન આધારીત ડીઝીટલ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યુ હતું અને બાદમાં 102 મહેમાનો સાથે ભોજન પણ કર્યુ હતું.
ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીએ તેમને આમંત્રણ આપવા બદલ ભારત તેમજ મધ્યપ્રદેશ અને ઈન્દોરનો આભાર માનતા જણાવ્યું કે મહાત્મા ગાંધી 107 વર્ષ પહેલા દ.આફ્રિકાથી પરત આવ્યા હતા પરંતુ તેઓએ દ્રઢ માનસિકતાથી ભારતને આઝાદ કરવામાં ભૂમિકા ભજવી તો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સૌનો સાથ અને સૌનો વિકાસ અને સૌના વિશ્વાસથી’ ભારત અને વિશ્ર્વને જોડવાનો જે પ્રયાસ કર્યો છે. તે સરાહનીય છે. ભારતની લગભગ પાંચ લાખ વિદ્યાર્થી જેઓ લાભાર્થીઓમાં દર વર્ષે લખવા જાય છે- તેઓ પણ એ દેશોની રકમ વધારે છે. પ્રવાસી ભારતીયોની આ સુષુપ્ત શક્તિને જગાડવાનું બીડું વડા પ્રધાન અટલબિરાહી વાજપેયિએ ઝડપ્યું હતું થયું.2003માં! પ્રસિદ્ધ કાયદા શાસ્ત્રી લક્ષ્મીમલ સિંધવી રાજવી દુત જગદીશ અને શર્મના પ્રયાસો પછી આ પ્રવાસી સંગઠન જૂથ છે. તેના પ્રથમ નાગરિક વરિષ્ઠ બાલેશ્વર અગ્રવાલની સંસ્થા ‘આંતરરાષ્ટ્રીય સહયોગી પરિષદ' દ્વારા પ્રયત્નશીલ હતો કે સંના પ્રવાસી ભારતીય પોતાનામાં ખરેખર તો સાથે આવે છે. હવે ભારત સરકાર પ્રવાસીઓ ત્રણ શ્રેણીઓ બનાવી રહ્યા છે. પાંચમાં રહેવાસી નાગરિક (ઓસીઆઈ), ભારતીય મૂળના લોકો (પીઆઈઆઈઓ) અને અપ્રવાસી ભારતીય (એનઆરઆઈ). હવે એ દિવસો દૂર જ્યારે અન્ય અન્ય દેશની જેમ ભારતીય મૂળના લોકો પણ ભારત બેવડી નાગરિકતા આપી શકે છે. ભારતની સંસ્કૃતિ સંસ્કાર અને સામાજિક રિવાજો અને યથાવત રાખી આ લોકો સાચા અર્થમાં ભારતીય તાનું જતન કરી રહ્યા છે તેઓ ભલે વિદેશની ધરતી પર રહેલા હોય પરંતુ માત્ર ભૂમિના સંસ્કારોને તેઓ હજુ સુધી ભૂલ્યા નથી સંસ્કાર ભારતી એ કેવું સંગઠન છે જે વિશ્વના અનેક દેશોમાં વસતા તમામ ભારતીયોને એક સૂત્રમાં બાંધે છે આ એક સૌથી મોટું સાંસ્કૃતિક સંગઠન છે આ ઉપરાંત ભારત ભારતી સંસ્કૃત ભારતી ભાષા ભારતી જ્ઞાન ભારતી જેવા સંગઠનો ઝડપભેર વિદેશની ધરતી પર સક્રિય થઈ રહ્યા છે અને ભારતના લોકો તેને દિલથી આવકારી રહ્યા છે તે એક આનંદની વાત છે.
સુરેશ ભટ્ટ