Friday, November 22, 2024
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન માટે આદેશ જાહેર કર્યો છે
Ministry directs EPFO to ensure UAN activation for employees via Aadhaar Based OTP
22 November 2024
હોમસમાચારબિઝનેસEPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO Rule: શ્રમ મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન માટે આદેશ જાહેર કર્યો છે
પ્રતિકાત્મક તસવીર
Source : ABP Desam
EPFO Rule: કેન્દ્ર સરકારે શ્રમ મંત્રાલય દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન માટે આદેશ જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓના UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર)ને એક્ટિવેટ કરાવવા માટે આધાર આધારિત OTP (વન ટાઇમ પાસવર્ડ) ફરજિયાત બનાવવા જણાવ્યું છે. આ OTP દ્વારા UAN એક્ટિવેટ કર્યા પછી કર્મચારીઓ સરળતાથી EPFOની વ્યાપક ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકશે.
EPFO માટે જાહેર થયા નિર્દેશ
શ્રમ મંત્રાલય કેન્દ્રીય બજેટ 2025માં જાહેર કરેલા વચનોને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યું છે જેથી નોકરીદાતાઓ અને કર્મચારીઓ ELI (કર્મચારી લિંક્ડ સ્કીમ)નો લાભ મેળવી શકે. આ માટે, શ્રમ અને રોજગાર મંત્રાલયે EPFOને કેમ્પેઇન મોડમાં કામ કરવા કહ્યું છે જેથી તેઓ કર્મચારીઓના UANને એક્ટિવેટ કરી શકે.
OTP આધારિત UAN એક્ટિવેશનનો લાભ માત્ર કર્મચારીઓને મળે છે
OTP આધારિત UAN એક્ટિવેશન સાથે કર્મચારીઓ તેમના જાહેર ફંડ એકાઉન્ટને અસરકારક રીતે સંચાલિત કરી શકે છે. તમે PF પાસબુક ડાઉનલોડ કરી શકો છો અને પૈસા ઉપાડવા માટે ઑનલાઇન ક્લેમ, એડવાન્સિસ અને ફંડ ટ્રાન્સફરની સાથે વ્યક્તિગત વિગતો સરળતાથી અપડેટ કરી શકો છો. તમે વાસ્તવિક સમયમાં ઓનલાઈન ક્લેમ પણ અપડેટ કરી શકો છો.
તમે તમારા ઘરેથી 24 કલાક EPFO સેવાઓ મેળવી શકશો
આ મારફતે કર્મચારીઓને EPFO સેવાઓની 24-કલાક ઍક્સેસ મળે છે જેને તેઓ તેમના ઘરેથી અપડેટ કરી શકે છે. આનો અર્થ એ છે કે તેમને વ્યક્તિગત રીતે EPFO ઓફિસ આવવાની જરૂર નથી. EPFO તેની પહોંચ વધારવા માટે ઝોનલ અને પ્રાદેશિક કચેરીઓમાં આનો અમલ કરશે. બાદમાં આ પ્રક્રિયાના બીજા તબક્કામાં બાયોમેટ્રિક ઓન્થેટિકેશનને UAN એક્ટિવેશનમાં પણ સામેલ કરવામાં આવશે, જે ચહેરાની ઓળખ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
આ રીતે આધાર-આધારિત OTPથી એક્ટિવેશન પ્રક્રિયા પૂર્ણ કરો
એક્ટિવેશન પ્રક્રિયા આધાર આધારિત OTP (વન-ટાઇમ પાસવર્ડ) નો ઉપયોગ કરીને પૂર્ણ કરી શકાય છે. આ માટે, નોકરીદાતાઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના કર્મચારીઓ અહીં દર્શાવેલ સ્ટેપને ફોલો કરીને UAN એક્ટિવ કરે છે.
-EPFO મેમ્બર પોર્ટલ પર જાવ
Important Links કેટેગરીની અંદર Activate UAN પર ક્લિક કરો.
UAN, આધાર નંબર, નામ, જન્મ તારીખ અને આધાર લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો.
કર્મચારીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે EPFOની ડિજિટલ સેવાઓની સંપૂર્ણ શ્રેણીને ઍક્સેસ કરવા માટે તેમનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલ છે.
-આધાર OTP વેલિડેશન માટે સહમત થાવ.
-તમારા આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર OTP મેળવવા માટે "Get Authorization PIN" પર ક્લિક કરો.
-એક્ટિવેશન પૂર્ણ કરવા માટે OTP દાખલ કરો
-સફળ એક્ટિવેશન પર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક પાસવર્ડ મોકલવામાં આવશે.
વધુ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
વિડિઓઝ
ફોટો ગેલેરી
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
એક Home Loan લીધા બાદ બીજી હોમ લોન લઈ શકો ? જાણો શું છે પ્રોસેસ
રાશન કાર્ડ E-KYC ના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે ઓળખો
ટ્રેન્ડિંગ અભિપ્રાય
gujarati.abplive.com
થાળીમાંથી ગાયબ થઈ રહી છે ખાણીપીણીની વિવિધતા, પર્યાવરણ પર પણ પડી રહી છે અસર
Opinion
રાષ્ટ્રના સર્વપરી વિકાસ માટે જાતિજન ગણના
રાષ્ટ્રના સર્વપરી વિકાસ માટે જાતિજન ગણના
++++++
સમાજના સર્વોપરી વિકાસ માટે જાતિ જન ગણના જરૂરી છે સમાજના પાછળ રહી ગયેલા વર્ગની ભલાઈ માટે જન કલ્યાણકારી કાર્યો માટે જાતિ ગણના ના ડેટા એટલે કે વિગતોનો ઉપયોગ થવો જોઈએ પરંતુ સામાજિક વિઘટન કરતાં અથવા તો ચૂંટણીમાં લાભ મેળવવાના સ્વાર્થ માટે આનો ઉપયોગ થવો જોઈએ નહીં.
આપણે ત્યાં અનેક જાતિઓ હોવાથી પ્રશ્ન ઉભા થયેલા છે, એવું કહેવા કરતાં જાતિવાદ હોવાથી પ્રશ્નો ઉભા થયેલા છે, એવું કહેવું વધુ યોગ્ય છે. જાતિવાદ વકરે છે ત્યારે સામાજિક તાણા-વાણા વિંખાઈ જાય છે. ચૂંટણીઓ વખતે આ જાતિવાદને બહેકાવીને તેને સપાટીએ લાવવાના પ્રયત્નો થાય છે.
હાલ યુપી ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી થઈ રહી છે ત્યારે જાતિવાદનો દુરુપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે મહા વિકાસ અઘાડી જેવા પક્ષો વોટબેંક માટે જ્ઞાતિ આધારિત રાજકારણ જમી રહ્યા છે વોટબેંકને તગડી કરવા માટે મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી તથા રોહિંગ્યાઓ ને મોટા પ્રમાણમાં ઝારખંડ મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં કોસાડી રહ્યા છે અને તેના રાતોરાત આધારકાર્ડ અને રેશનકાર્ડ પણ રાજ્ય સરકારની મહેરબાની થી બની જાય છે આ રાજ્યોમાં તો વોટબેંક માટે ડેમોગ્રાફી પણ બદલી નાખવામાં આવી છે સ્વાર્થી રાજકારણીઓ જાતિ આધારિત ભેદભાવને વધુને વધુ ઉત્તેજન આપીને ભાગલા વાદીઓને ઉત્તેજન આપી રહ્યા છે જે રાષ્ટ્ર માટે અત્યંત ઘાતક બાબત ગણી શકાય.
જાતિગત ધ્રુવીકરણની આ શતરંજી ચાલ પર રાષ્ટ્રની અંતઃનિહિત એકતા, સામાજિક ઐક્ય અને સામાજિક સદ્ભાવને દાવ ઉપર લગાવાય છે.
જ્યારે સામાજિક સમસ્યાઓને પહેરાવાતા રાજકીય વાઘાથી સામાજિક સમસ્યાઓ વિકૃત રૂપ ધારણ કરે છે, ત્યારે વાઘા પહેરાવવાના એ અપકૃત્યને રાષ્ટ્રદ્રોહથી સ્હેજે ઉતરતી કક્ષાનું ન ગણી શકાય. રાજકારણીઓ ચૂંટણી જીતવા અંદરખાને જાતિ આધારિત ગણત્રીઓ માંડતા હશે, પરંતુ મીડિયા તો માત્ર સર્ક્યુલેશન/ટીઆરપીની લ્હાયમાં ખુલ્લેઆમ ક્યાં કઈ જાતિના-પેટાજાતિના કેટલા લોકો અને તેને લગતાં કેવાં સમીકરણો છે, તે અંગે સાવ છેલ્લી કક્ષાએ જઈને (સામાજિક સંદર્ભમાં શબ્દ વપરાય છે- છાકટા થઇને) આખો ચિતાર આપતું હોય છે, તે ચિતાર ચિત્કારનાં બીજ વાવતો હોય છે. છતાં એ જ મીડિયા જાતિવાદના મુદ્દે નેતાઓને ઘેરવામાં પાછી પાની કરતું નથી. દંભ એ કોઈનો ઈજારો નથી.
સામાન્યતઃ સંવેદનશીલ હોવું, એ ગુણ છે, છતાં પણ તોફાનોથી ગ્રસ્ત વિસ્તારોને સંવેદનશીલ કહેવામાં આવે છે. સંવેદનશીલતા શબ્દના અર્થનો અનર્થ એકસો એંસી અંશે થઈ જાય છે. જાતિ શબ્દનું પણ આવું જ છે. જાતિ આધારિત વાતો કર્યા કરવી તેને હિતકારી ગણવી કે અહિતકારી? અહીં વિવેક કસોટી પર છે. આવી વિવેકપૂર્ણતા સાથે રા.સ્વ.સંઘે જાતિજનગણનાના મુદ્દે પોતાની વાત કરી છે.
તાજેતરમાં સપ્ટેમ્બર માસના પ્રારંભે કેરળના પલક્કડ ખાતે ૩૨ સંગઠનો અને ૩૨૦ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અ.ભા. સમન્વય બેઠક સંપન્ન થઈ તેમાં જાતિજનગણના મુદ્દે પણ ચર્ચા થઈ. આપણા હિન્દુસમાજમાં જાતિ, એક સંવેદનશીલ મુદ્દો છે. એ આપણી રાષ્ટ્રીય એકતા- અખંડિતતા માટેનો મહત્ત્વપૂર્ણ મુદ્દો પણ છે. માટે તેને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવો જોઈએ. તમામ કલ્યાણકારી ગતિવિધિઓ માટે, વિશેષરૂપે કોઈ વિશેષ સમુદાય કે જાતિ જે પછાત રહ્યાં છે તેના પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે. અને આને માટે સરકારને આંકડાઓની જરૂર પણ પડે છે.
સમાજના પાછળ રહી ગયેલા વર્ગની ભલાઈ માટે જનકલ્યાણકારી કાર્યો માટે જાતિજનગણનાના ડેટા (વિગતો)નો ઉપયોગ થવો જોઈએ, પરંતુ સામાજિક વિઘટન કરવા અથવા ચૂંટણીમાં લાભ મેળવવાના સ્વાર્થ માટે આનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ નહિ. સંઘ સમાજના પછાતો-વંચિતોને આરક્ષણ સહિતના બધા પ્રકારના ઉપાયોનું સમર્થન કરે છે. જાતિજનગણનાના મુદ્દે રાજકીય પક્ષોએ જે ઉગ્રતાથી સમાજના વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન કર્યો, તણાવ ઊભો કર્યો, ત્યારે રા.સ્વ. સંઘ જેવા પૂર્ણતઃ સષ્ટ્રહિતમાં કાર્યરત સંગઠને આ મુદ્દે પોતાનો મત સ્પષ્ટ કરીને ઊભો કરવામાં આવેલો ભ્રમ દૂર કરી દીધો છે.
આ તમામ બાબતમાં મહત્વની વસ્તુ એક જ છે કે રાષ્ટ્ર એક અને અખંડ રહે તે માટે સરળ ના વિકાસ માટે જાતિજન ગણના અતિ આવશ્યક છે. આની પાછળનો હેતુ રાષ્ટ્રને વિકાસને માર્ગે આગળ લઈ જવાનો જ છે.
સુરેશ ભટ્ટ
વાયુપ્રદૂષણ માનવી માટે જોખમી
તંત્રીલેખ
વાયુપ્રદૂષણ માનવી માટે જોખમી
દેશની રાજધાની નવી દિલ્હી અને તેની પડોશનાં શહેરો અત્યારે ભયંકર પ્રદૂષણનો સામનો કરી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)એ સૂચવેલા સુરક્ષિત લેવલ કરતાં અહીં 30થી 35 ગણું વધારે વાયુપ્રદૂષણ છે. કેટલાંય અઠવાડિયાથી હવા ઝેરી છે અને આવામાં સ્પષ્ટ જોઈ શકાતું નથી.
નાસાની સેટેલાઇટ તસવીરોમાં ઉત્તર ભારત અને પડોશી દેશ પાકિસ્તાન પર ગાઢ ધુમ્મસ છવાયેલું જોઈ શકાય છે, જેના કારણે ઘણી ફ્લાઇટને ઉડાણમાં વિલંબ થયો છે અને ઉડાન રદ થઈ છે.
સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) મૉનિટરિંગ જૂથ આઈક્યુઍર અનુસાર 2023માં દિલ્હી એ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની હતી. બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી ભારત ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રદૂષિત દેશ તરીકે સ્થાન ધરાવે છે.
ભારતમાં દર વર્ષે ઑક્ટોબરથી જાન્યુઆરીના શિયાળાના મહિના દરમિયાન તાપમાનમાં ઘટાડો, ધુમાડો, ધૂળ, ધીમા પવન, વાહનોનાં ઉત્સર્જન અને પાકની પરાળી બાળવાના કારણે પ્રદૂષણમાં જોખમી વધારો થાય છે.
ભારતની સ્થિતિ ચિંતાજનક છે, પરંતુ બીજે પણ આવી સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો ડેટા દર્શાવે છે કે દુનિયાની વસ્તીના 99 લોકો ખરાબ ગુણવત્તાવાળી હવા શ્વાસમાં લે છે. તેમાં પણ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના લોકો આવી પ્રદૂષિત હવાના સંસર્ગમાં વધારે આવે છે.
યુએનની એજન્સી અનુસાર દુનિયામાં દર વર્ષે સાત લાખ લોકો વાયુપ્રદૂષણના કારણે અકાળે મૃત્યુ પામે છે.
પરંતુ વાયુપ્રદૂષણ કેવી રીતે માપવામાં આવે છે અને માનવી માટે કયું લેવલ જોખમી ગણાય?
વાયુને પ્રદૂષિત કરતાં તત્ત્વો માનવીય પ્રવૃત્તિમાંથી પેદા થાય છે, જેમકે વાહનો અને રસોઈમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરવાથી. આ ઉપરાંત રેતીની આંધી, જંગલની આગ અને જ્વાળામુખી જેવા કુદરતી સ્ત્રોતોથી વાયુપ્રદૂષણ થાય છે.
યુનાઇટેડ નૅશન્સ ઍન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (યુએનઈપી) અનુસાર ઍર ક્વૉલિટી માપતા મૉનિટરો ચોક્કસ પ્રદૂષકોને શોધવા માટે સૅન્સર્સનો ઉપયોગ કરે છે. કેટલાક સૅન્સરમાં કણોની ઘનતા માપવા માટે લેસરનો ઉપયોગ થાય છે, જ્યારે બીજા કેટલાંક પૃથ્વી દ્વારા પ્રતિબિંબિત અથવા ઉત્સર્જિત ઊર્જાનું મૂલ્યાંકન કરવા માટે સેટેલાઇટ ઇમેજિંગ પર આધાર રાખે છે.
માનવ અને પર્યાવરણીય આરોગ્યને અસર કરતાં પ્રદૂષકોમાં પીએમ2.5, પીએમ10, ગ્રાઉન્ડ-લેવલ ઓઝોન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે.
પીએમ2.5 એ 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી નાના કણોને કહેવાય છે જે આરોગ્ય માટે સૌથી મોટું જોખમ ઊભું કરે છે. તેનું કારણ છે કે આ નાના કણો આપણા લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે અને જુદી જુદી બીમારીઓ પેદા કરી શકે છે.
ઇન્ટરનેશનલ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) સૂચકાંક દ્વારા હવામાં આ પાંચ મુખ્ય પ્રદૂષકોનું પ્રમાણ માપવામાં આવે છે.
એક્યુઆઈનો સ્કેલ 0 (એકદમ શુદ્ધ હવા)થી લઈને 500 (જાહેર આરોગ્ય માટે તાત્કાલિક જોખમ) સુધીનો છે.
તે આપણને જણાવે છે કે હવા કેટલી સ્વચ્છ અથવા પ્રદૂષિત છે, તથા તે આરોગ્ય પર સંભવિત અસર વિશે જણાવે છે, ખાસ કરીને જે અસર પ્રદૂષિત હવાના સંપર્કમાં આવ્યાના થોડા કલાકો અથવા દિવસોમાં અનુભવી શકાય છે.
યુએનઈપી મુજબ ઍર ક્વૉલિટી ડેટાબૅન્કમાં સરકાર, ક્રાઉડસોર્સ્ડ (લોકો પાસેથી મેળવાયેલ) અને સેટેલાઇટથી મેળવેલા આંકડાને સચોટ રીતે સાંકળવામાં આવે છે, જેનાથી એક્યુઆઈ રિડિંગ મળે છે. જેમાં "વિશ્વસનીયતા અને માપવામાં આવતા પ્રદૂષણના પ્રકારના આધારે" ડેટાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
2021માં યુએનઈપી અને તેના ભાગીદાર આઈક્યૂઍરે પ્રથમ રિઅલ-ટાઇમ ઍર પૉલ્યુશન ઍક્સ્પોઝર કૅલ્ક્યુલેટર આપ્યું હતું જે દુનિયાના 117 દેશોમાં 6,475 મૉનિટરના રિડિંગ્સને સાંકળે છે.
આ ડેટાબેઝ સૌથી ખતરનાક વાયુ પ્રદૂષક પીએમ2.5 ના રિડિંગને પ્રાથમિકતા આપે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કલાકદીઠ કેટલા લોકો વાયુપ્રદૂષણના સંપર્કમાં આવ્યા તેની ગણતરી કરે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના દિશાનિર્દેશ અનુસાર ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 100થી નીચે હોય તો તે હવા શ્વાસમાં લેવા માટે સુરક્ષિત ગણવામાં આવે છે. જ્યારે 400થી 500ની રેન્જમાં એક્યૂઆઈના રિડિંગને "ગંભીર" ગણવામાં આવે છે.
આઈક્યુઍરના અહેવાલ મુજબ બુધવારે સવારે દિલ્હીના કેટલાક ભાગો એક્યૂઆઈ 500ની સપાટીએ હતું. નોઇડા અને ગુડગાંવ જેવા નજીકનાં શહેરોમાં પણ એક્યૂઆઈનું સ્તર 500ની નજીક હતો.
યુએનઈપી કહે છે કે, "સરકારે મૉનિટરિંગને ફરજિયાત બનાવતો કાયદો ઘડવો જોઈએ તથા ડેટાની ચોકસાઈને સુધારવા માટે હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું જોઈએ."
ડબ્લ્યુએચઓ અનુસાર પ્રદૂષિત હવાના કારણે મૃત બાળકના જન્મ, કસુવાવડ અને જ્ઞાનાત્મક ખામી (કૉગ્નિટિવ ઇમ્પૅરમેન્ટ) અને મનોભ્રંશ જેવી ન્યુરૉલૉજિકલ પરિસ્થિતિઓનું જોખમ વધી જાય છે. બાળકો, વૃદ્ધો અને ઓછી આવક ધરાવતા લોકો જેવા સંવેદનશીલ જૂથો માટે વાયુપ્રદૂષણ જોખમી છે.
તેના અનુમાન પ્રમાણે દર વર્ષે આખી દુનિયામાં વાયુપ્રદૂષણ 70 લાખ લોકોનાં મોતનું કારણ બને છે. તેમાંથી 42 લાખ લોકો ઘર બહારના પ્રદૂષણથી અને 38 લાખ લોકો ઘરની અંદરના પ્રદૂષણ, જેમકે લાકડું અથવા કોલસો બાળવાથી થતા પ્રદૂષણના કારણે મૃત્યુ પામે છે.
ડબ્લ્યુએચઓ અનુસાર, તેમાંથી લગભગ 85 ટકા મૃત્યુ બિનચેપી રોગો (એનસીડી) સાથે સંકળાયેલ છે, જેમાં હૃદયરોગ, સ્ટ્રોક, ફેફસાંનાં કૅન્સર, અસ્થમા, સીઓપીડી અને ડાયાબિટીસનો સમાવેશ થાય છે. તેથી તમાકુ પછી વાયુપ્રદૂષણ એ વૈશ્વિક સ્તરે બિનચેપી રોગનું બીજું સૌથી મોટું કારણ છે.
યુએન એજન્સીએ એવું પણ જણાવ્યું છે કે આઉટડોર વાયુપ્રદૂષણથી થતાં 90 ટકા મોત ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં નોંધાય છે.
ઓનલાઇન કૉમ્યુનિટી પ્લૅટફૉર્મ લોકલસર્કલ દ્વારા દિલ્હી અને નજીકનાં શહેરોમાં એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે 81 ટકા પરિવારોએ છેલ્લા ત્રણ અઠવાડિયામાં વાયુપ્રદૂષણને કારણે પરિવારના ઓછામાં ઓછા એક સભ્યને આરોગ્યને લગતી તકલીફ પડી હોવાનું જણાવ્યું છે.
દિલ્હી સરકારે એક ગ્રેડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન ઘડ્યો છે, જેમાં કોલસો અને લાકડાનો ઉપયોગ થતો હોય તેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે. તેમાં બિન-ઇમર્જન્સી સેવાઓ માટે ડીઝલ જનરેટરનો ઉપયોગ પણ સામેલ છે, પરંતુ તેનાથી પ્રદૂષણના ઝેરી સ્તરમાં કોઈ બદલાવ નથી થયો.
સત્તાવાળાઓએ લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવા અને વાહનોનાં ઉત્સર્જનને ઘટાડવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.
આઈક્યુઍર અનુસાર 2023માં સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, તાજિકિસ્તાન, બુર્કિના ફાસો, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત, નેપાળ, ઇજિપ્ત અને ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો સામેલ હતા.
સુરેશ ભટ્ટ
India is becoming an investment hub
Editorial
India is becoming an investment hub
==========================
= The whole world wants to do business with India
Recently, Commerce and Industry Minister Piyush Goyal also mentioned this in a statement and said, "Today, the whole world wants to do business with India. He gave the reason for the interest of these countries in India. According to Piyush Goyal, the main reason for this is India's strong fundamentals, which include inflation control, increase in foreign exchange reserves and stable economic growth.
India's economic situation has been undergoing many positive changes in the last few years, which makes it an attractive destination for global investment. As a result of the government's policies and reforms, the country's economic growth rate is continuously increasing, and due to this, India has established itself as a stable and reliable market.
Recently, India has crossed the foreign exchange reserve of more than $ 700 billion. This shows how strong the country's economic position is. Let us tell you that foreign exchange reserves are the accumulation of money that a country has in foreign currencies such as dollars, euros and pounds. It is maintained by the central government or the central bank to keep the economy of its country stable. When a country has to buy goods from other countries, such as oil or other essential commodities, it has to pay in the currency of that country. In this case, if the country has sufficient foreign exchange reserves, it can easily make the payment.
Inflation means an increase in the prices of goods and services. When it increases, people have to spend more money to buy goods. This reduces their purchasing power, which affects not only consumers but also businesses and investors.
In India, the government has taken several steps to control inflation. These include policy changes, such as adjusting interest rates and monitoring the prices of essential commodities. When the government controls inflation properly, it maintains stability in the market and when inflation is stable, consumers can easily buy according to their budget. They do not worry that the prices of things will suddenly increase in the coming months. This belief encourages consumers to spend more and participate in economic activities.
Stable inflation is also a positive sign for investors. When they are confident that prices will remain stable, they are willing to invest in new businesses. This increases the investment propensity in the economy, which promotes growth and employment opportunities. Thus, controlling inflation is an important task, which is essential for market stability and economic growth. When the government does this successfully, it is a win-win for everyone – consumers, businesses and the overall economy.
A large portion of India’s population is young. This young generation not only increases efficiency, but is also a source of new ideas and innovation. The demand for Indian youth is increasing in many industries around the world. This means that there is a huge market for skilled labor here for foreign companies.
The technology sector in India has grown tremendously in the last few years. India’s IT and startup culture has gained global recognition. Many Indian startups have achieved global success, which is attracting foreign investors. India's rapid growth in technological innovation and digital transformation has made it a unique destination for investment.
The Indian government has implemented several policies and schemes to promote business. Initiatives like "Make in India" and "Digital India" are attracting foreign investment. These policies not only promote manufacturing in India, but also create a conducive environment for investors. Due to simple and transparent policies, investors can now invest in India without any worries.
The Indian government has focused on improving infrastructure. Investment is increasing in sectors like transport, energy and communication. Better infrastructure makes business easier and saves time. When infrastructure is strong, it boosts business activities and increases attractiveness for investors.
The inflow of foreign investment into India is also increasing rapidly. In the last few years, global companies have expanded their business in India. These investments bring not only capital, but also new technology and business experience. This increases competition in Indian industries and increases the possibilities for growth.
India's consumer market is huge. With a population of over 1.4 billion, there is a wide spectrum of consumer diversity and demand. This is an attractive proposition for investors. When companies see that there is a huge sales opportunity here, they definitely consider investing in India.
India has made its globalCompetitiveness has also increased. Many industries in the country have adopted international standards and improved quality. This competitiveness has attracted the attention of foreign investors, as they demand high-quality products and services.
India today stands at a place where there are many opportunities for investors. A strong economic base, a young population, technological innovation, and favorable government policies all combine to make it one of the most preferred investment destinations in the world. Amidst increasing competition globally, India has proven itself as a reliable and stable market. As time goes by, we can expect India to attract even more investment and play a significant role in global economic growth.
Tuesday, November 19, 2024
માત્ર બે મિનિટમાં આખું પાકિસ્તાન અને અર્ધું ચાઈના સાફ !!!
પ્રાસંગિક
=======
માત્ર બે મિનિટમાં આખું પાકિસ્તાન અને અર્ધું ચાઈના સાફ !!!
============================================
કલાકના 11,113માઈલની પ્રચંડ સ્પીડ ધરાવતા આ ભારતીય બનાવટના સુપરસોનોક મિસાઈલ થી દુનિયાભરના દેશો તાજ્જુબ થઈ રહયા છે.પ્રાસંગિકભારતે ઓડિશાના ડૉ.અબ્દુલ કલામ દ્વીપ પરથી પોતાની સ્વ-નિર્મિત હાઇપર-સોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા સ્વ-વિકસિત આ મિસાઈલ અવાજની ઝડપે પાંચ ગણી ઝડપે મુસાફરી કરી શકે છે. તેની ઝડપ એટલી વધારે છે કે તેને રડાર દ્વારા પણ સરળતાથી શોધી શકાતી નથી, અને અન્ય મિસાઇલો પાસે તેને નષ્ટ કરવાની ઝડપ નથી.
======================
હાયપરસોનિક મિસાઇલ એવા શસ્ત્રો છે જે અવાજની ઝડપે પાંચ ગણી ઝડપે પ્રવાસ કરે છે. તેનો અર્થ ઓછામાં ઓછો મેક 5. સરળ ભાષામાં આ મિસાઈલોની ઝડપ 6100 કિલોમીટર પ્રતિ કલાક છે. ઝડપ અને દિશા બદલવાની તેમની ક્ષમતા એટલી ચોક્કસ અને શક્તિશાળી છે કે તેમને ટ્રેક કરવા અને મારવા અશક્ય છે.
સામાન્ય રીતે ક્રૂઝ મિસાઈલ કે બેલેસ્ટિક મિસાઈલની ઝડપ ઘણી ઝડપી હોય છે. પરંતુ તેમની નિશ્ચિત દિશા અને મુસાફરીના માર્ગને કારણે તેઓને ટ્રેક કરી શકાય છે. તેમને મારીને નીચે લાવી શકાય છે. જો તેમની ઝડપ અવાજની ગતિ કરતાં પાંચ ગણી એટલે કે 6100 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવામાં આવે. ઉપરાંત, જો આપમેળે દિશા બદલવામાં સક્ષમ ઉપકરણો ઇન્સ્ટોલ કરવામાં આવે છે, તો તે હાઇપરસોનિક શસ્ત્રોમાં ફેરવાય છે. તેમને ટ્રેક કરવા અને મારવા લગભગ અશક્ય બની જાય છે.
હાઇપરસોનિક શસ્ત્રો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પ્રથમ- ગ્લાઈડ વાહનો એટલે કે હવામાં તરતા વાહનો. બીજું - ક્રુઝ મિસાઈલ. અત્યારે વિશ્વનું ધ્યાન ગ્લાઈડ વાહનો પર છે. જેની પાછળ એક નાની મિસાઈલ મૂકવામાં આવી છે. ત્યારબાદ તેને મિસાઈલ લોન્ચરથી છોડવામાં આવે છે. મિસાઈલ ચોક્કસ અંતર કાપ્યા બાદ અલગ થઈ જાય છે. તે પછી ગ્લાઈડ વાહનો સરળતાથી ઉડતા લક્ષ્ય પર હુમલો કરે છે. આ શસ્ત્રો સામાન્ય રીતે સ્ક્રેમજેટ એન્જિનથી સજ્જ હોય છે, જે હવામાં હાજર ઓક્સિજનનો ઉપયોગ કરીને ઝડપથી ઉડે છે. આ તેને એક નિશ્ચિત ગતિ અને ઊંચાઈ આપે છે.
જો આ મિસાઈલ પાકિસ્તાન બોર્ડર પરથી છોડવામાં આવશે તો સમગ્ર પાકિસ્તાન તેની રેન્જમાં આવી જશે. જો ચીનની સરહદેથી ગોળીબાર કરવામાં આવે તો ચીનનો લગભગ 45 ટકા ભાગ તેની હદમાં આવી જશે. એટલે કે હિમાલયની બાજુથી. જો તેને દરિયા કિનારે મૂકીને ફાયર કરવામાં આવે તો તે અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં દુશ્મન દેશોના જહાજોને નષ્ટ કરી શકે છે. એટલે કે આ એક મિસાઈલથી એશિયામાં રશિયા અને ચીન પછી ભારતનો પ્રભાવ વધ્યો છે.
.
ભારતની LRAShM એટલે કે આ હાઇપરસોનિક લાંબા અંતરની એન્ટિ-શિપ મિસાઇલ અનેક પ્રકારના શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. તે પણ વિવિધ રેન્જમાં. જો હથિયારનું વજન ઓછું કરવામાં આવે તો તેની રેન્જ 1500 કિલોમીટરથી વધુ હશે. આ મિસાઈલને અનેક પ્રકારની રેન્જ સિસ્ટમ દ્વારા ટ્રેક કરી શકાય છે.
ભારત પાસે હાઇપરસોનિક મિસાઇલોને ટ્રેક કરવાની સિસ્ટમ પણ છે. જ્યારે વિશ્વના ઘણા શક્તિશાળી દેશોમાં આ સિસ્ટમ ઉપલબ્ધ નથી. આ મિસાઈલ અનેક પ્રકારના ટર્મિનલ દાવપેચ કરી શકે છે. એટલે કે દુશ્મન ઇચ્છે તો પણ તેને નિશાન બનાવી શકે નહીં. આ મિસાઈલ જરૂર પડ્યે તેની ઝડપ, દિશા અને માર્ગ થોડો બદલી શકે છે. તેમજ તેની ચોકસાઈ અત્યંત ઘાતક છે.
- વિશ્વનો 80 ટકા તેલનો વેપાર હિંદ મહાસાગર પ્રદેશ (IOR)માં થાય છે. વિશ્વભરના જહાજો અહીંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં ભારતીય નૌકાદળ આ જહાજોની સુરક્ષા માટે આ મિસાઈલનો ઉપયોગ કરી શકે છે.
- જો ચીન અથવા પાકિસ્તાન ભારતીય દરિયાઈ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે, તો આ મિસાઈલ તેમના જાસૂસી જહાજ અથવા યુદ્ધ જહાજને થોડી જ સેકન્ડોમાં સમુદ્રમાં દાટી શકે છે.
- હાલમાં દુનિયાની તમામ એર ડિફેન્સ સિસ્ટમ આ મિસાઈલને સરળતાથી ટ્રેક કરી શકતી નથી. કારણ કે તેની ઝડપ ઘણી વધારે છે. તેનો અર્થ એ કે તે દુશ્મનના નિશાન પર વિનાશનો વરસાદ ચાલુ રાખશે.
- તેને પ્રાદેશિક દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા માટે તૈનાત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, મલક્કાના અખાતથી પર્શિયાના અખાત સુધી, તેને સુરક્ષિત કરી શકાય છે. તેને માત્ર દરિયા કિનારે તૈનાત કરવાની જરૂર છે.
હવે હાઇપરસોનિક મિસાઇલના સફળ પરીક્ષણ બાદ ભારત એવા કેટલાક દેશોમાંથી એક બની ગયું છે જેની પાસે આ આધુનિક ટેકનોલોજી છે.
હાઈપરસોનિક મિસાઈલ એટલે એવી મિસાઈલ જે અવાજની ગતિ કરતા પાંચ ગણી વધુ ઝડપે પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે.
તે જ સમયે, સબસોનિક મિસાઇલો ધ્વનિની ઝડપ કરતાં વધી શકતી નથી, જ્યારે સુપરસોનિક મિસાઇલો અવાજની ઝડપ કરતાં માત્ર બેથી ત્રણ ગણી જ પહોંચી શકે છે.
મિસાઈલની રેન્જ લગભગ 1700 કિલોમીટર છે અને તેને ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહી છે."
હાઇપરસોનિક શસ્ત્રો માત્ર તેમની ગતિથી તેમનો વિશેષ દરજ્જો મેળવતા નથી, કારણ કે ઝડપની દ્રષ્ટિએ, બેલેસ્ટિક મિસાઇલ પણ અવાજની ગતિ કરતાં વધુ ઝડપથી મુસાફરી કરે છે.
"હાઈપરસોનિક મિસાઈલ તેના લક્ષ્ય તરફ એટલી ઝડપથી આગળ વધે છે કે એન્ટી મિસાઈલ સિસ્ટમ તેને ટ્રેક કરી શકતી નથી."
હાઈપરસોનિક મિસાઈલ બેલેસ્ટિક મિસાઈલની જેમ પોતાની ચાપ અને પ્રક્ષેપણ નથી બનાવતી, જેના કારણે તેમના લક્ષ્યને પારખવું ખૂબ મુશ્કેલ છે.
“અમેરિકાની 'ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ' એટલે કે 'થાડ' અને ઈઝરાયેલની 'આયર્ન ડોમ' સિસ્ટમ પણ હાઈપરસોનિક મિસાઈલને શોધી શકવામાં અસમર્થ છે. આ એન્ટિ-મિસાઇલ સિસ્ટમ્સ છે જેની રેન્જ 250 કિલોમીટર પર સમાપ્ત થાય છે.
"જો તમે હાઇપરસોનિક મિસાઇલ શોધી કાઢો છો, તો પણ તેને તોડી પાડવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેને સમાન ગતિએ મુસાફરી કરતી મિસાઇલની જરૂર પડશે. આ માટે દેશને એરો-3 સિસ્ટમની જરૂર પડશે. તેની રેન્જ લગભગ 2500 કિલોમીટર છે.
હાલમાં હાઈપરસોનિક મિસાઈલ લોન્ચ થયા બાદ તેની દિશા બદલી શકાતી નથી.
હાલમાં ચીન અને રશિયા પાસે હાઈપરસોનિક મિસાઈલ છે, જ્યારે ભારતની જેમ અમેરિકા પણ તેને ચલાવવામાં વ્યસ્ત છે.
“કેટલાક અન્ય દેશો હાઈપરસોનિક મિસાઈલ બનાવવાનો દાવો કરે છે, પરંતુ આ વાત ચોક્કસ કહી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં ભારત વિશ્વનો ત્રીજો દેશ હશે જેની પાસે આ આધુનિક ટેક્નોલોજી હશે.
, “એવું માનવામાં આવે છે કે રશિયા, ચીન અને ભારત સિવાય અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને બ્રાઝિલ પાસે હાઈપરસોનિક મિસાઈલ છે. આ સિવાય ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે હાઈપરસોનિક મિસાઈલ બનાવી છે.
"રશિયાએ યુક્રેન યુદ્ધમાં તેની કિંજલ હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે, કારણ કે તેને પકડવી ખૂબ મુશ્કેલ છે."
માર્ચ 2022 માં, રશિયાએ દાવો કર્યો હતો કે તેણે હાઇપરસોનિક મિસાઇલ વડે પશ્ચિમ યુક્રેનની અંદર ભૂગર્ભ હથિયારોના ડેપોને નિશાન બનાવ્યું હતું.
નિષ્ણાતોનું માનવું છે કે તાજેતરમાં ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા મિસાઈલ હુમલામાં હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઈરાનનો દાવો છે કે તેણે પ્રથમ વખત ફતહ મિસાઈલને બેલેસ્ટિક અને ક્રુઝ બંને સેગમેન્ટમાં હાઈપરસોનિક મિસાઈલ તરીકે રજૂ કરી હતી.
ઓડિશામાં 1500 કિમીની રેન્જ ધરાવતી હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ
ભારતે સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે
અવાજની પાંચ ગણી ઝડપે મુસાફરી કરતી મિસાઈલ રડાર દ્વારા શોધી શકાતી નથી.
આ મિસાઈલ પરમાણુ હથિયારો સહિત અનેક "પે-લોડ" લઈ જઈ શકે છે. તે આપણા સશસ્ત્ર દળો માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.
આ મિસાઈલને હૈદરાબાદના ડો.અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સમાં તૈયાર કરવામાં આવી હતી. DRDO પ્રયોગશાળાઓ અને અન્ય ઔદ્યોગિક પક્ષોએ આમાં સહયોગ આપ્યો છે.
આ સફળ પરીક્ષણ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા અને તેની મેક-ઈન-ઈન્ડિયા પ્રતિબદ્ધતાને સાબિત કરે છે.
આ પરિક્ષણની સફળતા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનને અભિનંદન પાઠવ્યા હતા અને આ સફળતાને ઐતિહાસિક ગણાવી હતી. ભારતે આમાં એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે, આ સાથે તેણે ભારતને આધુનિક સૈન્ય શક્તિવાળા ઘણા દેશોમાં સ્થાન અપાવ્યું છે. તેમણે આ ભવ્ય સફળતા માટે ફરી એકવાર વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોને અભિનંદન પાઠવ્યા હતા.
આ હાઇપર-સોનિક મિસાઇલ ધ્વનિ કરતા પાંચ ગણી ઝડપે મુસાફરી કરી શકે છે (Mach-5). તેની સ્પીડ એટલી ઝડપી છે કે તેને રડારમાં કેપ્ચર કરવું મુશ્કેલ બની જાય છે. તદુપરાંત, નાશ કરવા માટે છોડવામાં આવેલી મિસાઇલ તેના સુધી પહોંચે તે પહેલાં તે આગળ વધે છે. આ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતા વધુ મજબૂત બની છે.
હવે ભારત અમેરિકા, રશિયા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને ચીન જેવા નેતાઓ સાથે ઊભું રહી શકે છે. ઉલ્લેખનીય છે કે આ હાઇપરસોનિક મોડલ ભારતે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ સાથે મળીને બનાવ્યું છે, વ્યક્તિગત રીતે નહીં, ભારતે તેને એકલા હાથે બનાવ્યું છે. જો કે બંને પાસે આ પ્રકારની મિસાઈલો છે. તે પાંચ દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિના કાયમી સભ્ય છે, એટલે કે તેઓ કાયમી સભ્ય છે.
સુરેશ ભટ્ટ