Saturday, December 28, 2024

 પ્રાસંગિક

પાવાગઢ યાત્રા: ધર્મ અને પ્રકૃતિનું અદ્ભુત સંગમ


+++++++++

માગશર વદ અમાસના રોજ 'પાવાગઢ યાત્રા ધામ ખાતે મેળાનો ઉત્સવ હોય છે.ઉપરાંત, વાર- તહેવાર અને નવરાત્રિના નવેય દિવસ પાવાગઢમાં ભાતીગળ મેળો ભરાય છે. આ સમયે અનેક પવિત્રનો પાવાગઢના દર્શને આવે છે


++++++


ગુજરાતના પવિત્ર તીર્થધામોમાં પાવાગઢ એક મહત્વનું યાત્રાધામ છે મહાકાળી માતાના શાપથી ચાપાનેર ના રાજવી પત્ઇ રાવળ તથા તેના રાજ્યનું વતન થયું હતું આ કથા ખૂબ જાણીતી છે.

પાવાગઢ, ગુજરાતનું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે. આ ડુંગર પર આવેલું મહાકાળી માતાનું મંદિર દેવી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.

મા મહાકાળીની ઉત્પત્તિ અને મહિમા : શૈવપુરાણોમાં શિવ- શક્તિનાં ‘સૌમ્ય' અને 'રૌદ્ર' એમ બે સ્વરૂપો બતાવ્યાં છે. અંબિકા, ઉમા કે

પાર્વતી સૌમ્ય સ્વરૂપો છે, જ્યારે કાલી, ચંડી કે દુર્ગા રૌદ્ર સ્વરૂપો છે. સ્કંદપુરાણમાં કથા છે કે દારૂક નામના રાક્ષસને સંહારવા પાર્વતીએ શંકરના કંઠમાંથી એક ભયંકર દેવી ઉત્પન્ન કરી. તે કાળા વર્ણની હોવાથી ‘કાલિકા’ તરીકે ઓળખાઈ. એક પગ શિવની છાતી ઉપર અને બીજો પગ તેમના સાથળ ઉપર મૂકીને ઊભેલી કાલિકાદેવીનું રૂપ જાણીતું છે.

પાવાગઢ પર્વતનું પ્રાગટ્ય :

મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વડોદરાથી આશરે 46 કિ.મી. દૂર પાવાગઢ પર્વતની ટોચે માતા મહાકાળીનાં બેસણાં છે. પાવાગઢ પર્વતના પ્રાદુર્ભાવ સંબંધી કેટલીક દંતકથાઓ જાણીતી છે. લોકકથા છે કે પાવાગઢની ખીણના ઉપરના ભાગમાં વિશ્વામિત્ર ઋષિ રહેતા હતા. તેમની પાસે કામધેનુ ગાય હતી. એક વાર ગાય ચરતાં-ચરતાં ખીણમાં પડી ગઈ. તેણે પોતાના દૂધની ધારાઓ વરસાવીને ખીણ ભરી દીધી. તેના ઉપર તરીને તે ઘેર ગઈ. ઋષિએ આ જાણ્યું તો તેમણે પરમાત્માને પ્રાર્થના કરીને ખીણ પૂરી દેવાની માગણી કરી. પરમાત્માએ એક વિરાટ પર્વત મોકલ્યો. તેના પોણા (3/4) ભાગથી ખીણ પૂરાઈ ગઈ. બાકીનો પા (1/4) ભાગ પર્વત રૂપે રહ્યો હોવાથી તે ‘પા-વાગઢ’ પર્વત કહેવાયો.

બીજી દંતકથા પ્રમાણે, રામના વનવાસ સમયે સીતાજીનું અપહરણ થયું. સીતાજીની શોધમાં નીકળેલા રામે રાવણ સાથે યુદ્ધ કર્યું. લક્ષ્મણ ઘવાયા અને મૂર્છિત થયા. એ સમયે દેશી વનસ્પતિ (સંજીવની)ની જરૂર પડી. હનુમાનજી જડીબુટ્ટી લેવા પહાડ પર ગયા. જડીબુટ્ટી ન ઓળખાતાં હનુમાનજી આખો પહાડ લઈને ઊડ્યા. તે સમયે પહાડમાંથી એક ટુકડો ખરી પડ્યો અને પાવાગઢ ડુંગર બન્યો.

મા મહાકાળીની ઉત્પત્તિ અને મહિમા : શૈવપુરાણોમાં શિવ-શક્તિનાં ‘સૌમ્ય’ અને ‘રૌદ્ર’ એમ બે સ્વરૂપો બતાવ્યાં છે. અંબિકા, ઉમા કે પાર્વતી સૌમ્ય સ્વરૂપો છે, જ્યારે કાલી, ચંડી કે દુર્ગા રૌદ્ર સ્વરૂપો છે. સ્કંદપુરાણમાં કથા છે કે દારૂક નામના રાક્ષસને સંહારવા પાર્વતીએ શંકરના કંઠમાંથી એક ભયંકર દેવી ઉત્પન્ન કરી. તે કાળા વર્ણની હોવાથી ‘કાલિકા' તરીકે ઓળખાઈ. એક પગ શિવની છાતી ઉપર અને બીજો પગ તેમના સાથળ ઉપર મૂકીને ઊભેલી કાલિકાદેવીનું રૂપ જાણીતું છે.

ધાર્મિક મહત્વ: મહાકાળી માતાનું મંદિર 52 શક્તિપીઠો પૈકીનું એક છે.માતા શક્તિનાં પવિત્ર સ્થાન એટલે શક્તિપીઠ.

શક્તિપીઠ એ હિંદુ ધર્મમાં માતા સતીનાં અંગો પૃથ્વી પર પડ્યાં હોવાનાં સ્થાનોને કહેવામાં આવે છે. માન્યતા અનુસાર, દેવી સતીએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા શિવજીનું અપમાન થતાં અગ્નિમાં પ્રવેશ કરી આત્મહુતિ કરી હતી. શિવજીએ તેમનાં મૃતદેહને લઈને બ્રહ્માંડમાં ફરી વળ્યા અને ક્રોધમાં આવીને ત્રિશૂલથી તેમનાં અંગોને ચીર્યા. જે જગ્યાએ તેમનાં અંગો પડ્યાં, ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. પાવાગઢ પણ એક શક્તિપીઠ છે.શક્તિપીઠનું મહત્વ: શક્તિપીઠોમાં દેવીનાં વિવિધ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે.

તંત્ર સાધના: તંત્ર સાધના માટે શક્તિપીઠો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શક્તિપીઠો હિંદુ ભક્તો માટે ધાર્મિક સ્થળો છે. શક્તિપીઠો દેવીની અદ્ભુત શક્તિનું પ્રતીક છે.

કેટલાંક પ્રખ્યાત શક્તિપીઠો

કામાખ્યા: આસામમાં આવેલું કામાખ્યા મંદિર દેવી કામાખ્યાને સમર્પિત છે.

જ્વાલામુખી: હિમાચલ પ્રદેશમાં આવેલું જ્વાલામુખી મંદિર અગ્નિ જ્વાળાને સમર્પિત છે.

કાલિકા: કોલકાતામાં આવેલું કાલિકા મંદિર દેવી કાળીને સમર્પિત છે.

વૈશ્ણોદેવી: જમ્મુ અને કાશ્મીરમાં આવેલું વૈશ્ણોદેવી મંદિર માતા વૈષ્ણોદેવીને સમર્પિત છે.

શક્તિપીઠોની સંખ્યા

શક્તિપીઠોની સંખ્યા વિશે વિવિધ માન્યતાઓ છે. કેટલાંક મુજબ 51 શક્તિપીઠ છે, તો કેટલાંક મુજબ 108 છે.

શક્તિપીઠોની યાત્રા કરવી એ ભક્તો માટે એક પવિત્ર અનુભવ છે. દેવી માતાનાં આશીર્વાદ મેળવવા અને મનની શાંતિ માટે ભક્તો શક્તિપીઠોની યાત્રા કરે છે. પાવાગઢ નજીક ચાંપાનેર આવેલું છે.તે

ઇતિહાસ અને સંસ્કૃતિનું સંગમ છે.

ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક શહેર છે. તેની સુંદર કુદરતી વાતાવરણ અને ઐતિહાસિક ઇમારતો માટે પ્રખ્યાત છે. ચાંપાનેરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

ચાંપાનેરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. 15મી સદીમાં ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ આ શહેરને તેની રાજધાની બનાવ્યું હતું. તેણે અહીં ઘણી સુંદર ઇમારતો બંધાવી હતી. આ શહેર તે સમયનું એક સમૃદ્ધ અને શક્તિશાળી શહેર હતું.

ચાંપાનેર કિલ્લો આ કિલ્લો ચાંપાનેરનો સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ છે. તેની મજબૂત દિવાલો અને મહેલો આજે પણ સારી રીતે સચવાયેલા છે.

જુમા મસ્જિદ: આ મસ્જિદ એક સુંદર સ્થાપત્યનું ઉદાહરણ છે. તેની મિનારો અને ગુંબજ ખૂબ જ આકર્ષક છે.

કબરો: ચાંપાનેરમાં ઘણી સુંદર કબરો છે. આ કબરો મુસ્લિમ શાસકો અને અમીરોની છે.ચાંપાનેરની નજીક પાવાગઢ ડુંગર આવેલો છે. આ ડુંગર પર માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

ચાંપાનેર નગરની પડતીની કથા : પાવાગઢની નગરી ચાંપાનેર વનરાજ ચાવડાના મંત્રી ચાંપા ભીલે વસાવેલ. ચાંપા ભીલનું રાજ્ય નષ્ટ થયા પછી માતા કાલિકાએ પાવાગઢ ઉપર રાજપૂતી રાજ્યની સ્થાપના કરેલી. એ રાજાઓની પરંપરાનો છેલ્લો રાજા તે પતાઇ રાવળ.


એક વાર મહાકાળી માતાના મંદિરના માંચી ચોકમાં નવરાત્રિએ નારીઓ દ્વારા ગવાતા ગરબાથી આકર્ષાઇને આવેલાં કાલિકા માતા પણ ગરબે ઘૂમવા લાગ્યાં. ગરબા જોવા આવેલો રાજા પતાઇ રાવળ તેમનાં તરફ મોહિત થયો. પરિણામે દેવી કાલિકાના અભિશાપથી મહંમદ બેગડાના હાથે ચાંપાનેર-પાવાગઢ રાજ્યનો ઈ.સ. 1438માં નાશ થયો.

આજેય ઠેર-ઠેર મળી આવતા અવશેષોમાંથી નગર-વિસ્તારની અને તેની શોભા-સમૃદ્ધિની કલ્પના કરી શકાય છે. મહંમદ બેગડાના મહેલના અવશેષો પણ દેખાય છે. ચાંપાનેર નગરી બાવન બજાર અને ચોર્યાસી ચૌટા ધરાવતી હતી. માતાજી આવી ભવ્ય નગરીનું રક્ષણ કરતાં, પણ પતાઇ રાજાની કુદષ્ટિથી માતાજીએ ચાંપાનેરનો નાશ કર્યો, એમ કહી શકાય.


એવી પણ કથા છે કે પતાઈ રાજાની કુદષ્ટિથી માતાજીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેમણે પતાઈ રાજાને શાપ આપ્યો અને માતાજી જમીનમાં સમાવા લાગ્યાં, માતાજીની મૂર્તિ પહાડમાં પ્રવેશવા લાગી. એ સમયે ચંદનશાહ પીર નામના ભક્તે વિનંતી કરતાં માતાજી ત્યાં અટકી ગયાં. આજે પણ પાવાગઢ મંદિરમાં માતાજીનું માત્ર મસ્તક જ બહાર દેખાય છે. પહેલાં ચંદનશાહ પીરની દરગાહ માતાજીના મંદિરની ટોચે હતી, પરંતુ મંદિરના નવનિર્માણ પછી આ દરગાહ માતાજીના મંદિરની બાજુમાં રચાઇ છે.

પાવાગઢ યાત્રાનો માર્ગ: પાવાગઢ લગભગ 800 મીટર ઊંચો પર્વત છે. તેના ઉચ્ચતમ શિખર પર મા મહાકાળીનું સ્થાનક મંદિર છે. ચાંપાનેરના ભગ્ન કિલ્લાના એક દ્વારથી પાવાગઢ યાત્રાનો આરંભ થાય છે. ઉપર ચડતાં અધવચ્ચે માંચી ગામ આવે છે. અહીં સુધી પગપાળા કે વાહનો દ્વારા આવી શકાય છે. માંચીમાંધર્મશાળા છે, ખાણીપીણીની પણ વ્યવસ્થા છે. અહીંથી મંદિર સુધી પગપાળા પણ જવાય છે અને 'રોપ-વે'ની પણ સુવિધા છે. માર્ગમાં વચ્ચે તેલીયું તળાવ અને દૂધિયું તળાવ આવે છે. 


ચાંપાનેર પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન વડોદરા છે. તમે વડોદરાથી બસ અથવા ટેક્સી દ્વારા ચાંપાનેર પહોંચી શકો છો.

ક્યારે જવું

ચાંપાનેરની મુલાકાત લેવા માટે શિયાળાની ઋતુ સૌથી સારો સમય છે. આ સમયે હવામાન ખૂબ જ સુખદ હોય છે.

ચાંપાનેરમાં રહેવા માટે ઘણા હોટલ અને ગેસ્ટ હાઉસ છે.

ચાંપાનેરમાં ખાવા માટે ઘણી જગ્યાઓ છે. તમને અહીં ગુજરાતી અને મુગલાઈ ખાના મળશે.

ચાંપાનેર એક એવું સ્થળ છે જ્યાં તમે ઇતિહાસ અને સંસ્કૃતિનો આનંદ માણી શકો છો. જો તમે ગુજરાતની મુલાકાતે આવો છો તો

 ચાંપાનેર જરૂરથી જોવું જોઈએ.

સુરેશ ભટ્ટ 






No comments: