Saturday, December 28, 2024

 તંત્રીલેખ 

ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગરનો સિંહ ફાળો

+++++++++++++++++++++

ગુજરાત રાજ્યમાં જેટલી ડુંગળી ઉત્પન્ન થાય છે તેનો 64 ટકા સિંહ ફાળો માત્ર ભાવનગર જિલ્લાના મહુવા તળાજા વિસ્તારનો છે. ડુંગળી ની ઉપયોગીતા દિવસે વધતી જાય છે. ગરીબ થી માંડી અમીર સુધીના તમામ લોકો ની ભોજનની થાળીમાં ડુંગળી વગર ચાલતું નથી.

ભાવનગર જિલ્લામાં શિયાળુ ઠંડી જામી જતાં રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. એક જ સપ્તાહમાં જિલ્લામાં વાવેતરમાં 14,500 હેકટરનો વધારો એક જ સપ્તાહમાં થયો છે. ખાસ કરીને ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના વાવેતરમાં એક સપ્તાહમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર 24,800 હેકટર થયું છે અને તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 15,900 હેકટરમાં થતા રાજ્યમાં ડુંગળીનું જે કુલ વાવેતર થયું છે તેના 64.11 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે ગત વર્ષે 52.40% વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું હતુ. આમ રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગરનો હિસ્સો વધ્યો છે. ગોહિલવાડ પંથકમાં ડિસેમ્બર માસમાં ઠંડીનું પ્રમાણ વધતા હવે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો હવે સમયગાળા દરમિયાન થશે.

ડુંગળી એ આપણા રસોડામાં સૌથી સામાન્ય અને મહત્વનું શાક છે. તેનો ઉપયોગ લગભગ દરેક પ્રકારના ભોજનમાં થાય છે. ડુંગળી માત્ર સ્વાદ જ નહીં, પરંતુ અનેક પ્રકારના પોષક તત્વોથી પણ ભરપૂર છે?

ડુંગળીના ફાયદા અનેક છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે.ડુંગળીમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

હૃદયને સ્વસ્થ રાખે છે ડુંગળીમાં રહેલા પોટેશિયમ અને ફ્લેવોનોઇડ્સ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે છે.

કેન્સરથી રક્ષણ આપે છે. ડુંગળીમાં કેટલાક એવા તત્વો હોય છે જે કેન્સર કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે.

પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ડુંગળીમાં ફાઇબર હોય છે જે પાચનને સુધારે છે અને કબજિયાતથી રાહત આપે છે.

વાળ અને ત્વચા માટે ફાયદાકારક ડુંગળીમાં સલ્ફર હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.

ડુંગળી વિવિધ પ્રકારની હોય છે જેમ કે:

લાલ ડુંગળીલાલ ડુંગળીમાં સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે.

સફેદ ડુંગળીનો સ્વાદ મીઠો હોય છે અને તેનો ઉપયોગ સલાડમાં વધુ થાય છે.

પીળી ડુંગળી:પીળી ડુંગળીનો સ્વાદ મધ્યમ હોય છે અને તેનો ઉપયોગ વિવિધ પ્રકારના ભોજનમાં થાય છે.

ડુંગળીનો ઉપયોગ

ડુંગળીનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે જેમ કે:

કાચી ડુંગળી સલાડમાં ઉમેરી શકાય છે.

ડુંગળીને તળીને ભાજીમાં ઉમેરી શકાય છે. ડુંગળીનો રસ વાળ અને ત્વચા માટે ઉપયોગી છે.

ડુંગળીને સૂકવીને પાવડર બનાવીને તેનો ઉપયોગ મસાલા તરીકે કરી શકાય છે.

ડુંગળી ખાતી વખતે સાવચેતી

વધુ પડતી ડુંગળી ખાવાથી ગેસ અને એસિડિટી થઈ શકે છે.

જે લોકોને પેટની સમસ્યા હોય તેમણે ડુંગળી ઓછી માત્રામાં ખાવી જોઈએ.

ડુંગળી ખાવાથી આંખોમાં પાણી આવી શકે છે.

ડુંગળી એ એક એવું શાક છે જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. તેને આપણા રોજિંદા આહારમાં સામેલ કરીને આપણે અનેક રોગોથી બચી શકીએ છીએ. ડુંગળી સમગ્ર ગુજરાતમાં ઉગે છે પરંતુ સૌથી વધુ ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે.ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરનો આંક 44,000 હેકટરને આંબી ગયો છે. જેમાં ડુંગળીનું વાવેતર 15,900 હેકટરે આંબી ગયું છે. જે ગત સપ્તાહે 11,600 હેકટર હતુ. એટલે કે એક જ સપ્તાહમાં જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 4300 હેકટરનો વધારો થયો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ડુંગળીનું વાવેતર 24,800 હેકટરના આંકને આંબી ગયું છે. જેમાં ભાવનગર જિલ્લો 15,900 હેકટર સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ નંબરે છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીના રાજ્યના કુલ આ વર્ષે ગુજરાતમાં ડુંગળીનુ કુલ વાવેતર 24,800 હેકટર જમીનમાં થયું છે તે પૈકી એકલા સૌરાષ્ટ્રમાં જ વાવેતર 24,700 હેકટર એટલે કે કુલ વાવેતરના 99.60 ટકા વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં થયું છે બાકીના 0.40 ટકા વાવેતરમાં બાકીનું સમગ્ર ગુજરાત આવી જાય છે. આમ ડુંગળીના વાવેતરમાં સૌરાષ્ટ્ર અને ખાસ તો ભાવનગરનો દબદબો યથાવત છે.

વાવેતરના 64.11 ટકા વાવેતર થયું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘઉંનું વાવેતર 7,400 હેકટરના આંકને આંબી ગયું છે.

ચણાનું વાવેતર 5,100 હેકટર થયું છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે ત્યારે ઘઉં, ડુંગળી અને ચણા તેમજ અન્ય કઠોળના વાવેતરમાં આ વખતે વધારો 

થવાની શકયતા છે.

સુરેશ ભટ્ટ 

No comments: