Sunday, July 17, 2022

See this



I love my mamas


 ૨૨ ઓગસ્ટ , ૨૦૧૮ ન્યૂ દિલ્હી સત્ય દુઃખદ બાબત આ વિદ્યાર્થીઓ ને સ્કૂલ દ્વારા " વૃદ્ધાશ્રમ " ની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા ... ત્યાં જ એક વિદ્યાર્થીની ની નજર પોતાના " દાદી " પર પડી .... તે ખરેખર આઘાત પામી ગઈ અને પોતાની દાદી ને ગળે લાગી " દાદી અને પૌત્રી " ખૂબજ રડ્યા ... મિત્રો ... આ વિદ્યાર્થીની ને " આઘાત " કેમ લાગ્યો તે જાણો છો ???? કારણ એ છે કે ૨ વર્ષ પહેલાં જ્યારે તે " હોસ્ટેલ " માં રહી અભ્યાસ કરતી હતી ત્યારે વેકેશન માં ઘરે આવી હતી .. અને પોતાની " દાદી " ને ઘર માં ન જોતા , પોતાના માં બાપ ને પૂછતાં જવાબ મળ્યો હતો કે " દાદી " ને ગુજરી ગયે ૩ મહિના થઈ ગયા છે ....

મિત્રો શું હવે આ જ ફરજ બાકી રહી ગઈ છે આપણી આપણા " માં બાપ " પ્રત્યે ... ??? ઉંમર નાં એ પડાવ પર ... જ્યાં વૃદ્ધ માં બાપ ને તમારા પ્રેમ ની જરૂર હોય છે ત્યારે કેમ . . … આપણે આપણો હાથ છોડાવીને દૂર ભાગી જઇએ છીએ . પણ એક વાત આપણે પણ ભૂલી જઈએ છીએ .... જે તેમનો * આજ * છે તે આપનો * કાલ * હશે જ " " જીવન નું ચક્ર ફરતું જ રહે છે .... અને તે જ ચક્ર તમને એ જ પરિસ્થિતિ પર લાવીને મૂકી દેશે જ્યાં તમારા માં બાપ ને તમે લાવી મૂક્યા છે ...


++++++++++++



August 22, 2018 New Delhi True sad story these students were taken by the school to visit an "old age home"...there a student saw her "grandmother"...she was really shocked and her grandmother  "grandmother and granddaughter" hugged and cried a lot...friends...do you know why this student was "shocked"????  The reason is that 2 years ago when she was studying in a "hostel" she came home on vacation.. and did not see her "grandmother" in the house, she asked her father and got the answer that "grandmother" had passed away.  It's been 3 months...


(Friends, is this duty now left to our "Father"... ??? At that stage of age... where father in old age needs your love, why.... we our  Letting go of hands and running away.But one thing we also forget....what is their *today* will be your *tomorrow*" "The cycle of life keeps turning....and the same cycle to you.  It will bring you to the same situation where you have brought the father in you...





રેવડી કલ્ચર!!!


 પ્રાસંગિક

ચૂંટણી વચનોનું રેવડી કલ્ચર..!!


+++++++

મત મેળવવા માટે રાજકીય પક્ષો ચૂંટણી વચનોની લહાણી કરે છે વડાપ્રધાન મોદી એ મફત સુવિધા ના ચૂંટણી વચનોનું રેવડી કલ્ચર દેશ માટે જોખમી છે તેમ કહ્યું છે.

વસ્તુ મફત મળતી હોય તો કોને ન ગમે?

 કાના માતર વગરનો ત્રણ અક્ષરનો શબ્દ મફત આ શબ્દ ખૂબ જ આકર્ષક છે ગરીબ તવંગર સૌને પણ મફત કોઈ વસ્તુ મળે તે ખૂબ જ ગમે છે પરંતુ આ મફત વીજળી મફત પાણી મફત પેટ્રોલ મફત અનાજ મફત સુવિધાઓ આ બધું જો સરકાર તમામને આપવા મંડે તો આપણા દેશનુ અર્થ તંત્ર સાબુત રહે ખરું ? તેવો પ્રશ્ન કેજરીવાલ જેવા નેતાને પૂછવો જોઈએ વડાપ્રધાન મોદીએ મતદારોને લાલચ આપી મત મેળવવાના રેવડી કલ્ચરથી સાવજ રહેવા દેશના યુવાનોને અનુરોધ કર્યો છે

 દેશના વિકાસ માટે આ વસ્તુ અત્યંત ઘાતક છે મફત લાણી કરવાથી નવા એક્સપ્રેસવે એરપોર્ટ અને ડિફેન્સ કોરિડર નું કોરિડોરનું નિર્માણ થઈ શકે નહીં ઇરાદા ઓર મર્યાદા એટલે કે મક્કમ નિર્ધાર અને માનસન્માન આ માટે જરૂરી છે મફત મેળવનાર માનવી માન સન્માન ગુમાવે છે.પીએમ મોદીએ શનિવારે કાનપુર ખાતે બુધેલ ખંડ એક્સપ્રેસ વે નું ઉદ્ઘાટન કર્યું તેમને આ પ્રસંગે વિપક્ષો પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આ દેશમાં કેટલીક પાર્ટી દ્વારા મફત રેવડી વહેંચી મફત મતદારો પાસેથી મત મેળવવાનું કલ્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. આવું રેવડી કલ્ચર દેશના વિકાસ માટે જરા પણ યોગ્ય નથી આથી દેશના લોકો અને યુવાનો આવી લોભાવની લાલચમાં ફસાવવું જોઈએ નહીં રેવડી કલ્ચરથી દૂર રહેવું એ આપણું સૌનું કર્તવ્ય છે 15 મી ઓગસ્ટ સુધીમાં આખા દેશમાં અને દરેક ઘરમાં તેમજ તમામ ગામોમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે સરકાર વિકાસના તમામ કામ કરી રહી છે.બુધેલખંડના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવામાં આવશે આ જળ સુરક્ષા આવનારી પેઢીને ઘણી કામ લાગશે દેશમાં પહેલા વિદેશી થી કપડા રમકડા આયાત કરાતા હતા. હવે રમકડાં ઉદ્યોગનો વિકાસ થયો છે અને દેશમાં રમકડાની વિદેશમાં નિકાસ પણ કરાય છે યુપીમાં ડબલ એન્જિનની સરકારથી કનેક્ટિવિટીમાં જબરો સુધારો થયો છે જેને કારણે રાજ્યમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે રૂપિયા 148.50 કરોડનો એક્સપ્રેસ વે બુધેલખંડ તેમજ સાત જિલ્લા માટે વિકાસનો હાઇવે પુરવાર થશે યુપીના સીએમ યોગ્ય આદિત્યનાથે શનિવારે આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાય એવો હતો અને કહ્યું કે આ એક્સપ્રેસ વે બુધેલખંડ ને ઔદ્યોગિક વિકાસમાં માર્ગ માં રાષ્ટ્રને આગળ લઈ જશે.

સરકાર દેશના વિકાસ માટે સમજી વિચારીને નીતિ ઘડે છે અને નિર્ણયો લે છે લોકોએ રેવડી કલ્ચરથી સાવજ રહેવાની જરૂર છે સરકારના વિકાસના માર્ગે જવા માટે બે સિદ્ધાંતો અપનાવ્યા છે ઇરાદા ઔર મર્યાદા. એટલે કે મક્કમ નિર્ધાર અને લોકોનું માન સન્માન સરકાર આ નીતિને અપનાવીને દેશને વિકાસને માર્ગે જઈ રહી છે દેશ માટે નવી સુવિધા સાથે દેશનું ભવિષ્ય કંડારી રહ્યા છીએ.

 જ્યાં કાયદો અને વ્યવસ્થા તેમજ કનેક્ટિવિટી સારી હોય તે રાજ્યનો વિકાસ સારી રીતે થાય છે દાખલા તરીકે ગુજરાત આ બાબતમાં નંબર વન બની રહ્યું છે આપણે સૌએ જૂની વિચારધારા છોડીને આપને નવી રીત અને પદ્ધતિથી આગળ વધવાનું છે દેશ હવે નવા સંકલ્પો સાથે તે જ ગતિથી દોડવા તૈયાર થઈ રહ્યો છે ત્યારે વિપક્ષોનું રેવડી કલ્ચર વિકાસ માટે અતિ ઘાતક છે.એક્સપ્રેસવે થી બુધેલખંડ નો ઝડપી વિકાસ થશે આ સરકારની એક ખાસ વિશેષતા એ છે કે જે યોજનાનું શિલારો પણ વિધિ કરવામાં આવે છે તેનું ઉદ્ઘાટન પણ ટૂંક સમયમાં થઈ જાય છે અને લોકોને નવી સુવિધા મળે છે સરકાર હાથ પર લીધેલા કામ સમયસર પૂરા કરે છે યુપીમાં 35 નવી મેડિકલ કોલેજ સ્થપાઈ છે અને આ માટે એજ્યુકેશન નું સ્થળ પણ આ રાજ્યમાં ઊંચો આવશે

વડાપ્રધાન મોદીએ મફત રેવડી નો ઉલ્લેખ કરીને વિપક્ષો પર પ્રહારો કર્યા છે તેના જવાબમાં રેવડી કલ્ચર અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું કે આપણા દેશના બાળકો મફત અને સારું શિક્ષણ આપવું અને લોકોની સારી અને મફત સારવાર કરવી તેને રેવડી વેચવાનું કહી શકાય નહીં પણ દેશનો પાયો નાખ્યો છે એમ કહેવું જોઈએ. અમે એક વિકસિત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખી રહ્યા છીએ આ કામ 75 વર્ષ પહેલા થઈ જવું જોઈતું હતું દિલ્હી સરકાર શાળાના 18 લાખ બાળકો ભણે છે દેશમાં સરકારી શાળાઓની માથે હાલત છે તેવી દિલ્હીની શાળાઓની હાલત ખરાબ  હતી. 18 લાખ બાળકોનું ભવિષ્ય બરબાદ થતું હતું. આજે એ બાળકોનું ભવિષ્ય અમે સારી રીતે કર્યું છે એ શું ગુનો કર્યો છે ?

ભગવાને ઇચ્છું તો આખા દેશમાં મફત શિક્ષણ અને સારવાર આપવી તેઓ સંકલ્પ કેજરી વાલે કર્યો છે.

મેક ઇન ઇન્ડિયા થી કુટીર ઉદ્યોગ સશક્ત બનશે સરકારે કુટીર ઉદ્યોગને વિકસાવવા માટે પ્રાધાન્ય આપ્યું છે બુધેલખંડના વિકાસમાં પણ કુટેલ ઉદ્યોગનું મોટું યોગદાન છે આત્મ નિર્ભર ભારત માટે સરકાર કુટીર ઉદ્યોગ પરંપરા નો વિકાસ કરી રહી છે દરેક ઘરે પાઇપલાઇન દ્વારા પાણી આપી સરકાર જલજીવન મિશન પર મિશન પર કામ કરી રહી છે કેન અને બેતવા નદીની લીંક દ્વારા બે નદીને જોડીને પાણી આપવામાં આવશે આ એક મહત્વની યોજના છે આ બંને નદીઓ જોડાઈ જતા  પૂરનો ખતરો પણ ઓછો થઈ જશે.

આજે આપણું ભારત 1962 નું ભારત નથી કે ચાઇના જેવા દેશો એને ધમકી આપી શકે ભારત અમેરિકાથી પણ બિલકુલ ડરતું નથી એસ 400 સિસ્ટમ ભારતે ખરીદી એ અમેરિકાને ગમ્યું નથી પરંતુ અમેરિકાએ ભારતની દ્રઢતા સામે ઝુકવું પડ્યું છે આપણા દેશે અમેરિકાના પ્રતિબંધો હોવા છતાં રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ એસ 400 ખરીદી હતી અમેરિકાએ તેની સામે નારાજગી વ્યક્તિ કરીને ભારત સામે પગલાં લેવા સુધીનો વિચાર કર્યો હતો. પરંતુ અમેરિકાને એ વસ્તુનું ભાન થયું કે ભારત સામે પગલાં લેવાથી અમેરિકાને નુકસાન વધુ થવાનું છે આથી આ વિચાર અમેરિકાએ પડતો મુક્યો ભારતની આ બહુ મોટી જીત છે અમેરિકાને ભારત વગર ચાલે તેમ નથી પ્રેસિડેન્ટને ખબર છે કે ભારતને નારાજ કરવામાં બહુમાલ નથી આપણા દેશે અનેક એક વખત નહીં પણ અનેક વખત કહી દીધું છે કે દોસ્તી સાચી પણ અમે કોઈના દાબેદાર નહીં રહીએ અમને જે યોગ્ય લાગશે તે અમારા દેશના હિત માટે અમે નિર્ણય કરશું એ અમારો મામલો છે ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ નહીં કરવાની ચેતવણી ભારતે કોઈની શેહ રાખ્યા વગર અમેરિકા જેવા દેશને પણ કહી દીધું છે ભારત જ્યારે વિકાસને માર્ગે આગળ વધી રહ્યું છે અને સુશક્ત બન્યું છે ત્યારે આ રીતે કહી શકાય પરંતુ જો ભારતની હાલત શ્રીલંકા જેવી હોય તો શ્રીલંકા કે પાકિસ્તાન જેવી હોય તો આવું કહી શકાય નહીં.આજે પાકિસ્તાન   દુનિયા સામે ભીખ માગે છે અમેરિકા એ તો સ્પષ્ટ ના પાડી પરંતુ મુસ્લિમ કન્ટ્રી આરબ અમી રાતે પણ પાકિસ્તાનને મદદ કરવાની ચોખ્ખી ચણાક ના પાડી દીધી છે હવે પાકિસ્તાનમાં પણ વિકાસને બદલે વિનાશ થઈ રહ્યો છે કારણ કે આખો મુલક દેવળિયાની કક્ષાએ આવી ગયો છે અત્યારે ત્યાંની પ્રજા એમ કહે છે કે ભારત જો શ્રીલંકાને અનાજની સહાય કરતું હોય આર્થિક સહાય આપતું હોય તો પાકિસ્તાનના નેતાઓએ ભારત પાસે આવી માંગ કરવી જોઈએ.આમ પાકિસ્તાનની પ્રજા કહે છે પરંતુ પાકિસ્તાનના નેતાઓ કયા મોઢે ભારત પાસે ભીખ માગી શકે?? કારણ કે તેઓ પહેલેથી જ ભારતને દુશ્મન ગણે છે અને ભારતમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે આથી ભારત તેને મદદ કરી શકે ખરું ? આનો જવાબ ના છે પરંતુ માનવતાને નાતે ભારત કદાચ એને અનાજ આપી શકે આ ભારતની ઉદારતા છે આપણી સંસ્કૃતિ છે આપણે વિકાસ તો જ કરી શકીએ જો તમામ લોકો પૂરેપૂરા કરવેરા ભરે. જે ભારતની પ્રજા સાવ ગરીબ નથી કે તેને બધું જ મફત આપવું પડે હા જેટલા ગરીબ છે ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે એને મફત અનાજ આપી શકાય મફત સહાય આપી શકાય પણ તમામ લોકોને મફત વીજળી આપવી મફત પાણી આપવું એ રેવડી કલ્ચર છે અને તે ભારતમાં યોગ્ય નથી તેને કારણે વિકાસમાં અવરોધ પેદા થશે આપણે સૌએ સાથે મળીને રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે માટે રેવડી કલ્ચરથી સાવધ રહેવા માટે જે કહેવામાં આવ્યું છે તે સમયને અનુરૂપ છે સમયનું ચક્ર સતત ફરતું રહે છે તે કદી અટકતું નથી જે અટકે છે તેનો વિકાસ અટકે છે!!

સુરેશ ભટ્ટ

તા.17.7.22

સંસદ


Globally India is a country where people are free and supreme spiritually and democratically. Golden days in politics are not the same. At each stage some new equations are formed. As the cycle of time turns, defeat turns into victory and victory turns into defeat, it is a natural process. A vivid example of this is the transfer of power in Punjab some time ago and Maharashtra in recent times. The strength of every party is its strong mandate. Also, the current BJP-ruled government has given priority to party organization and public relations, thus reaching the people and has been able to maintain a high public opinion graph.

સંસદ માં સવિનય નિવેદન...


તંત્રીલેખ 
++++++++
સંસદમાં સવિનય નિવેદન!!
+++++
સંસદનું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે આ વખતે આશા છે કે સંસદનું સત્ર શારીરિક સારી રીતે ચાલશે અને વિપક્ષો સરકારને સહયોગ આપશે જેથી પ્રજાકીય કામો થશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

 સંસદનું ચોમાસુ સત્ર 18મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે.લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના બે દિવસ પહેલા ગત શનિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.  જેમાં વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ ભાગ લીધો હતો.  

તમામ પક્ષોના નેતાઓએ સ્પીકરને ખાતરી આપી છે કે અમે ગૃહની કાર્યવાહીમાં સહકાર આપીશું.સંસદનું ચોમાસું સત્ર શરૂ  થવા જઈ રહ્યું છે અને એ પહેલા સભ્યો માટે કેટલીક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે અમુક્ શબ્દો અને એમાં બિનસંસદીય ઠેરવાયા છે. 
આ ઉપરાંત સંસદ પરિસરમાં ધરણા નહિ થાય , સંસદમાં પત્રિકા કે એવું કંઈ વહેંચી નહિ શકાય , આવી આવી સૂચનાઓ મીડિયામાં હેડલાઈન બની રહી છે . આવી સૂચનાઓ આપવી પડે છે એ શરમજનક  છે.વિપક્ષ આ મુદ્દે ગૃહમાં દેકારો કરી શકે છે અને એમાં વિવેક  જળવાતો નથી. સદમા વિનય વિવેક જળવાતો નથી તે લોકશાહી માટે શરમજનક બાબત ગણી શકાય.
વારંવારે બિનસંસદીય શબ્દોની યાદીમાં ઉમેરો થતો રહે છે અને એ મોદી સરકારે જ કર્યો હોય એવું નથી પણ અગાઉની સરકારે પણ ર્યું છે . સવાલ એ છે કે , આવું કેમ કરવું પડે છે ? શું યુપીએ સરકાર હતી અને ત્યારે ભાજપીઓ પણ એવાતેવા શબ્દો વાપરતા હતા . ઉતરતી ટિપ્પણીઓ થતી રહેતી . શીર્ષ નેતાઓ ખોટી ભાષા વાપરી રહ્યા હોય અને એ સત્તાવાર રેકર્ડ  પરથી દૂર કરાયા હોય એવા કિસ્સાઓ એક નહિ, અનેક છે . 
આ વખતે તમામ સભ્યોએ ખાતરી આપી છે કે સંસદનું સત્ર સારી રીતે ચાલવા દઈશું સંસદના સત્રમાં પ્રજાલક્ષી અને કામો પેન્દિગ છે અમુક નવા છે તે કરવા દેવામાં આવશે તેવી વિપક્ષોએ ખાતરી આપી છે

વૈશ્વિક સ્તરે ભારત એવો દેશ છે જ્યાં આધ્યાત્મિક અને લોકતાંત્રિક બાબતમાં લોકો મુક્ત અને સર્વોપરી છે . રાજકારણમાં સોના દિવસો સરખા જતા નથી . દરેક તબક્કે કોઈ નવાં સમીકરણો રચાતાં હોય છે . સમયનું  ચક્ર ફરતા હારની બાજી જીતમાં અને જીતની બાજી હારમાં પલટાઈ જતી હોય છે , એ સ્વાભાવિક પ્રક્રિયા છે . થોડા સમય પૂર્વે પંજાબ અને સાંપ્રત સમયમાં મહારાષ્ટ્રમાં સત્તા પરિતર્વન આનું જીવંત ઉદાહરણ છે . દરેક પક્ષની તાકાત તેનો મજબૂત જનાદેશ છે . ઉપરાંત હાલમાં ભાજપશાસિત સરકારે પક્ષનું સંગઠન અને લોકસંપર્કને પ્રાધાન્ય આપી આમ આદમી સુધી પહોંચી લોકચાહનાનો ગ્રાફ ઉંચો જાળવી શકી છે . 

સંસદનું ચોમાસુ સત્ર 18મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે.  સત્રને લઈને તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.  મેં તમામ પક્ષોના નેતાઓને દેશના હિતમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા વિનંતી કરી છે.  ગૃહ દખલ વિના ગૌરવ સાથે ચાલવું જોઈએ.આ બિલો પણ રજૂ કરવામાં આવશે.સત્ર દરમિયાન ભારતીય એન્ટાર્કટિક બિલ 2022 ફરીથી રજૂ કરવામાં આવશે.  અગાઉ, આ બિલ 1 એપ્રિલ, 2022 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.  સત્ર દરમિયાન, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ બિલ, સહકારી મંડળીઓ સુધારો બિલ, રાષ્ટ્રીય દંત આયોગ બિલ, ભારતીય પ્રબંધન સંસ્થા સંશોધન બિલ 2022 રજૂ કરવામાં આવશે.  આ સત્ર દરમિયાન સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એમેન્ડમેન્ટ બિલ 2022 પણ રજૂ કરવામાં આવશે, જેના દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રેલ ટ્રાન્સપોર્ટને ગતિશક્તિ યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ છે.
વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હોદ્દાની મુદ્દત ૨૫ મી જુલાઈએ પૂર્ણ થાય છે અને સુ.શ્રી . દ્રોપદી મુર્ટૂના કાર્યકાળનો આરંભ થાય છે . એનડીએના ઉમેદવા ૨ નો વિજય નિશ્ચિત હતો . મહારાષ્ટ્ર અને ઝારખંડની ઘટનાઓ પછી બહુમતી કેટલી વધુ થાય છે તે જ જોવાનું છે . રાષ્ટ્રપતિની ચૂંટણીની અસર રાષ્ટ્રભરમાં શરૂ થઈ છે . ભાજપ - નરેન્દ્ર મોદીને હઠાવવા માટે વિપક્ષી મોરચાની એક્તાના પ્રયાસ નિષ્ફળ ગયા છે , નેતાઓ નિરાશ છે જ્યારે ભાજપ - એનડીએનો ઉત્સાહ અને વિશ્વાસ વધ્યો છે . આમ આવતીકાલથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ સારી રીતે થશે અને પ્રજાકીય કામો સર્વ શ્રેષ્ઠ રીતે થશે જો આમ થશે તો આપણો દેશ ચોક્કસ પ્રગતિના પંથે પડી જશે આમાં મહત્વની વસ્તુ એ એ છે કે વિપક્ષોએ સારી બાબતમાં અને સારા મુદ્દા ઉપર સરકારને સહયોગ આપવો જરૂરી છે આ જ મહત્વની વસ્તુ છે કે જેને કારણે રાષ્ટ્રનો વિકાસ થઈ શકે.


https://www.facebook.com/100068171123161/posts/349494180666283/?flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2
https://www.facebook.com/1657596949/posts/10224670227497248/?flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2
https://www.facebook.com/groups/2874746786118030/permalink/3512540702338632/?flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

Love for all

https://ilyu4you.blogspot.com/2022/07/love-for-all.html

Om nmshivay



https://www.facebook.com/PatanCityGujarat/videos/717843399519535/?flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

Saturday, July 16, 2022

પ્રેમ એટલે પ્રેમ


 

ભારતમાં પૂરની સમસ્યાને નિવારી શકાય તેમ છે

 પૂરની સમસ્યાને હળવી કરી શકાય છે

++++++++++++++++

ભારે વરસાદ અને તેને કારણે આવતા પૂર કુદરતી આપત્તિ છે કારણ કે વરસાદને આવતો રોકી શકાતો નથી આવી જ રીતે નદીઓમાં આવતા ભારે પુરને પણ અટકાવી શકાતા નથી પરંતુ તેને ચોક્કસ નિયંત્રિત કરી શકાય છે જો ડચ અને નેધરલેન્ડ જેવા દેશોમાં આ કાર્ય થઈ શકતું હોય તો તે કાર્ય આપણા દેશમાં પણ ચોક્કસ થઈ શકે છે પૂરને અટકાવી શકાય નહીં પરંતુ તેને નિયંત્રિત કરીને જાનમાલને ખાના ખરાબી જરૂર ઓછી કરી શકાય છે.



અતિ ભારે વરસાદને કારણે સમગ્ર દેશમાં અતિવૃષ્ટિ અને પૂરને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે પૂર નિયંત્રણની આધુનિક ટેકનોલોજી વિશે જાણકારી પ્રસ્તુત કરવી અત્યંત જરૂરી છે

આપણા દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આ બધા પ્રબંધન ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યું છે ભારે વરસાદને પુર પછી જે બચાવ ને રાહતની કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે તે બેવિશાલ છે આમ છતાં પુર નિયંત્રણ માટે લાંબા ગાળાનું જે કામ કરવું જોઈએ તે કરવામાં આવતું નથી જાય અને પરિસ્થિતિ કાબુમાં આવી જાય અને જીવન વ્યવહાર સારી રીતે ચાલવા લાગે પછી પૂર નિયંત્રણ ની વાત ભુલાઈ જાય છે આ આપદા પ્રબંધન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું કામ લોકોને સાવચેત કરવા સલામત જગ્યાએ ખસેડવા તથા બચાવને રાહતની કામગીરી કરવી તેના કરતાં પણ વિશેષ કાર્ય કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને ભારતીય સેના તથા સ્થાનિક પોલીસ તંત્ર હોમગાર્ડ સહિતના સેવાભાવી લોકો આફતના સમયે બચાવને રાહતની કામગીરીમાં સર્વશ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે

આપણા દેશમાં દર વર્ષે પૂર આવે છે આ પૂરને નિયંત્રિત કરવા માટે જે મિકેનિઝમ ગોઠવવામાં આવવું જોઈએ તે નીચે સુધી આપણે ગોઠવી શક્યા નથી.

નેધરલેન્ડ આપણા કરતાં પણ સાવ નાનકડો દેશ છે પરંતુ આખો દેશ લો લેવલ એરી એરિયાનો હોવાથી ત્યાં પૂર નિયંત્રણ માટેની જે સિસ્ટમ ગોઠવવામાં આવી છે તે આજની તારીખે દુનિયામાં અજોડ ગણાય છે.

સૌથી મોટું અને અત્યંત વ્યાપક પૂર સંરક્ષણ નેધરલેન્ડઝમાં જોઇ શકાય છે, જ્યાં તેમને ડેલ્ટા વર્કસ તરીકે ઓસ્ટરશિડ્યૂલ ડેમ સાથે તેની સુવ્યવસ્થા સાથે ઓળખવામાં આવે છે. આ વર્કસને નેધરલેન્ડઝના દક્ષિણપશ્ચિમના ઉત્તર દરિયાના 1953ના પૂર બાદ બાંધવામાં આવ્યું હતું. ડચે દેશના ઉત્તર ભાગમાં વિશ્વના અનેક મોટા ડેમોમાંનો એક ડેમ બાંધ્યો હતોઃએએફએસએલયુઆઇટીડીઆઇ (1932માં પૂરું થયું હતું).

નેધરલેન્ડમાં મોટાભાગનો વિસ્તાર લો લેવલનો છે અહીં ઊંચી દરિયાઈ ભરતી અને પૂરની સમસ્યા કાયમી ધોરણે વ્યક્તિ હતી આથી લોકોએ એને માટેની સરસ વ્યવસ્થા ગોઠવી અને વિશ્વની અંદર સાબિત કરીએ કે ભારેદર દરિયાઈ ભરતી તથા પૂરની સમસ્યાને સારી રીતે નિવારી શકાય છે

જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે સ્કેચમેન્ટ એરિયા નું પાણી નદીમાં ભેગું થાય છે અને તે ઘોડાપૂર નું રૂપ લઈ વ્યવહાર લાગે છે જ્યારે નદીના કાંઠા કરતા પણ આ પાણીનું ટેવલોચી જાય છે જ્યારે આ પાણી ચારે તરફ ફેલાવવા લાગે છે અને પરિણામે આસપાસના વિસ્તારો જળબંબાકાર થાય છે આને કારણે બેસુમાર નું નુકસાન થાય છે


જ્યારે નદીની ક્ષમતા અત્યંત ઊંચી હોય અને તેની ઉપરથી પાણી વહેવા માંડે છે ત્યારે માર્ગથી અન્ય દિશામાં વળી જાય છે અથવા વાંકીચૂંકી વહે છે અને તેના કિનારે રહેલા રહેણાંકો અને વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે ત્યારે નદીઓમાં પણ પૂર આવે છે તેમ કહી શકાય. પૂરથી થતા નુકસાનને સમય વીતી જાય તે પહેલા નદીથી અથવા પાણીના સંગ્રહસ્થાનથી દૂર જઇને ટાળી શકાય છે, તો બીજી બાજુ લોકો પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીની આસપાસ રહે છે અને સસ્તી અને સરળ મુસાફરી કરવા માટે નજીક રહેલા પાણીનો ફાયદો ઉઠાવે છે. પૂરનું જોખમ હોય તેવા વિસ્તારોમાં માનવીઓ 

રહેવાનો એટલા માટે રાખે છે કે આ વિસ્તાર તેને માટે આજીવીકા પૂરો પાડતો હોય. દાખલા તરીકે નદી કાઠે રહેતા લોકોને ખેતી કામ પશુપાલન સહિતના અનેક કામોમાં નદીના પાણીનો મોટાપણો ઉપયોગ કરવાનો હોવાથી તેઓ લોકો નદી કાંઠે રહેવાનું પસંદ કરે જ છે પરંતુ નદીમ કાંટાના મોટાભાગના એવા વિસ્તારોમાં પણ લોકો રહે છે કે જ્યાં પૂરની કાયમી સમસ્યા રહેતી હોય આવા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરી હોળના જાનમાલની શક્યતાઓને ઘટાડી શકાય છે

+++++++++++++++

Heavy rains and resulting floods are natural disasters because rains cannot be stopped similarly heavy floods in rivers cannot be prevented but they can definitely be controlled. Even in the country, floods cannot be prevented, but by controlling them, damage to livestock can be reduced.



 It is very important to present information about modern technology of flood control when heavy rains are causing huge damage due to heavy rains and floods across the country.

 Disaster management in our country i.e. all these management is working very well. The rescue and relief work done by the state government after heavy rains flood is immense, however the long term work for flood control is not being done. Once the situation is under control and life starts to go well, the issue of flood control is forgotten. The work of disaster management is more than alerting people, moving them to safe places and carrying out rescue and relief work. Special thanks are due to the dedicated people including the Indian Army and the local police force Home Guard who are doing their best in disaster relief operations.


The Netherlands is a much smaller country than ours, but since the entire country is a low-level floodplain, the flood control system that has been set up there is unique in the world today.

 The largest and most extensive flood defenses can be seen in the Netherlands, where they are known as delta works with their arrangement of Oosterschedel dams. The works were built after the 1953 flood of the North Sea in the southwest of the Netherlands. The Dutch built one of the world's largest dams in the northern part of the country: the AFSLUITDI (completed in 1932).

 Most of the area in the Netherlands is low-lying. Here, the problem of high tides and floods was permanent, so people made good arrangements for it and proved to the world that high tides and floods can be well avoided.

 When there is heavy rain, the water from the catchment area collects in the river and it takes the form of Ghodapoor. Innumerable losses are incurred


સુરેશ ભટ્ટ

તા.14.7.22