પ્રાકૃતિક ખેતી કરવાથી લોકોને હેલ્થ વેલ્થ અને હેપીનેસ મળશે અન્નનું ઉત્પાદન વધશે અને લોકોને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થ પ્રાપ્ત થશે જે કેમિકલ મુક્ત હશે અને આવો ખોરાક ખાવાથી માનવીનું આરોગ્ય સુધરશે તેમાં કોઈ શંકા વગરની વાત છે
**********
સજીવ ખેતી સિવાય હવે કોઈ આરો નથી.
***********
હવે અનાજ પણ કારખાનામાં બને એવા દિવસો નજીકના ભવિષ્યમાં આવી જાય તો કહેવાય નહીં!!
ગત વર્ષે ચાઇના થી આયાત થયેલા પ્લાસ્ટિકના ચોખાની વાત બહુ જ ચગી હતી.અનાજ કારખાનામાં બને કે ન બને એ અલગ વાત છે પરંતુ અત્યારે જે શાકભાજી ફળફળાદી સહિતની જે ખાદ્ય પદાર્થ ની સામગ્રી આવે છે તેમાં પેસ્ટીસાઈડના અંશો હોવાની વાત તો સાબિત થઈ ચૂકી છે દૂધથી માંડી ઘી ઘી થી માંડી તેલ સહિતની તમામ વસ્તુઓમાં હવે ટોક્ષીસિટી આવી ગઈ છે આથી જ લોકોમા ઓર્ગેનિક વસ્તુનો ક્રેઝ જાગ્યો છે. ખેડૂતો હવે આ બાબતમાં ક્રાંતિકારી કાર્ય કરી રહ્યા છે આમાં મહત્વની વસ્તુ છે સજીવ ખેતી.
ઔદ્યોગિક ક્રાંતિ પછી હરિયાળી ક્રાંતિ નો જમાનો આવ્યો. જેમાં રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ નો અતિશય ઉપયોગ કરવામાં આવ્યો જેને કારણે અન્ન ઉત્પાદન અનેક ગણું વધી ગયું. પરંતુ દાયકાઓ પછી તેની ખરાબ અસરો પર્યાવરણ પર જોવા મળી અશરો એવી હતી કે જેને નિવારી ન શકાય રસાયણોને કારણે પૃથ્વીથી ફળદ્રુપતા નષ્ટ થઈ હતી પેસ્ટીસાઈડ ને કારણે અનાજમાં પણ કેમિકલ ના અંશો આવવા લાગ્યા અને માનવ આરોગ્ય પર પણ તેની માઠી અસર થઈ હવે લોકોને સમજાય છે છે કે જેને આપણે ક્રાંતિ કહીએ છીએ કે ક્રાંતિ નથી જેને આપણે વિકાસ કહીએ છીએ તે હકીકતમાં વિનાશ છે જમીન પરની આ ગંભીર અસરો જાણવા મળતા રસાયણ અને પેસ્ટીસાઈડ આધારિત ખેતીને ધીમે ધીમે બંધ કરવામાં આવી
થોડા દાયકાઓથી આપણા દેશમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત થઈ અને તેની વ્યાપકતા ધીમે ધીમે વધતી જાય છે
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સુરતમાં એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં પ્રાકૃતિક ખેતી ના ફાયદાઓ વિશે વડાપ્રધાન વરચુલી સંબોધન કરી જણાવ્યું હતું કે ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે.
સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે કે, ગામડાઓ માત્ર પરિવર્તન લાવી શકતા નથી, પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે.
પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે એમ જણાવી પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું હતું
આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે.'
પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું હતું આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે.'
સૌના સાથ અને સૌના વિકાસ'ની ભાવના સાથે આઝાદીના અમૃત્ત કાળમાં દેશની ગતિ-પ્રગતિનો આધાર 'સૌના પ્રયાસની ભાવના' છે, જે દેશની વિકાસયાત્રાનું નેતૃત્વ કરી રહી છે
.
સુરત જિલ્લા વહીવટીતંત્રએ સુવ્યવસ્થિત આયોજન કરીને પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા બીડું ઉઠાવ્યું છે એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે રોલમોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. સુરત જિલ્લાના ૬૯૩ ગામોની ૫૫૬ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૪૧,૭૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને વિષમુક્ત ખેતીના નવા અધ્યાય તરફ ડગ માંડ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગની ચમકથી વિશ્વ સ્તરે ઝળહળતું સુરત હવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રમાં પણ દેશને દિશા ચીંધશે એવો વિશ્વાસ વડાપ્રધાનએ વ્યક્ત કર્યો હતો
સુરતના જાગૃત પ્રશાસકો, જન પ્રતિનિધિઓએ ગ્રામ, તાલુકા અને જિલ્લા સ્તરે સમિતિઓનું ગઠન કરી રૂટ લેવલ પર માઈક્રો પ્લાનિંગ કર્યું, કૃષિ નિષ્ણાતો અને ટ્રેનરોના અવિરત માર્ગદર્શન, તાલીમ અને શ્રેણીબદ્ધ વર્કશોપ યોજી ગામડાઓ ખૂંદયા, જેનું પરિણામ સૌની સામે છે, અને સુરતે એ સાબિત કર્યું કે, લક્ષ્ય પ્રાપ્તિ માટે દ્રઢ ઈચ્છા શક્તિ વડે સંકલ્પ કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે .માનવજીવન અને આરોગ્ય, સમાજ અને આપણી આહારચર્યા કૃષિ વ્યવસ્થા આધારિત છે.
, ભારત હંમેશાથી સ્વભાવ અને સંસ્કૃતિ થકી કૃષિ આધારિત દેશ રહ્યો છે. ધરતી માતાને ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી કરનારો ખેડુત ધરતીમાતાની સેવા કરી રહ્યો છે. પ્રકૃતિ અને પર્યાવરણની સંરક્ષણ સાથે ગૌમાતાનું પણ જતન થશે. પ્રાકૃતિક ખેતી એ ખુશાલીની સાથે સર્વે ભવન્તુ સુખીનઃની ભાવનાને પણ સાકારિત કરે છે. આજે સમગ્ર વિશ્વમાં શુધ્ધ ખાનપાન વિશે ચર્ચાઓ થાય છે ત્યારે ભારત સદીઓથી તેનું નેતૃત્વ કરી રહ્યો છે. આપણા શાસ્ત્રોમાં પણ પરંપરાગત પ્રાકૃતિ આધારિત કૃષિનો અનેરો મહિમા વર્ણવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
સુરેશ ભટ્ટ
By doing organic farming people will get health wealth and happiness, food production will increase and people will get organic food which is chemical free and there is no doubt that eating such food will improve human health.
**********
Apart from organic farming, there is no aro now.
***********
There is no telling if the days will come in the near future when grains are also made in factories!!
Last year there was a lot of talk about the plastic rice imported from China. Whether the grain is made in the factory or not is a different matter, but now it has been proven that there are traces of pesticides in the food items including fruits and vegetables, from milk to ghee. Everything from ghee to oil has become toxic, that's why the craze for organic products has started among people. Farmers are now doing revolutionary work in this regard, the important thing in this is organic farming.
No comments:
Post a Comment