Saturday, December 28, 2024
તંત્રીલેખ તા૨૫ ૧૨ ૨૪
+++++
રાષ્ટ્રના હિતમાં યુદ્ધ કરવું વ્યાજબી નથી
++++++++++++++++++++
આજે ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાથી માંડીને તમામ સોશિયલ સાઇટ ઉપર સતત પ્રચાર થઈ રહ્યો છે કે બાંગ્લાદેશમાં હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેને જડબાતોડ જવાબ આપીને બાંગ્લાદેશને ખેદાન મેદાન કરી નાખવું જોઈએ. આ આક્રોશ વ્યાજબી છે પરંતુ આજની તારીખે યુદ્ધ કરવું એ આપણા દેશ માટે વ્યાજબી નથી.
પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન જવા દુશ્મનોને યુદ્ધ દ્વારા નહીં પરંતુ અન્ય વ્યૂહરચનાથી પ્રાપ્ત કરી દેવા માં આપણા વડાપ્રધાન સક્ષમ છે. વિશ્વના મોટાભાગના દેશોનું સમર્થન ભારતને મળી રહ્યું છે ભારતને સન્માન મળી રહ્યું છે ત્યારે દુશ્મન દેશો એકલા પડી જાય અને તેના પર દબાણ વધે તેવી માઈન્ડ ગેમ કરવામાં આવી રહી છે. જેને અહેવાતા બુદ્ધિ જીવીઓ સમજી શકે નહીં તે હકીકત છે.
ભારત જેવા વિકસતા દેશ માટે યુદ્ધ કરવું પોસાય તેમ નથી. યુદ્ધ કરવામાં આવે તો આપણો આર્થિક વિકાસ અટકી જાય.પ્રજાલક્ષી કાર્ય અટકી અટકી જાય અને સમગ્ર ફોકસ માત્ર યુદ્ધ પર કેન્દ્રિત થાય. આથી વર્તમાન સંજોગોમાં યુદ્ધ કરવું વ્યાજબી નથી.આ ઉપરાંત દુશ્મન ના હુમલા ને કારણે ભારતની પ્રજાનું ટેન્શન વધી જાય.હાલ ભારતમાં જે ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે તે થપ થઈ જાય. અને પ્રજાનું લક્ષ્ય
થઈને યુદ્ધ જીતવા પર કેન્દ્રિત થઈ જાય આના કારણે ઔદ્યોગિક અને વ્યાપારના અલગ અલગ સેક્ટરનો વિકાસ ઠપ થઈ જાય. મોટા શહેરોની પ્રજા દુશ્મનોના મિસાઈલ એટેક ને કારણે ભયગ્રસ્ત બની જાય.
આજે મોટાભાગના સમજદાર માણસો માને છે કે શાંતિમાં જ કલ્યાણ છે. આજના સમયમાં યુદ્ધ એ જ કલ્યાણ એ વસ્તુ સાચી નથી.
આજે આપની સામે યુક્રેનના અને રશિયાના યુદ્ધના દાખલા નજર સામે જ છે રશિયાને એમ કે નાનકડા યુક્રેનને ચપટીમાં ચોળી નખશુ. પણ આજે આપણે જોઈએ છીએ કે યુદ્ધ કરી કરીને રશિયા પણ થાકી ગયુ છે તેના આર્થિક વિકાસને ગંભીર અસર પહોંચી છે આવી જ દશા ઇઝરાઇલની થઈ છે.
અને યૂક્રેન યુદ્ધને બે વર્ષ વીતિ ગયા. યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશ્યું છે પણ બેમાંથી એકપણ દેશ યુદ્ધ બંધ કરવા કે હાર માનવા તૈયાર નથી. યૂક્રેન ટચૂકડો દેશ છે એટલે રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનને એમ કે તેને ચપટીમાં ચોળી નાંખીશું પણ યૂક્રેન અને તેની પ્રજાએ રશિયા અને પુતિનને યુદ્ધમાં બરોબરની ટક્કર આપી દે આપીને રશિયાની આંખે અંધારા લાવી દીધા છે. રશિયાનાં આક્રમણ અને હુમલામાં યૂક્રેન ખંડેર થઈ ગયું છે. પાયમાલ થઈ ગયું છે પણ હજી મચક આપવા તૈયાર નથી. રશિયા પાસે જૂના શસ્ત્રોનો ભંડાર ખૂટી ગયો છે. ભારત અને નોર્થ કોરિયા સહિતનાં અનેક દેશોનાં ભાડૂતી સૈનિકોની મદદથી તે યૂક્રેન સામે લડીને તેની તંગડી ઊંચી રાખી રહ્યું છે. રશિયાનો રૂબલનો ભંડાર ખૂટી જવા આવ્યો છે. સરકારની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ છે. પ્રજા કારમી મોંઘવારીમાં પિસાઈ રહી છે આમ છતાં પુતિન સત્તા ટકાવી રાખવા લોકોનાં અરમાનો અને ભવિષ્ય સાથે ખેલ ખેલી રહ્યા છે. બીજી તરફ ખંડેરમાં ફેરવાઈ ગયેલા યૂક્રેનનાં ઝેલેન્સ્કીને હવે શાંતિનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. ઝેલેન્સ્કીએ હવે ખોંખારીને ભારતનાં પીએમ મોદીને મધ્યસ્થી બનવા અને યુદ્ધ બંધ કરાવવા અપીલ કરી છે. જો કે રશિયા અને યૂક્રેનનાં વલણમાં હજી કોઈ નરમાઈ જોવા મળી નથી. બંને નેતાઓ એકબીજાનું લોહી પીવા તરસ્યા બન્યા છે. શાંતિ કે યુદ્ધ વિરામ માટે જે વાતાવરણ સર્જાવું જોઈએ તેવી કોઈ હિલચાલ દેખાતી નથી. ભૂતકાળમાં ઝેલેન્સ્કી શાંતિ સંમેલન યોજી ચૂક્યા છે પણ તેમાં શાંતિને બદલે પોતાને અનુકૂળ વાતાવરણ સર્જવાની ખેવના વધારે હતી. તેઓ વિશ્વની અને અનેક દેશોની સહાનુભૂતિ મેળવવા વધારે સક્રિય હોય તેવું લાગતું હતું. એક વાત નક્કી છે કે શાંતિ કે યુદ્ધ વિરામ માટે બંને પક્ષ તૈયાર હોવા જોઈએ. બંનેનો ટોન નરમ હોવો જોઈએ. કશુંક આપીને કંઈક લેવાની તૈયારી હોવી જોઈએ. પણ આમાંનું એકપણ લક્ષણ જોવા મળ્યું ન હતું. ઝેલેન્સ્કી હવે ભારત અને મોદી તરફ આશાભરી મીટ માંડી રહ્યા છે. યુદ્ધમાં રશિયા અને યૂક્રેન બંનેની કમર ભાંગી ગઈ છે પણ હજી અકડાઈ છોડવી નથી. જ્યાં સુધી અકડાઈ નહીં છૂટે ત્યાં સુધી વાત આગળ વધવાની નથી. રશિયા હવે પૂરા જોશ સાથે યૂક્રેન પર હુમલા કરી રહ્યું છે. અમેરિકાની ચૂંટણીમાં જો ટ્રમ્પ જીતે તો યૂક્રેનને કરવામાં આવતી સહાયમાં ઘટાડો થઈ શકે છે. આથી ઝેલેન્સ્કી વહેલામાં વહેલી તકે શસ્ત્ર વિરામની કાકલૂદી કરી રહ્યા છે. ભારત અને મોદી અત્યારે તો થોભો અને રાહ જુઓની પોઝિશનમાં છે. ભારત માટે તો તેલ જુઓ તેલની ધાર જુઓમાં જ શાણપણ છે.
સુ
રેશ ભટ્ટ
તંત્રીલેખ
જીએસટી સહજ અને સરળ હોવો જોઈએ
+++++++++++++++
વેપાર ઉદ્યોગને લગતા કાયદાઓ સહજ અને સરળ હોવા જોઈએ જેથી સામાન્ય ઉદ્યોગપતિ અને વેપારીઓ તેને સરળતાથી સમજી શકે પરંતુ આપણા દેશના વેપાર ઉધોગને લગતા કાયદાઓ એટલા જટિલ છે કે જેને સમજવા માટે નિષ્ણાંત લોકોની મદદ લેવી પડે અને નિષ્ણાંત પણ આની અંદર ગોથા ખાઈ જાય તેવી કલમો છે.
જીએસટી લાગુ કર્યા પછી એમ હતું કે આ એકદમ સરળ અને સીધી કર પદ્ધતિ છે પરંતુ લાગુ કર્યા પછી લાગ્યું કે તે સરળ નથી અને વ્યવહારિક પણ નથી આથી આગામી 2025 ના બજેટમાં જીએસટી સુધારાની તક છે આપને જીએસટી સ્ટેપને સરળ બનાવો પડશે અને સુનિશ્ચિત કરવું પડશે કે 98% થી વધુ આઈટમ એક કે બે સ્લેબમાં જ હોય. કાયદા ઘડનારાઓની એક માનસિકતા એવી છે કે લક્ઝરી વસ્તુ જેટલી છે એ બધી ખરાબ છે આ માનસિકતા બદલવી પડશે.
જીએસટી એટલે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ**. એક સરળ ભાષામાં કહીએ તો, આ એક પ્રકારનો કર છે જે આપણે કોઈપણ વસ્તુ ખરીદીએ અથવા કોઈ સેવા લઈએ ત્યારે ચૂકવીએ છીએ. આ કરને કારણે આપણે જે વસ્તુ ખરીદીએ છીએ તેના ભાવમાં થોડો વધારો થાય છે. આપણે એ જોઈએ કે જીએસટી શા માટે બનાવવામાં આવ્યો છે
જીએસટીથી પહેલા, આપણે ઘણા પ્રકારના કર ચૂકવવા પડતા હતા. જીએસટીએ આ બધા કરને એક કરમાં ભેગા કરી દીધા છે.
જીએસટીથી કરચોરી કરવી મુશ્કેલ બની ગઈ છે.
જીએસટીએ કર પ્રણાલીને સરળ બનાવી છે જીએસટીથી સરકારને વધુ આવક મળે છે જેનો ઉપયોગ દેશના વિકાસમાં કરવામાં આવે છે જીએસટી કેવી રીતે કામ કરે છે? એ જાણવું પણ જરૂરી છે.
જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે તેની કિંમતમાં જીએસટીનો સમાવેશ થાય છે. આ રકમ વેચનાર દ્વારા સરકારને ચૂકવવામાં આવે છે.
જીએસટીના પ્રકાર કેટલા છે.
જીએસટી મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે:
CGST (Central Goods and Services Tax):** કેન્દ્ર સરકારને જતી રકમ.
SGST (State Goods and Services Tax): રાજ્ય સરકારને જતી રકમ.
IGST (Integrated Goods and Services Tax):** એક રાજ્યથી બીજા રાજ્યમાં થતી ખરીદી પર લાગુ પડતો કર.
જીએસટીના ફાયદા કેટલા છે તે જાણવું જરૂરી છે આનાથી વેપાર કરવો સરળ બન્યું છે. ના કારણે
કરચોરીમાં ઘટાડો થયો છે. આ સરળ કર પ્રણાલી છે. તે દેશના વિકાસમાં ફાળો આપે છે અને સપ્લાય ચેઇનમાં સુધારો કરે છે.
જીએસટીના ગેરફાયદા પણ છે. આના કારણે
કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.
નાના વેપારીઓ માટે મુશ્કેલી પડી રહી છે. પાસ કરીને નાના વેપારીઓને જીએસટીને સમજવામાં મુશ્કેલી પડે છે.
સુનિશ્ચિત કરવું પડશે કે 98%થી વધુ આઈટમ એક કે બે સ્લેબમાં જ હોય. લક્ઝરીવાળી વસ્તુઓ ખરાબ છે, એ માનસિકતા બદલવી પડશે.
ગત દાયકાના સૌથી અઘરા સુધારામાંથી એક રાષ્ટ્રીય જીએસટી હતો, જેને 2017માં લાગુ કરાયો હતો. તેને વિવિધ કેન્દ્રિય અને રાજ્યોના અપ્રત્યક્ષ કરનું સ્થાન લીધું હતું. સંસદના બંને ગૃહ ઉપરાંત દરેક રાજ્યની વિધાનસભાએ પણ જીએસટી પસાર કરવાનો હતો. જેના કારણે લાખો વ્યવસાયોએ સમગ્ર ટેક્સ પદ્ધતિ બદલવી પડી. ઓનલાઈન સિસ્ટમ બનાવવી પડી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની મહેસૂલી આવકના ભાગલા નક્કી કરવા પડ્યા. વિરોધ પક્ષની ટીકા સહન કરવી પડી. પ્રજાનો વિશ્વાસ જીતવો પણ જરૂરી હતો. ભારત જેવા દેશ માટે આ એક ધીમો પરંતુ અઘરો સુધારો હતો. કદાચ એટલે જ તેને ભાજપના નેતૃત્ત્વવાળી સરકારની મુખ્ય સિદ્ધિમાંથી એક મનાય છે. જીએસટીનો મૂળભૂત હેતુ કર વ્યવસ્થા સમાન,
સરળ અને નક્કામી ઝંઝટોમાંથી મુક્તિ હતી. તેમ છતાં ગત સપ્તાહે ઈન્ટરનેટ પર કેરેમલાઈઝ્ડ- પોપકોર્ન પર જીએસટી અંગે મીમ્સની ધૂમ મચી હતી.
જાણવા મળ્યું છે કે, સાદા કે નમકીન પોપકોર્ન પર 5% જીએસટી લાગે છે, પરંતુ કેરેમલાઈઝ્ડ-પોપકોર્ન પર 18% ટેક્સ લાગે છે. કારણ? કેમકે ખાંડવાળા સ્નેક્સ પર 18% જીએસટી લાગે છે, જ્યારે કે નમકીન સ્નેક્સ પર 5% જ લાગે છે. કેમકે કેરેમલાઈઝઝ્ડ પોપકોર્ન ગળ્યા હોય છે, એટલે તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે.
ખુદ દેશના નાણામંત્રીએ એક પત્રકાર પરિષદમાં આ અંગે ખુલાસો કરવો પડ્યો હતો.
થોડા મહિના અગાઉ દક્ષિણ ભારતની એક રેસ્ટોરન્ટ-ચેઈનના માલિકે જણાવ્યું હતું કે, ઓછો ટેક્સ લાગે છે, ક્રીમ પર ઓછો ટેક્સ લાગે છે, પરંતુ જો બન પર ક્રીમ લગાવવામાં આવે તો બંને પર વધુ ટેક્સ લાગે છે. જેનું પરિણામ એ આવ્યું કે, તેમના ગ્રાહક ક્રીમ અને બન અલગ-અલગ માગવા લાગ્યા. આ વાત મજાકમાં કહેવાઈ હતી, પરંતુ તે એક કડવું સત્ય જણાવે છે. આવી બધી બાબતોને સરળ બનાવવા માટે લાગુ કરાયેલો જીએસટી સમયની સાથે વધુ જટિલ બનતો જઈ રહ્યો છે.આ સમસ્યાનું મૂળ કારણ નીતિ-નિર્માતાઓની માનસિકતા છે. તેઓ દરેક બાબતને નિયંત્રિત કરવાની પોતાની ઈચ્છા છોડી શકતા નથી, ટેક્સમાં પણ પોતાની નૈતિકતા લાગુ કરી શકે છે,
+++++++++++++
વધારાના કર-મહેસુલનું
દરેક ટીપું નીચોવવા માટે 'ચતુર' નીતિઓ બનાવી શકે છે અને જીએસટી પાછળ આ વ્યાપક ઉદ્દેશ્યને જોઈ શકતા નથી કે તેને વસ્તુઓને સરળ બનાવવા માટે લાવવામાં આવ્યો હતો. અનેક ટેક્સ સ્લેબ, પેટા કર અને નીતિ-નિર્માતાઓના હાથમાં અનિયંત્રિત શક્તિવાળો જટિલ જીએસટી, જીએસટી સુધારા ન થવા સમાન જ છે. જીએસટીની શરૂઆતના સમયે તેમાં ચાર સ્લેબ હતાઃ 5%, 12%, 18% અને 28%. કેટલીક વસ્તુઓને જીએસટીમાં છૂટ અપાઈ હતી, જેના પર 0% સ્લેબ લાગુ થઈ ગયો. ઈંધણ જેવી કેટલીક વસ્તુઓને જીએસટીથી બહાર રખાઈ હતી, જેના પર કરનો દર વધુ હતો. જેના કારણે એક વધારાનો સ્લેબ બની ગયો. આ રીતે, આપણે છ જુદા-જુદા જીએસટી દર સાથે શરૂઆત કરી. સમયની સાથે કેટલાક ઉત્પાદ (જેમકે લક્ઝરી કારો) પર અનેક પ્રકારના પેટાકર ઉમેરવામાં આવ્યા, જેનો અર્થ છે કે, આ છ સ્લેબમાં વધુ હેરાફેરી કરીનેનીતિ-નિર્માતા પોતાની ઈચ્છા મુજબ જીએસટીનો દર નક્કી કરી શકે છે. અનેક સ્લેબની સાથે શરૂઆત કરવા પાછળ જટિલ વ્યવસ્થામાં સુધારાનો વિચાર હતો. જોકે, જેમ-જેમ આપણે 2025ની નજીક પહોંચી રહ્યા છીએ, આપણે જીએસટીને વધુ સરળ બનાવવો જોઈએ. તેને બે સ્લેબ કરતાં વધુ ન રાખવો જોઈએ અને પેટાકરને સમાપ્ત કરવા જોઈએ. તો જ જીએસટીના વાસ્તવિક ફાયદા અનુભવી શકાશે. જોકે, અત્યારે તો આપણે ગળ્યું વિરુદ્ધ નમકીન અને તેમના કરવેરાના દરની ચર્ચામાં ગુંચવાયેલા છીએ. જોકે, નમકીન સ્નેક્સ પણ પાચન દરમિયાન શરીર દ્વારા સુગરના સ્વરૂપે જ તુટે છે. તો શું જીએસટીને સ્નેક્સને હજમ કર્યા પછી સુગર પર પણ ટેક્સ લગાવવો જોઈએ? પોપકોર્ન અને ક્રીમ બન જ ભારતમાં વિચિત્ર કરવાળી વસ્તુઓ નથી. ઝાડુ પર 0% જીએસટી છે, વેક્યુમ ક્લીનર પર 28% છે. 1,000થી વધુ કિંમતની વસ્તુના બૂટ પર 5% કર લાગે છે, તેનાથી મોંઘા બૂટ પર 18%. તેમાંથી અનેક નીતિઓ ઉદારીકરણથી પહેલાની એ માનસિકતા દ્વારા પેદા થઈ છે, જે સારી વસ્તુ, આરા
મદાયક હોય તેના પર ટેક્સ લાગુ કરી દો.
પ્રાસંગિક
પાવાગઢ યાત્રા: ધર્મ અને પ્રકૃતિનું અદ્ભુત સંગમ
+++++++++
માગશર વદ અમાસના રોજ 'પાવાગઢ યાત્રા ધામ ખાતે મેળાનો ઉત્સવ હોય છે.ઉપરાંત, વાર- તહેવાર અને નવરાત્રિના નવેય દિવસ પાવાગઢમાં ભાતીગળ મેળો ભરાય છે. આ સમયે અનેક પવિત્રનો પાવાગઢના દર્શને આવે છે
++++++
ગુજરાતના પવિત્ર તીર્થધામોમાં પાવાગઢ એક મહત્વનું યાત્રાધામ છે મહાકાળી માતાના શાપથી ચાપાનેર ના રાજવી પત્ઇ રાવળ તથા તેના રાજ્યનું વતન થયું હતું આ કથા ખૂબ જાણીતી છે.
પાવાગઢ, ગુજરાતનું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે. આ ડુંગર પર આવેલું મહાકાળી માતાનું મંદિર દેવી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.
મા મહાકાળીની ઉત્પત્તિ અને મહિમા : શૈવપુરાણોમાં શિવ- શક્તિનાં ‘સૌમ્ય' અને 'રૌદ્ર' એમ બે સ્વરૂપો બતાવ્યાં છે. અંબિકા, ઉમા કે
પાર્વતી સૌમ્ય સ્વરૂપો છે, જ્યારે કાલી, ચંડી કે દુર્ગા રૌદ્ર સ્વરૂપો છે. સ્કંદપુરાણમાં કથા છે કે દારૂક નામના રાક્ષસને સંહારવા પાર્વતીએ શંકરના કંઠમાંથી એક ભયંકર દેવી ઉત્પન્ન કરી. તે કાળા વર્ણની હોવાથી ‘કાલિકા’ તરીકે ઓળખાઈ. એક પગ શિવની છાતી ઉપર અને બીજો પગ તેમના સાથળ ઉપર મૂકીને ઊભેલી કાલિકાદેવીનું રૂપ જાણીતું છે.
પાવાગઢ પર્વતનું પ્રાગટ્ય :
મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વડોદરાથી આશરે 46 કિ.મી. દૂર પાવાગઢ પર્વતની ટોચે માતા મહાકાળીનાં બેસણાં છે. પાવાગઢ પર્વતના પ્રાદુર્ભાવ સંબંધી કેટલીક દંતકથાઓ જાણીતી છે. લોકકથા છે કે પાવાગઢની ખીણના ઉપરના ભાગમાં વિશ્વામિત્ર ઋષિ રહેતા હતા. તેમની પાસે કામધેનુ ગાય હતી. એક વાર ગાય ચરતાં-ચરતાં ખીણમાં પડી ગઈ. તેણે પોતાના દૂધની ધારાઓ વરસાવીને ખીણ ભરી દીધી. તેના ઉપર તરીને તે ઘેર ગઈ. ઋષિએ આ જાણ્યું તો તેમણે પરમાત્માને પ્રાર્થના કરીને ખીણ પૂરી દેવાની માગણી કરી. પરમાત્માએ એક વિરાટ પર્વત મોકલ્યો. તેના પોણા (3/4) ભાગથી ખીણ પૂરાઈ ગઈ. બાકીનો પા (1/4) ભાગ પર્વત રૂપે રહ્યો હોવાથી તે ‘પા-વાગઢ’ પર્વત કહેવાયો.
બીજી દંતકથા પ્રમાણે, રામના વનવાસ સમયે સીતાજીનું અપહરણ થયું. સીતાજીની શોધમાં નીકળેલા રામે રાવણ સાથે યુદ્ધ કર્યું. લક્ષ્મણ ઘવાયા અને મૂર્છિત થયા. એ સમયે દેશી વનસ્પતિ (સંજીવની)ની જરૂર પડી. હનુમાનજી જડીબુટ્ટી લેવા પહાડ પર ગયા. જડીબુટ્ટી ન ઓળખાતાં હનુમાનજી આખો પહાડ લઈને ઊડ્યા. તે સમયે પહાડમાંથી એક ટુકડો ખરી પડ્યો અને પાવાગઢ ડુંગર બન્યો.
મા મહાકાળીની ઉત્પત્તિ અને મહિમા : શૈવપુરાણોમાં શિવ-શક્તિનાં ‘સૌમ્ય’ અને ‘રૌદ્ર’ એમ બે સ્વરૂપો બતાવ્યાં છે. અંબિકા, ઉમા કે પાર્વતી સૌમ્ય સ્વરૂપો છે, જ્યારે કાલી, ચંડી કે દુર્ગા રૌદ્ર સ્વરૂપો છે. સ્કંદપુરાણમાં કથા છે કે દારૂક નામના રાક્ષસને સંહારવા પાર્વતીએ શંકરના કંઠમાંથી એક ભયંકર દેવી ઉત્પન્ન કરી. તે કાળા વર્ણની હોવાથી ‘કાલિકા' તરીકે ઓળખાઈ. એક પગ શિવની છાતી ઉપર અને બીજો પગ તેમના સાથળ ઉપર મૂકીને ઊભેલી કાલિકાદેવીનું રૂપ જાણીતું છે.
ધાર્મિક મહત્વ: મહાકાળી માતાનું મંદિર 52 શક્તિપીઠો પૈકીનું એક છે.માતા શક્તિનાં પવિત્ર સ્થાન એટલે શક્તિપીઠ.
શક્તિપીઠ એ હિંદુ ધર્મમાં માતા સતીનાં અંગો પૃથ્વી પર પડ્યાં હોવાનાં સ્થાનોને કહેવામાં આવે છે. માન્યતા અનુસાર, દેવી સતીએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા શિવજીનું અપમાન થતાં અગ્નિમાં પ્રવેશ કરી આત્મહુતિ કરી હતી. શિવજીએ તેમનાં મૃતદેહને લઈને બ્રહ્માંડમાં ફરી વળ્યા અને ક્રોધમાં આવીને ત્રિશૂલથી તેમનાં અંગોને ચીર્યા. જે જગ્યાએ તેમનાં અંગો પડ્યાં, ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. પાવાગઢ પણ એક શક્તિપીઠ છે.શક્તિપીઠનું મહત્વ: શક્તિપીઠોમાં દેવીનાં વિવિધ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે.
તંત્ર સાધના: તંત્ર સાધના માટે શક્તિપીઠો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શક્તિપીઠો હિંદુ ભક્તો માટે ધાર્મિક સ્થળો છે. શક્તિપીઠો દેવીની અદ્ભુત શક્તિનું પ્રતીક છે.
કેટલાંક પ્રખ્યાત શક્તિપીઠો
કામાખ્યા: આસામમાં આવેલું કામાખ્યા મંદિર દેવી કામાખ્યાને સમર્પિત છે.
જ્વાલામુખી: હિમાચલ પ્રદેશમાં આવેલું જ્વાલામુખી મંદિર અગ્નિ જ્વાળાને સમર્પિત છે.
કાલિકા: કોલકાતામાં આવેલું કાલિકા મંદિર દેવી કાળીને સમર્પિત છે.
વૈશ્ણોદેવી: જમ્મુ અને કાશ્મીરમાં આવેલું વૈશ્ણોદેવી મંદિર માતા વૈષ્ણોદેવીને સમર્પિત છે.
શક્તિપીઠોની સંખ્યા
શક્તિપીઠોની સંખ્યા વિશે વિવિધ માન્યતાઓ છે. કેટલાંક મુજબ 51 શક્તિપીઠ છે, તો કેટલાંક મુજબ 108 છે.
શક્તિપીઠોની યાત્રા કરવી એ ભક્તો માટે એક પવિત્ર અનુભવ છે. દેવી માતાનાં આશીર્વાદ મેળવવા અને મનની શાંતિ માટે ભક્તો શક્તિપીઠોની યાત્રા કરે છે. પાવાગઢ નજીક ચાંપાનેર આવેલું છે.તે
ઇતિહાસ અને સંસ્કૃતિનું સંગમ છે.
ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક શહેર છે. તેની સુંદર કુદરતી વાતાવરણ અને ઐતિહાસિક ઇમારતો માટે પ્રખ્યાત છે. ચાંપાનેરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
ચાંપાનેરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. 15મી સદીમાં ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ આ શહેરને તેની રાજધાની બનાવ્યું હતું. તેણે અહીં ઘણી સુંદર ઇમારતો બંધાવી હતી. આ શહેર તે સમયનું એક સમૃદ્ધ અને શક્તિશાળી શહેર હતું.
ચાંપાનેર કિલ્લો આ કિલ્લો ચાંપાનેરનો સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ છે. તેની મજબૂત દિવાલો અને મહેલો આજે પણ સારી રીતે સચવાયેલા છે.
જુમા મસ્જિદ: આ મસ્જિદ એક સુંદર સ્થાપત્યનું ઉદાહરણ છે. તેની મિનારો અને ગુંબજ ખૂબ જ આકર્ષક છે.
કબરો: ચાંપાનેરમાં ઘણી સુંદર કબરો છે. આ કબરો મુસ્લિમ શાસકો અને અમીરોની છે.ચાંપાનેરની નજીક પાવાગઢ ડુંગર આવેલો છે. આ ડુંગર પર માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
ચાંપાનેર નગરની પડતીની કથા : પાવાગઢની નગરી ચાંપાનેર વનરાજ ચાવડાના મંત્રી ચાંપા ભીલે વસાવેલ. ચાંપા ભીલનું રાજ્ય નષ્ટ થયા પછી માતા કાલિકાએ પાવાગઢ ઉપર રાજપૂતી રાજ્યની સ્થાપના કરેલી. એ રાજાઓની પરંપરાનો છેલ્લો રાજા તે પતાઇ રાવળ.
એક વાર મહાકાળી માતાના મંદિરના માંચી ચોકમાં નવરાત્રિએ નારીઓ દ્વારા ગવાતા ગરબાથી આકર્ષાઇને આવેલાં કાલિકા માતા પણ ગરબે ઘૂમવા લાગ્યાં. ગરબા જોવા આવેલો રાજા પતાઇ રાવળ તેમનાં તરફ મોહિત થયો. પરિણામે દેવી કાલિકાના અભિશાપથી મહંમદ બેગડાના હાથે ચાંપાનેર-પાવાગઢ રાજ્યનો ઈ.સ. 1438માં નાશ થયો.
આજેય ઠેર-ઠેર મળી આવતા અવશેષોમાંથી નગર-વિસ્તારની અને તેની શોભા-સમૃદ્ધિની કલ્પના કરી શકાય છે. મહંમદ બેગડાના મહેલના અવશેષો પણ દેખાય છે. ચાંપાનેર નગરી બાવન બજાર અને ચોર્યાસી ચૌટા ધરાવતી હતી. માતાજી આવી ભવ્ય નગરીનું રક્ષણ કરતાં, પણ પતાઇ રાજાની કુદષ્ટિથી માતાજીએ ચાંપાનેરનો નાશ કર્યો, એમ કહી શકાય.
એવી પણ કથા છે કે પતાઈ રાજાની કુદષ્ટિથી માતાજીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેમણે પતાઈ રાજાને શાપ આપ્યો અને માતાજી જમીનમાં સમાવા લાગ્યાં, માતાજીની મૂર્તિ પહાડમાં પ્રવેશવા લાગી. એ સમયે ચંદનશાહ પીર નામના ભક્તે વિનંતી કરતાં માતાજી ત્યાં અટકી ગયાં. આજે પણ પાવાગઢ મંદિરમાં માતાજીનું માત્ર મસ્તક જ બહાર દેખાય છે. પહેલાં ચંદનશાહ પીરની દરગાહ માતાજીના મંદિરની ટોચે હતી, પરંતુ મંદિરના નવનિર્માણ પછી આ દરગાહ માતાજીના મંદિરની બાજુમાં રચાઇ છે.
પાવાગઢ યાત્રાનો માર્ગ: પાવાગઢ લગભગ 800 મીટર ઊંચો પર્વત છે. તેના ઉચ્ચતમ શિખર પર મા મહાકાળીનું સ્થાનક મંદિર છે. ચાંપાનેરના ભગ્ન કિલ્લાના એક દ્વારથી પાવાગઢ યાત્રાનો આરંભ થાય છે. ઉપર ચડતાં અધવચ્ચે માંચી ગામ આવે છે. અહીં સુધી પગપાળા કે વાહનો દ્વારા આવી શકાય છે. માંચીમાંધર્મશાળા છે, ખાણીપીણીની પણ વ્યવસ્થા છે. અહીંથી મંદિર સુધી પગપાળા પણ જવાય છે અને 'રોપ-વે'ની પણ સુવિધા છે. માર્ગમાં વચ્ચે તેલીયું તળાવ અને દૂધિયું તળાવ આવે છે.
ચાંપાનેર પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન વડોદરા છે. તમે વડોદરાથી બસ અથવા ટેક્સી દ્વારા ચાંપાનેર પહોંચી શકો છો.
ક્યારે જવું
ચાંપાનેરની મુલાકાત લેવા માટે શિયાળાની ઋતુ સૌથી સારો સમય છે. આ સમયે હવામાન ખૂબ જ સુખદ હોય છે.
ચાંપાનેરમાં રહેવા માટે ઘણા હોટલ અને ગેસ્ટ હાઉસ છે.
ચાંપાનેરમાં ખાવા માટે ઘણી જગ્યાઓ છે. તમને અહીં ગુજરાતી અને મુગલાઈ ખાના મળશે.
ચાંપાનેર એક એવું સ્થળ છે જ્યાં તમે ઇતિહાસ અને સંસ્કૃતિનો આનંદ માણી શકો છો. જો તમે ગુજરાતની મુલાકાતે આવો છો તો
ચાંપાનેર જરૂરથી જોવું જોઈએ.
સુરેશ ભટ્ટ
તંત્રીલેખ
ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગરનો સિંહ ફાળો
+++++++++++++++++++++
ગુજરાત રાજ્યમાં જેટલી ડુંગળી ઉત્પન્ન થાય છે તેનો 64 ટકા સિંહ ફાળો માત્ર ભાવનગર જિલ્લાના મહુવા તળાજા વિસ્તારનો છે. ડુંગળી ની ઉપયોગીતા દિવસે વધતી જાય છે. ગરીબ થી માંડી અમીર સુધીના તમામ લોકો ની ભોજનની થાળીમાં ડુંગળી વગર ચાલતું નથી.
ભાવનગર જિલ્લામાં શિયાળુ ઠંડી જામી જતાં રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. એક જ સપ્તાહમાં જિલ્લામાં વાવેતરમાં 14,500 હેકટરનો વધારો એક જ સપ્તાહમાં થયો છે. ખાસ કરીને ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના વાવેતરમાં એક સપ્તાહમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર 24,800 હેકટર થયું છે અને તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 15,900 હેકટરમાં થતા રાજ્યમાં ડુંગળીનું જે કુલ વાવેતર થયું છે તેના 64.11 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે ગત વર્ષે 52.40% વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું હતુ. આમ રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગરનો હિસ્સો વધ્યો છે. ગોહિલવાડ પંથકમાં ડિસેમ્બર માસમાં ઠંડીનું પ્રમાણ વધતા હવે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો હવે સમયગાળા દરમિયાન થશે.
ડુંગળી એ આપણા રસોડામાં સૌથી સામાન્ય અને મહત્વનું શાક છે. તેનો ઉપયોગ લગભગ દરેક પ્રકારના ભોજનમાં થાય છે. ડુંગળી માત્ર સ્વાદ જ નહીં, પરંતુ અનેક પ્રકારના પોષક તત્વોથી પણ ભરપૂર છે?
ડુંગળીના ફાયદા અનેક છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે.ડુંગળીમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
હૃદયને સ્વસ્થ રાખે છે ડુંગળીમાં રહેલા પોટેશિયમ અને ફ્લેવોનોઇડ્સ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે છે.
કેન્સરથી રક્ષણ આપે છે. ડુંગળીમાં કેટલાક એવા તત્વો હોય છે જે કેન્સર કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે.
પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ડુંગળીમાં ફાઇબર હોય છે જે પાચનને સુધારે છે અને કબજિયાતથી રાહત આપે છે.
વાળ અને ત્વચા માટે ફાયદાકારક ડુંગળીમાં સલ્ફર હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
ડુંગળી વિવિધ પ્રકારની હોય છે જેમ કે:
લાલ ડુંગળીલાલ ડુંગળીમાં સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે.
સફેદ ડુંગળીનો સ્વાદ મીઠો હોય છે અને તેનો ઉપયોગ સલાડમાં વધુ થાય છે.
પીળી ડુંગળી:પીળી ડુંગળીનો સ્વાદ મધ્યમ હોય છે અને તેનો ઉપયોગ વિવિધ પ્રકારના ભોજનમાં થાય છે.
ડુંગળીનો ઉપયોગ
ડુંગળીનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે જેમ કે:
કાચી ડુંગળી સલાડમાં ઉમેરી શકાય છે.
ડુંગળીને તળીને ભાજીમાં ઉમેરી શકાય છે. ડુંગળીનો રસ વાળ અને ત્વચા માટે ઉપયોગી છે.
ડુંગળીને સૂકવીને પાવડર બનાવીને તેનો ઉપયોગ મસાલા તરીકે કરી શકાય છે.
ડુંગળી ખાતી વખતે સાવચેતી
વધુ પડતી ડુંગળી ખાવાથી ગેસ અને એસિડિટી થઈ શકે છે.
જે લોકોને પેટની સમસ્યા હોય તેમણે ડુંગળી ઓછી માત્રામાં ખાવી જોઈએ.
ડુંગળી ખાવાથી આંખોમાં પાણી આવી શકે છે.
ડુંગળી એ એક એવું શાક છે જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. તેને આપણા રોજિંદા આહારમાં સામેલ કરીને આપણે અનેક રોગોથી બચી શકીએ છીએ. ડુંગળી સમગ્ર ગુજરાતમાં ઉગે છે પરંતુ સૌથી વધુ ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે.ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરનો આંક 44,000 હેકટરને આંબી ગયો છે. જેમાં ડુંગળીનું વાવેતર 15,900 હેકટરે આંબી ગયું છે. જે ગત સપ્તાહે 11,600 હેકટર હતુ. એટલે કે એક જ સપ્તાહમાં જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 4300 હેકટરનો વધારો થયો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ડુંગળીનું વાવેતર 24,800 હેકટરના આંકને આંબી ગયું છે. જેમાં ભાવનગર જિલ્લો 15,900 હેકટર સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ નંબરે છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીના રાજ્યના કુલ આ વર્ષે ગુજરાતમાં ડુંગળીનુ કુલ વાવેતર 24,800 હેકટર જમીનમાં થયું છે તે પૈકી એકલા સૌરાષ્ટ્રમાં જ વાવેતર 24,700 હેકટર એટલે કે કુલ વાવેતરના 99.60 ટકા વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં થયું છે બાકીના 0.40 ટકા વાવેતરમાં બાકીનું સમગ્ર ગુજરાત આવી જાય છે. આમ ડુંગળીના વાવેતરમાં સૌરાષ્ટ્ર અને ખાસ તો ભાવનગરનો દબદબો યથાવત છે.
વાવેતરના 64.11 ટકા વાવેતર થયું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘઉંનું વાવેતર 7,400 હેકટરના આંકને આંબી ગયું છે.
ચણાનું વાવેતર 5,100 હેકટર થયું છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે ત્યારે ઘઉં, ડુંગળી અને ચણા તેમજ અન્ય કઠોળના વાવેતરમાં આ વખતે વધારો
થવાની શકયતા છે.
સુરેશ ભટ્ટ