Thursday, February 9, 2023
Monday, January 30, 2023
તંત્રીલેખ 30 જાન્યુ 23
સાવરકર અને બાળાસાહેબને ભૂલી ગઈ મોદી સરકાર : રાઉત
સ્વતંત્રતા સેનાની વીર સાવરકર અને શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેને ભારત રત્ન ને આપવા બદલ સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. સંજય રાઉતે મુલાયમ સિંહ યાદવને મહાન નેતા કહ્યાં પરન્તુ તેમને પદ્મ વિભૂષણ આપવાનો વિરોધ કર્યો હતો અને તેમને કાર સેવકોના હત્યારા ગણાવ્યા હતા.
મુલાયમ સિંહ યાદવની રાજકીય કારકિર્દી ઘણી શાનદાર રહી છે. 1977માં તેઓ જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત યુપીના મંત્રી બન્યા હતા, જ્યારે 1989માં તેઓ પ્રથમ વખત યુપીના સીએમ બન્યા હતા. આ પછી 1993 અને પછી 2003 તેઓ બીજી અને ત્રીજી વખત સીએમ બન્યા હતા. મુલાયમ સિંહે 1992માં સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને 1993માં BSP સાથે મળીને સરકાર બનાવી હતી. તેમના પુત્ર અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ તેઓ તેના સંરક્ષકની જવાબદારી નિભાવી.
મુલાયમસી યાદવ અને તેનો પુત્ર અખિલેશ હિંદુત્વના વિરોધીઓ છે તેમને ભારત રત્ન અપાય નહીં તેવું મહારાષ્ટ્રના પ્રધાનોને લાગે છે.
આ મુદ્દે રાઉતે ભાજપ અને શિંદે જૂથ પર નિશાન સાધ્યું હતું. રાઉતે કહ્યું, કાર સેવકો પર ગોળીબાર કરનાર મુલાયમ સિંહ યાદવ, જેમને ભાજપ મૌલાના મુલાયમકહેતી હતી, તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જો કે, આ એવોર્ડ બે હિંદુ- હૃદય સમ્રાટો, વીર સાવરકર અને શિવસેના પ્રમંખ બાળાસાહેબ ઠાકરેને આપવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું, ઘણા લોકોને ગણતંત્ર દિવસ પર પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક નામ સંઘ પરિવાર સાથે જોડાયેલા છે. જોકે, તેની સામે વાંધો ઉઠાવવાનું કોઈ કારણ નથી.
અખૂટ રાષ્ટ્રવાદને જીવન સમર્પિત કરનાર, રાષ્ટ્રવાદનાં આ ભીષ્મપિતામહ મહામાનવે વીરભોગ્ય વસુંધરા. ફક્ત વીરોને માટે જ વિશ્વ છે. એ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું અને આપણા ભારતનાં ઉજ્જવળ રાજકીય તથા સાંસ્કૃતિક પુનઃઉત્થાનનાં ઇતિહાસમાં સદીઓ સુધી ભાવિ પેઢીનો સતત તેજપૂંજ પાથરતી દીવાદાંડી જેવું સનાતન સ્થાન પ્રાપ્ત કરેલ છે.
સ્વાતંત્ર્યસેનાની, પ્રખર ક્રાંતિકારક, કટ્ટર હિંદુત્વવાદી, અગ્રણી સાહિત્યકાર તથા સમાજસુધારક. નિકટના વર્તુળમાં તાત્યારાવઉપનામથી જાણીતા હતા.
એક ચિંતનશીલ, ધ્યેયનિષ્ઠ સાહિત્યકાર તથા કવિ તરીકે મરાઠી સાહિત્યમાં તેમનું સ્થાન મોખરાનું છે. કમલામહાકાવ્ય ઉપરાંત તેમની સ્ફુટ કાવ્યરચનાઓ સંગ્રહબદ્ધ થયેલી છે. ગદ્યસાહિત્યમાં માઝી જન્મઠેપ(ગુજરાતી અનુવાદ મારી જનમટીપ) તથા 1857નો સ્વાતંત્ર્યસંગ્રામતેમના જાણીતા ગ્રંથો છે.
આવી ધગધગતી રાષ્ટ્રભક્તિ ધરાવતાં વીરપુરુષનાં જીવનચરિત્ર તથા તેમનાં કાર્યો શકાય તેવા નથી
ઝઝક્સક્સ
બાલ ઠાકરેને હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા આવતા હતા. તેમનું જોયા વગર ભાષણ આપવાનું લોકોને પંસદ હતું., લાખો લોકોના ટોળાઓ તેઓને સાંભળવા માટે એકત્ર થતા હતા.
1980 ના દાયકામાં બાલ ઠાકરેએ મુસ્લિમો વિશે કહ્યું હતું કે તેઓ કેન્સરની જેમ ફેલાઈ રહ્યા છે અને દેશને તેમનાથી બચાવવા જોઈએ.
બાલ ઠાકરેની એક ખાસ વાત હતી કે તે ક્યારેય કોઈને મળવા નહોતો ગયા જેને મળવું છે, જાતે ઘરે આવું પડે. ભારતની દરેક મોટી હસ્તી તેમણે મળવા તેમના મુંબઈના ઘરે માતોશ્રીમાં જતા હતા.બોલિવૂડના મોટા કલાકારો તેના ઘરે બિયર પીવા અને મળવા આવતા હતા.જેમ કે નરેન્દ્ર મોદી, માઇકલ જેક્સન.વી.તેઓ
1992 માં, જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી, ત્યારે બાલ ઠાકરે આપ કી અદાલતના શો પર હતા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓએ સાંભળ્યું છે કે આ કામ શિવસનીકોએ કર્યું છે. તો તેમણે કહ્યું કે જો શિવ સૈનિકોએ આ કાર્ય કર્યું છે તો તે ગૌરવની વાત છે.
સંજય રાઉતે આરએસએસના નેતાઓને પદ્મ વિભૂષણ આપવાનું સમર્થન કર્યું હતું. અને કહ્યું હતું કે આ કામ પ્રશંસનીય છે. જ્યારે અયોધ્યા આંદોલન વખતે મુલાયમે કારસેવકો પર ગોળીઓ ચલાવી હતી.
Sunday, January 29, 2023
Thursday, January 26, 2023
I am sharing '26-01-2023.pdf' with you from WPS Office
WPS Office: Complete office suite with PDF editor
Here's the link to the file:
https://in.docworkspace.com/d/sIBDY9MyVAaSkyJ4G?st=0t
Get WPS Office for PC:
https://www.wps.com/d/?from=t
Tuesday, January 24, 2023
Subscribe to:
Comments (Atom)